Home વ્યાપાર જગત - BUSINESS ડેરિવેટીવ્ઝમાં મે વલણના અંત પૂર્વે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી બાદ દરેક...

ડેરિવેટીવ્ઝમાં મે વલણના અંત પૂર્વે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી બાદ દરેક ઉછાળે સાવચેતીનું વલણ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૫.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૪૨૮૮.૬૧ સામે ૫૪૩૦૭.૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૩૮૮૬.૨૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૩૮.૦૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૬.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૫૪૦૫૨.૬૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૧૮૩.૩૫ સામે ૧૬૧૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૦૩૪.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૧.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૦.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૧૨૩.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી, પરંતુ આગામી દિવસોમાં યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાના સંકેત વચ્ચે અમેરિકી બજારોમાં સાવચેતી અને વૈશ્વિક મોરચે ફુગાવાની વધતી સમસ્યા સાથે જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતીની સાથે સ્થાનિક સ્તરે મોંઘવારી – ફુગાવાનું દબાણ બજારની ધારણા કરતા સતત વધી રહ્યો હોવાથી નેગેટિવ અસરે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વિવિધ પ્રતિકળ અહેવાલો પાછળ ચોમેરના વેચવાલીના દબાણ પાછળ ભારતીય શેરબજારમાં પીછેહઠ નોંધાઈ રહી છે. ચાલુ માસમાં પણ એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે. ચાઈનામાં કોરોનાના ફરી વધતાં ઉપદ્રવ પાછળ લોકડાઉન લંબાવવામાં આવતાં સપ્લાય ચેઈન ખોરવાઈ રહી હોઈ ફયુલની માંગમાં ઘટાડા અને વૈશ્વિક ઔદ્યોગિક – આર્થિક મંદીની પરિસ્થિતિ વકરવાની શકયતા અને બીજી તરફ વધી રહેલા ફુગાવા – મોંઘવારીની સતત નેગેટીવ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત રહી હતી.

ડોલરમાં મજબૂતી, ફુગાવાની વધતી જતી ચિંતા અને નાણાકીય નીતિ વધુ કડક બનાવવાની શક્યતાને પગલે ચારેબાજુથી વેચવાલી નીકળતા ભારતીય શેરબજારમાં ઘટાડો યથાવત રહ્યો હતો. યુક્રેન – રશીયા વોરના ચાલતાં જીઓ – પોલિટીકલ ટેન્શન સાથે વિશ્વભરમાં ફુગાવાની સ્થિતિ વધુને વધુ કથળી રહી હોવા સાથે સેન્ટ્રલ બેંકોએ વ્યાજ દરો વધારતાં વૈશ્વિક બજારોમાં લિક્વિડીટી પર અસર પડી રહી હોઈ અને આ સાથે કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં અનેક કંપનીઓના અપેક્ષાથી સાધારણ રિઝલ્ટ જાહેર થતાં અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત મોટી વેચવાલીએ ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ અને ફાઇનાન્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૭૦ અને વધનારની સંખ્યા ૧૦૩૬ રહી હતી, ૧૨૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ફુગાવાજન્ય દબાણને ખાળવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રેપો રેટમાં વધારવાનું ચાલુ રાખશે, પરંતુ વ્યાજ દર  વધારીને કોરોના પહેલાના સ્તર સુધી લઈ જવાશે કે કેમ તે કહેવું હાલમાં મુશકેલ છે. વ્યાજ દરમાં વધારો કરવા બાબત કંઈ વિચારવા જેવું રહ્યું નથી. રેપો રેટમાં થોડોક વધારો થશે. પરંતુ કેટલો થશે તે કહી શકાય નહીં. વ્યાજ દર વધારીને ૫.૧૫% સુધી લઈ જવાશે એમ કહેવું યોગ્ય નહીં ગણાય. હવે પછીની  જુનની બેઠકમાં મોનિટરી પોલિસી કમિટિ વ્યાજ દરમાં વધારો કરશે તે અંગે બજાર જે વિચારે છે, તે ખરું છે એમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે રિઝર્વ બેન્ક દેશની નાણાં વ્યવસ્થામાં વધારે પડતી લિક્વિડિટીને પણ આગામી બેથી ત્રણ વર્ષમાં દૂર કરવા માગે છે. 

ફુગાવાને અંકુશમાં લેવાની વૈશ્વિક કવાયતમાં યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા કરાયેલા વ્યાજ દરના વધારા સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ ઈંગ્લેન્ડ સહિતે પણ વ્યાજ દરમાં વધારો કર્યા બાદ હજુ વધુ મોટો વધારો તોળાઈ રહ્યો હોઈ કંપનીઓના ખર્ચમાં વધારા સાથે ફરી નફાશક્તિ ભીંસમાં આવવાના સંકેતો વચ્ચે વૈશ્વિક સંકટ ઘેરાતા વિશ્વ ફરી મંદીના ભરડામાં આવી ગયું હોવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા હોવાથી આજે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી નોંધાતા ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળા સાથે અમેરિકી શેરબજારોમાં સાવચેતીએ વૈશ્વિક બજારોમાં ઘટાડો નોંધાતા આજે ભારતીય શેરબજારમાં પણ ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલીએ ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિનેશ કાર્તિકને આઈપીએલે ફરી ટીમમાં સ્થાન અપાવતા સોશિયલ મીડિયા પર થયો ભાવુક
Next articleઅમેરિકાના ટેક્સાસની શાળામાં અંધાધૂંધ ફાયરિંગ થતા 19 વિદ્યાર્થી સહિત 23 લોકોના થયા મોત
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.