Home ગુજરાત કોંગ્રેસના બે દિગ્ગજો મોદીની હાજરીમાં જોડાશે ભાજપમાં

કોંગ્રેસના બે દિગ્ગજો મોદીની હાજરીમાં જોડાશે ભાજપમાં

998
0

(જી.એન.એસ), તા.૭
ઉત્તર પ્રદેશમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભાજપે ગુજરાતની 182 બેઠકોમાંથી 150 બેઠકો ઉપર કબજો મેળવવાનો લક્ષાંક રાખ્યો છે. જો કે 150 બેઠકો કબજે કરવા માટે ભાજપે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પોતાની તરફ કરવા પણ જરૂરી છે. જેની કવાયત લાંબા સમયથી શરૂ થઈ ગઈ છે. જેના ભાગ રૂપે તા 17મીના રોજ ગુજરાત આવી રહેલા નરેન્દ્ર મોદીના બોટાદના એક કાર્યક્રમમાં કોંગ્રેસના પુર્વ સાંસદ અને પુર્વ મંત્રી કુવરજી બાવળીયા અને સોમા ગાંડા ભાજપમાં જોડાય તેવી પુરી શક્યતા હોવાનું સુત્રોનું કહેવુ છે. ભાજપ પાસે હાલમાં કોળી મતદારોને આકર્ષી શકે તેવા એક માત્ર પુરૂષોત્તમ સોંલકી છે. ગુજરાતમાં કોળી મતદારોની સંખ્યા લગભગ વીસ ટકા છે, જે નોંધપાત્ર છે. કોંગ્રેસનું પણ કોળી મતદારો ઉપર ખાસ્સુ પ્રભુત્વ છે, જે તોડવા કોળીનું પ્રભુત્વ ધરાવતા કોંગ્રેસ નેતાઓ સાથે મંત્રણા શરૂ કરી હતી. જેમાં કુવરજી બાવળીયા અને સોમા ગાંડા સાથે કેટલાંક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં બંન્ને કોળી નેતાઓની માગણીઓ ભાજપે સ્વીકારી લીધી છે. જેના ભાગ રૂપે તા 17મીના રોજ વડાપ્રધાન ગુજરાત આવે ત્યારે બંન્ને નેતાઓ નરેન્દ્ર મોદીના હાથે કેસરી ખેસ ધારણ કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા હજી સુધી સત્તાવાર રીતે બોટાદના કાર્યક્રમનની જાણ ગુજરાત સરકારને કરવામાં આવી નથી. નરેન્દ્ર મોદીનો સુરતનો કાર્યક્રમ નિશ્ચિત છે. જ્યારે બોટાદ અને સેલવાસમાં વધુ બે કાર્યક્રમ ગોઠવવામાં આવશે તેવુ સુત્રોનું કહેવુ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી સુરત ભાજપની ટીમ
Next articleબોમ્બે હાઇકોર્ટનો મહારાષ્ટ્રને સિદ્ધો સવાલ, શિવાજીનું સ્મારક બનાવવા માટે ક્યાંથી આવશે ૩૬૦૦ કરોડ