Home ગુજરાત ઇસનપુર પોલીસ સ્ટેશનના સહયોગથી રક્તદાન શિબિરનું કરાયું આયોજન, 300 બોટલનું ટાર્ગેટ પૂર્ણ

ઇસનપુર પોલીસ સ્ટેશનના સહયોગથી રક્તદાન શિબિરનું કરાયું આયોજન, 300 બોટલનું ટાર્ગેટ પૂર્ણ

326
0

(જી.એન.એસ રવીન્દ્ર ભદોરિયા).તા.૧૯

અમદાવાદ ખાતે આવેલ ઇસનપુર પોલીસ સ્ટેશન ના સહયોગથી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિર અંગે ઇસનપુર પોલીસ સ્ટેશન ના પી.આઈ જે.એમ સોલંકી સાથે અન્ય તમામ પોલીસ અધિકારીઓ હજાર રહ્યા હતા. ઇસનપુર પોલીસ સ્ટેશનના પી આઈ જે એમ સોલંકીએ જણાવ્યું હતું કે આ રક્તદાન શિબિર માં હિન્દૂ-મુસ્લિમ અને અન્ય જ્ઞાતિઓ એ સાથ સહકાર આપ્યો જેના કારણે આ રક્તદાન શિબિર સફળ થઇ. થેલેસેમિયા ના બાળકો માટે ઇસનપુર પોલીસ કર્મીઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

એમ સોલંકી એ વધુ માં જણાવ્યું કે અમારો ઉદ્દેશ્ય 300 રક્તની બોટલ કરવાનું છે જેમાં અત્યાર સુધીમાં 100 થી પણ વધારે બોટલ નું રક્ત રક્તદાતાઓ એ આપી દીધું હતું. આજે ઇસનપુર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મીઓએ રક્તદાન શિબિર કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મુસ્લિમ વિસ્તારમાં બધા જ હિન્દૂ મુસ્લિમની એકતાને એકત્રિત કરી ભાઈ ચારાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યારે આજે ગુજરાતની હોસ્પિટલમાં ઘણા મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને ઇમર્જન્સીમાં જરૂર પડે છે.ત્યારે ઇસનપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ આ તમામ વર્ગ માટે રક્તદાન કરી એક મહત્વની ભૂમિકા ભજવી હતી. રક્તદાન શ્રેષ્ઠ દાન હોય છે રક્તદાન કરવાથી શરીર સ્વસ્થ રહે છે ત્યારે આ રક્તદાન શિબિરમાં હિન્દૂ- મુસ્લિમ ભાઈઓએ રક્તદાન કર્યું હતું

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતના રાજકારણમાં સક્રિય થવા “આપ”નો થનગનાટ..!
Next article24 ફેબ્રુઆરી કદાચ “યોગા ડે” ની જેમ “ફ્રેંડશીપ ડે” ઘોષીત થાય તો…..?!