Home ગુજરાત ગાંધીનગર ભારતીય વાયુસેનાના અધ્યક્ષ એર ચીફ માર્શલ શ્રી વિવેક રામ ચૌધરીએ રાજ્યપાલ શ્રી...

ભારતીય વાયુસેનાના અધ્યક્ષ એર ચીફ માર્શલ શ્રી વિવેક રામ ચૌધરીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી

10
0

આત્મનિર્ભરતાથી આત્મવિશ્વાસ આવે છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

(જી.એન.એસ) તા. 2

ગાંધીનગર,

ભારતીય વાયુસેનાના અધ્યક્ષ એર ચીફ માર્શલ શ્રી વિવેક રામ ચૌધરીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ ભારતીય વાયુસેનાના વડાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ભારતીય વાયુસેનાના 27 મા અધ્યક્ષ શ્રી વિવેક રામ ચૌધરી સાથે ભારતીય સેના અને વિશેષત: વાયુ સેનાની પ્રવૃત્તિઓ વિશે વાતચીત કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, શસ્ત્રોના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભરતા કેળવી રહ્યું છે, આત્મનિર્ભરતાથી આત્મવિશ્વાસ આવે છે. તેમણે ભારતીય સેનાની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરીને અભિનંદન પાઠવ્યા હતા.

વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ શ્રી વી. આર. ચૌધરીએ ગુજરાતમાં વાયુસેનાની કામગીરીની વિસ્તૃત જાણકારી આપી હતી. આ અવસરે દક્ષિણ-પશ્ચિમી વાયુ કમાનના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ એર માર્શલ નર્મદેશ્વર તિવારી પણ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચૂંટણી પ્રક્રિયાને ન્યાયિક અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા સતત કાર્યનિષ્ઠ ૮૬૦૦ થી વધુ કર્મયોગીઓએ પોસ્ટલ બેલેટથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો
Next articleરાજકોટમાં હાર્ટ એટેકથી બે વ્યક્તિનાં મોત નીપજ્યા