Home દેશ - NATIONAL કાશ્મીરમાં ભીષણ અથડામણ : બે આતંકી ઠાર,બે વરૂણ કમાન્ડો શહીદ

કાશ્મીરમાં ભીષણ અથડામણ : બે આતંકી ઠાર,બે વરૂણ કમાન્ડો શહીદ

334
0

(જી.એન.એસ)બંદીપોર,તા.૧૧
ઉત્તર કાશ્મીરના હાઝિન અને બંદીપોરામાં આજે-બુધવારે સવારથી શરૂ થયેલા થયેલી અથડામણમાં લશ્કરે તોઈબાના બે વિદેશી આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે, પરંતુ ભીષણ અથડામણમાં બે વરૂણ કમાન્ડોએ પણ શહાદત વ્હોરી છે અને ચાર ઈજાગ્રસ્ત થયા છે.
અહેવાલ પ્રમાણે રક્શ એ હાઝિન વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની મળેલી બાતમીને આધારે સેનાની ૧૩ આરઆર અને રાજ્ય પોલીસે સંયુકત રીતે બુધવારની સવારે શોધખોળ કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહી વખતે આંતકીઓએ ભારતીય સેના પર રાઈફલ ગ્રેનેડ અને ત્યારબાદ સ્વંયસંચાલિત શસ્ત્રો વડે ગોળીબારનો કર્યો હતો. ભારતીય જવાનોને તુરત પોઝીશન સંભાળી હતી અને વળતો ગોળીબાર કર્યો હતો. આ સાથે ભીષણ અથડામણનો આરંભ થયો હતો.
સવારે પાંચ વાગે શરૂ થયેલા સામસામા ગોળીબારમાં છ જવાનોને ગંભીર ઈજા થઈ હતી, પરંતુ આ ગાળામાં જ બે આતંકીઓને પાડી દેવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત જવાનોને તેમના સાથીઓએ જ હોસ્પિટલ પહોંચાડ્યા હતાં. આ પૈકી બે કમાન્ડો શહીદ થયા હોવાની જાહેરાત ડોકટરોએ કરી હતી. જ્યારે અન્ય ચાર જવાનોની હાલત નાજૂક હોવાનું જણાવવામાં આવ્યું છે.
બે આંતકીઓના મૃતદેહ સેનાએ કબજે કર્યા છે. હજુ પણ બે-ત્રણ આંતકવાદીઓ છૂપાયા હોવાનું મનાય છે. તેઓ સતત સેના પર ગોળીબાર કરી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રભાસ સ્ટારડમ સાથે પનારો પાડવાની કળા શીખી રહ્યો છે
Next articleચૂંટણી ઈફેક્ટ : રાજ્યમાં ૧૬ નવી જીઆઈડીસી સ્થપાશે