Home દુનિયા - WORLD પાકિસ્તાનમાં પેટ્રોલ નહી રહે, પંપ માલિકોએ સરકારને ચેતવણી આપી

પાકિસ્તાનમાં પેટ્રોલ નહી રહે, પંપ માલિકોએ સરકારને ચેતવણી આપી

23
0

પાડોશી દેશ પાકિસ્તાનમાં લોટ અને તેલની વધતી કિંમતો અને આર્થિક સંકટ સાથે જોડાયેલી સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. દરમિયાન, પાકિસ્તાનની ઓઇલ કંપનીઓએ ચેતવણી આપી છે કે, ડોલરની અછત અને રૂપિયાના અવમૂલ્યનને કારણે વધતા વેપાર ખર્ચને કારણે દેશનો પેટ્રોલિયમ ઉદ્યોગ પતનની આરે છે. ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝના રિપોર્ટ અનુસાર જો તમને જણાવીએ તો, સરકારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની માંગને પહોંચી વળવા માટે ડોલર પરની મર્યાદા હટાવી દીધી છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં પાકિસ્તાની રૂપિયો ઐતિહાસિક ઘટાડા સાથે 276.58 રૂપિયા પ્રતિ ડોલર પર પહોંચી ગયો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એ રાહત પેકેજને પુનઃસ્થાપિત કરવા માટે ઘણી શરતો લાદી છે, જેમાં સ્થાનિક ચલણ માટે બજાર-નિર્ધારિત વિનિમય દર અને ઇંધણ સબસિડીનું સરળીકરણ સામેલ છે. સરકારે બંને શરતો સ્વીકારી લીધી છે. ઓઇલ કંપની એડવાઇઝરી કાઉન્સિલે ઓઇલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી અને પાવર મંત્રાલયને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે, રૂપિયાના વિનિમય દરમાં ઘટાડો થવાને કારણે ઉદ્યોગને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. કારણ કે, તેમા નવા દરની શક્યતા છે. તેમના ક્રેડિટ લેટર માટે નિશ્ચિત કરવામાં આવશે. વિદેશી મૂડી ભંડાર ઘટવાને કારણે સરકારે લેટર્સ ઓફ ક્રેડિટ પર પણ નિયંત્રણો લાદી દીધા છે. 27 જાન્યુઆરીના ડેટા અનુસાર, વિદેશી મૂડી અનામત ઘટીને $308.62 મિલિયન થઈ ગયું છે, જે માત્ર 18 દિવસની આયાત માટે પૂરતું છે. આર્થિક મંદીના આ યુગમાં પાકિસ્તાન ચૂકવણી સંતુલનની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે, જેના કારણે રૂપિયાનું મૂલ્ય ઝડપથી ઘટી રહ્યું છે, અને આયાતી માલસામાનની કિંમતો જબરદસ્ત મોંઘી થઈ રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે દેશમાં પેટ્રોલ 250 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. સરકારના આ નિર્ણયથી નારાજ લોકોએ લાહોરમાં પેટ્રોલ પંપને આગ ચાંપી દીધી હતી. બીજી તરફ આર્થિક સંકટમાંથી બહાર આવવા અને લોન મેળવવાનો પ્રયાસ કરી રહેલા વડાપ્રધાન શહેબાઝ શરીફે કહ્યું છે કે, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા મૂકવામાં આવેલી શરતો આશ્ચર્યજનક છે. પરંતુ આ શરતોનું પાલન કરવું ફરજિયાત છે. જણાવી દઈએ કે, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનું એક પ્રતિનિધિમંડળ મંગળવારે પાકિસ્તાન પહોંચ્યું છે. આ ટીમ 9 ફેબ્રુઆરીએ નક્કી કરશે કે ઈસ્લામાબાદને બેલઆઉટ પેકેજ આપવું કે નહીં?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપેશાવર મસ્જિદ વિસ્ફોટથી નબળું પડી રહ્યું છે પાકિસ્તાન?!.. તાલિબાન પાસે આતંકવાદીઓને કાબૂમાં લેવા માટે મદદ માંગી!
Next articleઅમેરિકાએ ચીની જૂસાસી ફુગ્ગાને ઠાર કર્યો: તણાવ વધશે, શું બોલાઈ રહ્યા છે યુદ્ધના ભણકારા?!..