Home વ્યાપાર જગત - BUSINESS એફએમસીજી અને આઇટી – ટેક સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૨૩૭ પોઈન્ટનો...

એફએમસીજી અને આઇટી – ટેક સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૨૩૭ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૬.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૧૩૬૦.૪૨ સામે ૫૧૪૭૦.૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૦૬૨.૯૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૫૧.૬૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૭.૪૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૫૯૭.૮૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૩૧૯.૨૫ સામે ૧૫૩૪૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૨૦૨.૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૧.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૬.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૩૬૬.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. ફુગાવો – મોંઘવારીનું પરિબળ જોખમી બની રહ્યું હોઈ અને વધતાં વ્યાજ દરોએ વૈશ્વિક ચિંતા સામે હવે ચોમાસાની તૈયારી અને આ વર્ષે ચોમાસું સફળ રહેવાની આગાહી અને સાઉદી અરેબિયા દ્વારા ઉત્પાદન વધારવાના સંકેત સાથે ક્રુડના ભાવ વધતાં ઝડપી ઘટી આવતાં ફંડોએ શેરોમાં મંદીને બ્રેક લગાવી આજે તેજી કરી હતી. ઈન્ડેક્સ બેઝડ બે – તરફી અફડાતફડી ચાલુ રાખીને આજે ફંડોએ એચડીએફસી લિ., એચડીએફસી બેન્ક અને ઇન્ફોસિસ શેરોની આગેવાની અને એફએમસીજી, આઈટી, ટેક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાઈનાન્સ, હેલ્થકેર શેરોમાં આક્રમક ખરીદી કરીને બજારને પોઝિટીવ ઝોનમાં રાખ્યું હતું.

અમેરિકામાં ફુગાવો ૪૦ વર્ષની ટોચે પહોંચ્યા બાદ તેના પર અંકુશ મેળવવા યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ૧૯૯૪ બાદ પ્રથમ વખત ગત સપ્તાહે ૦.૭૫%નો તીવ્ર વ્યાજદર વધારો જાહેર કરતાં પ્રતિકૂળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણને પગલે બીએસઇ સેન્સેક્સ બાવન સપ્તાહની નીચી સપાટીએ ઉતરી આવ્યા હતા, જો કે આજે આઈટી – સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં તેજીની હૂંફે સ્થાનિકમાં ઘટાડે ફંડોની પસંદગીની નીચા મથાળે લેવાલી નીકળતાં ઈન્ડેક્સ બેઝડ મજબૂત સુધારો નોંધાયો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૮૧ લાખ કરોડ ઘટીને રૂ.૨૩૪.૯૮ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૯૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, આઈટી, ટેક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાઈનાન્સ અને હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૭૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૭૨૫ અને વધનારની સંખ્યા ૬૮૯ રહી હતી, ૧૬૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, મહામારી બાદ મોંઘવારી અને વ્યાજદરમાં વૃદ્ધિની અડચણો તેમજ વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીથી ભારતીય શેરબજાર ઘટીને વર્ષની નીચી સપાટીને સ્પર્શ્યુ છે. આ સાથે ભારતીય બજાર હવે ૩ લાખ કરોડ ડોલરની માર્કેટકેપ ક્લબમાંથી બહાર નીકળી ગયુ છે. ભારતીય શેરબજારની માર્કેટ કેપિટલાઇઝેશન પણ ઘટીને હાલ ૨.૯૯ લાખ કરોડ ડોલર રહી છે, જે છેલ્લા ૧૩ મહિનામાં સૌથી ઓછી છે. યુએસ બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિ અને વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીના કારણે ભારતીય બજારની માર્કેટકેપમાં જાન્યુઆરીની ૩.૬૭ લાખ કરોડ ડોલરની ઉંચાઇથી અત્યાર સુધીમાં ૬૭૬ અબજ ડોલરનું ધોવાણ થયુ છે. ચાલુ વર્ષે સેન્સેક્સ – નિફ્ટી ફ્યુચરમાં તેમના ઉંચા સ્તરેથી ૧૮% જેટલા તૂટયા છે.

ચાલુ વર્ષની શરૂઆતમાં સૌથી વધારે માર્કેટકેપ ધરાવતા વૈશ્વિક બજારોની યાદીમાં ભારત પાંચમાં ક્રમે હતુ જ્યારે તાજેતરના ધોવાણને પગલે હાલ છઠ્ઠા ક્રમે આવી ગયુ છે. તો રશિયા – યુક્રેનના યુદ્ધ બાદ ક્રૂડ ઓઇલમાં આવેલી તેજીનો લાભ મળતા સાઉદી અરબનું બજાર હાલ આ યાદીમાં પાંચમાં ક્રમે પહોંચ્યુ છે અને તેની માર્કેટકેપ ૧૫% વધી છે. મહામારી બાદ મંદીના ડામવા માટે દુનિયાભરના દેશોની મધ્યસ્થ બેન્કો વ્યાજદર વધારી રહ્યા છે, જેના પગલે આર્થિક મંદીની જોખમ વધતા મોટાભાગના શેરબજારોમાં મોટુ કરેક્શન આવ્યુ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસલમાનની નો એન્ટ્રી સીક્વલમાં ૧૦ એક્ટ્રેસ ફાઈનલ થઈ શકે
Next articleએનર્જી અને ઓઈલ & ગેસ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૯૩૪ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.