Home મનોરંજન - Entertainment પ્રભાસ સ્ટારડમ સાથે પનારો પાડવાની કળા શીખી રહ્યો છે

પ્રભાસ સ્ટારડમ સાથે પનારો પાડવાની કળા શીખી રહ્યો છે

415
0

(જી.એન.એસ)મુંબઈ,તા.૧૧
ઓક્ટોબર ૨૦૧૭, મંગળવાર બાહુબલીથી લોકપ્રિય થયેલ સુપરસ્ટાર પ્રભાસને કેમેરાની સામે આવવામાં આજે પણ શરમ આવે છે. એણે હોસ્પિટાલિટિના ક્ષેત્રમાં કારકિર્દી ઘડવાનું નક્કી કર્યું હતું. મનોરંજન જગતમાં આવવાનો એનો કોઈ ઈરાદો ન હતો. પણ ’બાહુબલી’ની સિક્વલની સાથે જ એ આજે વૈશ્વિક સ્તર પર લોકપ્રિયતા મેળવી ચુક્યો છે. પ્રભાસનું કહેવું છે કે તે આજે પણ સાર્વજનિક કાર્યક્રમ માટે સતર્ક રહે છે. અને સ્ટારડમને સાથે પનારો પાડતા શિખે છે. એને એના ચાહકોનો સામનો કરતા પણ ડર લાગે છે. તે ઈચ્છે છે કે દર્શકો એની ફિલ્મો જુએ પણ એને દર્શકોને રૃબરૃ મળતા સંકોચ થાય છે એમ અભિનેતાનું કહેવું છે.
અભિનેતાના પિતા લોકપ્રિય ફિલ્મ નિર્માતા અય્યલપતિ સુર્ય નારાયણ અને એના કાકા કૃષ્ણમ રાજુ અય્યલપતિએ તેલગુ સિનેમામાં ઘણી નામના મેળવી છે. આ કારણોસર પ્રભાસ પણ ફિલ્મક્ષેત્રે ઝંપલાવે એ સ્વાભાવિક હતું. પણ પ્રભાસે એના શર્મિલા સ્વભાવને કારણે અન્ય ક્ષેત્રમાં કારકિર્દી ઘડવાનું નક્કી કર્યું હતું. પણ અચાનક એક ફિલ્મ જોતા મન બદલાય ગયું અને ’ઈશ્વર’ ફિલ્મથી અભિનયની શરૃઆત કરી. ઉલ્લેખનિય છે કે પ્રભાસ હાલ એની આગામી ’સાહો’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં એની સાથે શ્રધ્ધા કપૂર, નીલ નિતિન મુકેશ અને ચંકી પાંડે જોવા મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશુક્રવારે પેટ્રોલ પંપ બંધ રહેશેઃ પેટ્રોલ ડીલરો હડતાળ પાડવાની તૈયારીમાં
Next articleકાશ્મીરમાં ભીષણ અથડામણ : બે આતંકી ઠાર,બે વરૂણ કમાન્ડો શહીદ