Home ગુજરાત નવરાત્રીના છઠ્ઠા દિવસે કાત્યાયની માતાજીની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રીના છઠ્ઠા દિવસે કાત્યાયની માતાજીની પૂજા કરવામાં આવે છે.

68
0

(G.N.S) Dt. 19


ધ્રુમિત ઠક્કર

નવરાત્રીમાં છઠ્ઠા દિવસે નવદુર્ગા માતાના “કાત્યાયની” સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. શાસ્ત્રોમાં માતા કાત્યાયનીને ભગવાાન બ્રહ્માના માનસ પુત્રી માનવામાં આવ્યાં છે. બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં તેમને છઠ મૈયાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. માતા કાત્યાયનીનુ સ્વરૂપ સૌથી વધુ સુંદર છે અને માન્યતા છે કે આ દિવસે વિધિપૂર્વક કરવામાં આવેલી પૂજાનો વિશેષ લાભ ભક્તોને પ્રાપ્ત થાય છે. આ સાથે તેમને ભવિષ્યમાં આવતી પરેશાનીઓ પર પણ વિજય પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો મુજબ માતાનુ સ્વરૂપ સોના જેવુ ચમકીલુ છે અને તેની ચાર ભુજાઓ છે. દરેક ભુજામાં માતાએ તલવાર, કમળ, અભય મુદ્રા અને વર મુદ્રા ધારણ કરી છે. માતા કાત્યાયનીને લાલ રંગ સૌથી વધુ પસંદ છે. દંતકથાઓ મુજબ મહર્ષિ કાત્યાયનની તપસ્યા બાદ માતા કાત્યાયનીએ તેમની પુત્રી તરીકે જન્મ લીધો હતો. માં દુર્ગા તેમના રૂપમાં મહિષાસુરનો વધ કરીને તેના આતંકથી દેવ અને મનુષ્યોને ભયમુક્ત કર્યા હતા.


માં કાત્યાયની, જેને મહિષાસુરમર્દિની તરીકે પણ ઓળખવામાં આવે છે, પ્રાચીન ગ્રંથો અનુસાર, મહિષાસુર રાક્ષસને મારવા માટે દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને શિવની સંયુક્ત શક્તિઓમાંથી બનાવવામાં આવી હતી. એવું કહેવાય છે કે, દેવી કાત્યાયનીના આશીર્વાદ ઉપાસકના પાપોને ધોઈ શકે છે, નકારાત્મક શક્તિઓને દૂર કરી શકે છે અને અવરોધો દૂર કરી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાંસદા ખાતે તાલુકા કક્ષાની અમૃત કળશ યાત્રા યોજાઈ
Next articleપ્રધાનમંત્રી મોદીએ દેશને પ્રથમ રેપિડ રેલ ભેટ આપી