Home વ્યાપાર જગત - BUSINESS ફુગાવા – મોંઘવારીના વધતાં જોખમ અને અનેક પ્રતિકૂળ અહેવાલો પાછળ ફંડોની સતત...

ફુગાવા – મોંઘવારીના વધતાં જોખમ અને અનેક પ્રતિકૂળ અહેવાલો પાછળ ફંડોની સતત નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ૧૪૧૬ પોઈન્ટનો નોંધપાત્ર કડાકો..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૫.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૪૨૦૮.૫૩ સામે ૫૩૦૭૦.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૬૬૯.૫૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૮૬.૫૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૧૬.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૭૯૨.૨૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૨૨૬.૦૫ સામે ૧૫૯૮૧.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૭૪૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૧.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૪૨.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૮૪.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સતત વધતાં જતાં ફુગાવો – મોંઘવારીમાં વધુ વધારો થવાના જોખમે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં સાધારણ થી નબળા પરિણામો જાહેર થઈ રહ્યા હોઈ આજે ભારતીય શેરબજારોમાં ભારે ઉછાળે નફારૂપી વેચવાલી જોવાઈ હતી. ત્રણ દિવસની તેજી બાદ ફરી મોંઘવારી અને ઉદ્યોગોના વધી રહેલા ખર્ચના કારણે વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં પણ કડાકો જોવા મળ્યો હતો. યુનાઈટેડ કીંગડમમમાં ફુગાવો ૪૦ વર્ષની ઊંચી સપાટીએ ૯%એ પહોંચતા યુરોપિયન શેરમાં પણ ઘટાડો અને અમેરિકન રિટેલર ટાર્ગેટનો નફો ધારણા કરતા નબળો આવતા વૈશ્વિક શેરબજારમાં ઘટાડા સાથે આજે ભારતીય શેરબજાર પણ નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

સ્થાનિક સ્તરે મહિનાની શરૂઆતમાં રિઝર્વ બેન્કે અચાનક જ વ્યાજ દર વધાર્યો હતો ત્યારબાદ ગઇકાલે બુધવારે મિટિંગની વિગતો જાહેર કરવામાં આવી છે જેમાં પોલિસી કમિટીએ મોંઘવારી ડામવા માટે ઝડપી અને તીવ્ર વધારાની ચર્ચા કરી હતી. બેઠક બાદ આવેલા WPIના ૩૦ વર્ષમાં સૌથી ઊંચા ફુગાવાના આંકડા સૂચવે છે કે જૂનના પ્રારંભે મળનારી બેઠકમાં રિઝર્વ બેંક ભારતમાં બીજો વ્યાજ દર વધારો જાહેર કરશે તેવા સંકેતોએ ફંડોની આઇટી, ટેક, મેટલ અને ટેલિકોમ શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૬.૭૧ લાખ કરોડ ઘટીને રૂ.૨૪૬.૦૯ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૬૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૨૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઈટી, ટેક, મેટલ, બેઝીક મટીરીયલ, એનર્જી અને ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ પણ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૮૨ અને વધનારની સંખ્યા ૮૪૫ રહી હતી, ૧૨૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોના મહામારી બાદ ઝડપથી રિકવર થઈ રહેલ ભારતના અર્થતંત્રને મોંઘવારીને કારણે બ્રેક લાગી છે અને હવે રશિયા – યુક્રેન યુદ્ધ તથા વ્યાજદરમાં વધારાને કારણે ઝાટકો લાગી શકે છે. આ તમામ અસરોને ધ્યાનમાં રાખતી વૈશ્વિક રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ટ એન્ડ પૂઅર્સે ચાલુ નાણાકીય વર્ષ માટેના ભારતના વિકાસદરના અનુમાન ઘટાડીને ૭.૩ કર્યો છે. રેટિંગ એજન્સીએ અગાઉ ભારતનો વિકાસદર ચાલુ વર્ષે ૭.૮% રહેવાની આગાહી કરી હતી. આ સાથે આગામી નાણાકીય વર્ષમાં વૃદ્ધિદર ૬.૫% રહેવાનો અનુમાન મૂક્યો છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમારા નવા અંદાજમાં જીડીપી અનુમાનમાં ઘટાડા પાછળ દેશમાં વધતી જતી મોંઘવારી અને રશિયા અને યુક્રેન કારણે ઉભી થનારી આર્થિક કટોકટી પણ જવાબદાર રહેશે. આ યુદ્ધ ભયાનક પરિણામ આપશે તો દેશ અને વિશ્વના અર્થતંત્ર માટે વધુ જોખમ ઉભું થઈ શકે છે. 

એસએન્ડપી એ ચાલુ નાણાંકીય વર્ષમાં ગ્રાહક સ્તરનો મોંઘવારી દર ૬.૯% રહેવાનો અંદાજ મૂક્યો છે. ભારતીય અર્થતંત્રે ગત નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૮.૯%ની જીડીપી વૃદ્ધિ નોંધાવી હતી. ગ્લોબલ મેક્રો અપડેટમાં એજન્સીએ જણાવ્યું છે કે, દેશમાં લાંબા સમય સુધી ફુગાવો વધતો રહેવો, એ એક મોટી ચિંતાનો વિષય બની શકે છે. કોરોના બાદની રિકવરી મંદ પડતા અને હવે મોંઘવારી અને યુદ્ધના ડબલ ઝટકાને કારણે વિશ્વ બેંકે એપ્રિલમાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ભારતના જીડીપીનું અનુમાન ૮.૭%થી ઘટાડીને ૮% કર્યું હતું, ત્યારે આઇએમએફ એ અંદાજ ૯%થી ઘટાડીને ૮.૨% કર્યો હતો. આ સિવાય એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી)એ ભારતનો વિકાસ દર ૭.૫% રહેવાનો અંદાજ મૂક્યો છે, જ્યારે રિઝર્વ બેન્કે પણ તેનું અનુમાન ૭.૮%થી ઘટાડીને ૭.૨% કર્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબ્રિટન બાદ આ નવા વાઈરસનો અમેરિકામાં કેસ આવતા ફફડાટ
Next articleરિયલ્ટી – મેટલ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૧૫૩૪ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!! તેજી તરફી માહોલ યથાવત્ રહેશે…!!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.