Home દુનિયા - WORLD કુલભૂષણ મામલે સયુંક્ત રાષ્ટ્ર કોઇ પણ ટિપ્પણી કરવાનો કર્ય ઇન્કાર

કુલભૂષણ મામલે સયુંક્ત રાષ્ટ્ર કોઇ પણ ટિપ્પણી કરવાનો કર્ય ઇન્કાર

408
0

જી.એન.એસ, તા.૧૩
ભારતીય નેવીના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાનની કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ત્યારબાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જારી છે. આ તણાવ વચ્ચે સયુંક્ત રાષ્ટ્રએ ભારતને વધુ એક ઝટકો આપતા કહ્યું છે કે જાધવ મામલે તેઓ એવી સ્થિતિમાં નથી કે કોઈ ટિપ્પણી કરી શકે. બંને દેશોએ આ મામલે પરસ્પર સંવાદ કરીને ફેંસલો લેવાની જરૂર છે. ભારત સરકારે કહ્યું છે કે જાધવ કોઈ જાસૂસ નથી અને સરકાર આ મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ઉઠાવવાના વિકલ્પો અંગે પણ વિચારી રહી છે.
સયુંક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગાયટેરસના પ્રવક્તા સ્ટીફેન દુજારિકે જણાવ્યું કે અમે સંપૂર્ણ પ્રક્રિયાના મુલ્યાંકનની સ્થિતિમાં નથી, જાધવના મામલે ફેસલો લઈ શકીએ તેવી સ્થિતિમાં નથી. દુજારિક દૈનિક પ્રેસ બ્રિફિંગ દરમિયાન પાકિસ્તાનની સૈન્ય કોર્ટ દ્વારા મોતની સજા સંભળવવા સંબંધી સવાલોના જવાબ આપી રહ્યાં હતાં.
દુજારિકે કહ્યું કે ભારત અને પાકિસ્તાનના સંબંધો અંગે અમારું માનવું છે કે બંને દેશોએ પરસ્પર સહયોગ અને વાતચીતથી ઉકેલ લાવવો જોઈએ. ભારતે જાધવને ફાંસીની સજા પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે જો આમ થશે તો ભારત સરકાર અને અહીંની જનતા તેને સમજી વિચારીને કરવામાં આવેલી હત્યા ગણશે. ભારત સરકાર જાધવને બચાવવા માટે દરેક સંભવ પ્રયત્ન કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસેટેલાઇટથી લેવાયેલી તસ્વીરમાં ભારતનો અદભૂત નજારો
Next articleપેટાચૂંટણી: 10 વિધાનસભા સીટના પરિણામ, BJP 6 તો કોંગ્રેસ 2 પર આગળ