Home દેશ - NATIONAL કેમ રહે છે નરગીસ ફખરી આજકાલ ખુશ..?

કેમ રહે છે નરગીસ ફખરી આજકાલ ખુશ..?

437
0

(S.yuLk.yuMk){wtçkE,íkk.27
અભિનેત્રી નર્ગિસ ફખ્રી આજકાલ ખૂબ ખુશ છેે. અભિનેતા ફિલ્મ સર્જક ઉદય ચોપરા સાથેના સહવાસના કારણે નહીં, પરંતુ એના જીવનમાં પ્રવેશેલા નવા બૉયફ્રેન્ડ સાથેના પ્રણયથી એ ખુશ છે. હજુ તો ડિસેંબરના પહેલા સપ્તાહમાં એવા મિડિયા રિપોર્ટ પ્રગટ થયા હતા કે નર્ગિસ ફખ્રી અને ઉદય ચોપરા આવતા વરસે પરણી જવાનાં છે. બંનેના લાંબા સમયના અફેરના પગલે કોઇને આ સમાચારથી નવાઇ લાગી નહોતી.પરંતુ લેટેસ્ટ સમાચાર એવા છે કે નર્ગિસના જીવનમાં ઉદય નહીં પણ કોઇ નવો બૉયફ્રેન્ડ પ્રવેશ્યો છે અને એનાથી નર્ગિશ ખુશ છે. તાજેતરમાં નર્ગિસે અમેરિકન ડાયરેક્ટર અને વિડિયો એડિટર મેટ એલોન્ઝો સાથે ક્રિસમસ ઊજવી હતી. ત્યારે પહેલીવાર એના અને મેટના સંબંધો જાહેરમાં આવ્યા હતા. નર્ગિસે ‘મારા પ્રિયપાત્ર’ સાથે એવું લખીને કેટલાક ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડિયા પર મૂક્યા હતા જેના પગલે એના ચાહકોને આ વાતની જાણ થઇ હતી. રસપ્રદ વાત એ છે કે મેટે પણ નર્ગિસ સાથેનો એક ફોટોગ્રાફ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂક્યો હતો એટલે અફવાને વેગ મળ્યો હતો કે નર્ગિસના જીવનમાં કોઇ નવો પુરુષ આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાહુબલિ ટુ રશિયા અને જાપાનમાં રજૂ થવાની શક્યતા
Next articleમને ઉમદા શિક્ષકો મળ્યાં હતાં: રાની મુખરજી ચોપરા