Home ગુજરાત જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કેસ, આજે સુપ્રીમનો ચુકાદો, દેશભરમાં હાઇ એલર્ટ

જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કેસ, આજે સુપ્રીમનો ચુકાદો, દેશભરમાં હાઇ એલર્ટ

555
0

(જી.એન.એસ.) નવી દિલ્હી, તા.9
દેશના વડા ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની આગેવાની હેઠળ પાંચ-જજની સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ દાયકાઓ જૂના રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં આજે બહુપ્રતિક્ષિત ચુકાદો આપવાની છે. આને ધ્યાનમાં રાખીને આજે દેશભરમાં સુરક્ષા માટે હાઈ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે.
પાંચ-જજની બેન્ચ પર અન્ય ચાર જજ છેઃ શરદ બોબડે, ડી.વાય. ચંદ્રચુડ, અશોક ભૂષણ અને એસ.એ. નઝીર. ચુકાદો આજે સવારે 10.30 વાગ્યે આપવામાં આવે એવી ધારણા છે. એ વિશેની નોટિસ શુક્રવારે સાંજે સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવી હતી.
આ પાંચ જજોએ 40-દિવસ સુધી દૈનિક ધોરણે સુનાવણી પૂરી કર્યા બાદ એમનો ચુકાદો અનામમત રાખ્યો હતો, જે હવે આજે જાહેર કરનાર છે, કારણ કે ગોગોઈ 17 નવેંબરે સેવાનિવૃત્ત થાય છે. સત્તાવાળાઓએ સુપ્રીમ કોર્ટ સંકુલમાં તેમજ એની આસપાસ સુરક્ષાનો અત્યંત કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. દેશના ચીફ જસ્ટિસ ગોગોઈના નિવાસસ્થાનની બહાર પણ સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
તે ઉપરાંત અયોધ્યા શહેરમાં, સમગ્ર ઉત્તર પ્રદેશ, મુંબઈ સહિત મહારાષ્ટ્ર, ગુજરાતમાં પણ સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં ગઈ કાલે રાતથી જ મોબાઈલ ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી, જમ્મુ-કશ્મીરમાં તમામ શાળા-કોલેજો આજે બંધ રાખવામાં આવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રાતે જ અનેક ટ્વીટ કરીને દેશની જનતાને અપીલ કરી હતી કે અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય જે કંઈ પણ આવે, એ કોઈની હાર કે જીત નહીં હોય. દેશવાસીઓને મારી અપીલ છે કે આપણા સૌની એ પ્રાથમિક ફરજ રહે કે નિર્ણય ભારતની શાંતિ, એકતા અને સદ્દભાવનાની મહાન પરંપરાને બળ આપેઃ

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરૂપાણીના માહિતી ખાતામાં જ ભ્રષ્ટાચાર…?, કમિશ્નર કાલરિયા સામે ACB દ્વારા ખાતાકિય તપાસના આદેશ….!?
Next articleરૂપાણી રાજમાં બિલ્ડરો બન્યા બેફામ…! સરકારી બાબુઓની મિલીભગત કે રહેમ નજર..?