Home ગુજરાત આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદોના નિવારણનું અસરકારક માધ્યમ બની c-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ

આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદોના નિવારણનું અસરકારક માધ્યમ બની c-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ

25
0

(G.N.S) dt. 16

મોબાઈલ એપ્લિકેશન અને વેબપોર્ટલના માધ્યમથી ૧૬ સુધીમાં કુલ ૭૮૨ ફરિયાદ નોંધાઇ

અમદાવાદ,


મળેલી ફરિયાદો પૈકી નિકાલપાત્ર ૬૭૩માંથી ૯૮ ટકા ફરિયાદોનો ૧૦૦ મિનિટની સમયાવધિમાં નિકાલ કરાયો

દેશભરમાં આયોજિત થનાર લોકસભા સાન્ય ચૂંટણી અન્વયે નિષ્પક્ષ મતદાન થાય તથા તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે રાજ્ય ચૂંટણી પંચના દિશાનિર્દેશ અનુસાર જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે. મતદારો અને જાગૃત નાગરિકોને વિવિધ એપ્લિકેશન અને વેબ પોર્ટલના માધ્યમથી અલગ અલગ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે.

C-Vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ પણ આવી જ એક સુવિધા છે. આ બંને માધ્યમો દ્વારા કોઈપણ જાગૃત નાગરિક તેમના ધ્યાને આવતા આચારસંહિતા ઉલ્લંઘનના કિસ્સાને ચૂંટણી વહીવટી તંત્ર સુધી મોકલી શકે છે. C-Vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલના માધ્યમથી નાગરિકો આચારસંહિતા ઉલ્લંઘનના ફોટોગ્રાફ અને લોકેશન સહિતની જાણકારી ઓનલાઈન મોકલી શકે છે. જે મળ્યા બાદથી ૧૦૦ મિનિટમાં આ ફરિયાદનું નિવારણ લાવવા માટે તંત્ર કાર્યરત થઈ જાય છે.

આચારસંહિતા લાગુ થયા બાદથી તા.૧૬ એપ્રિલ સુધીમાં મોબાઈલ એપ્લિકેશન અને વેબપોર્ટલના માધ્યમથી અમદાવાદમાં આવી કુલ ૭૮૨ ફરિયાદ નોંધાઇ છે. જેમાંથી નિકાલપાત્ર ૬૭૩માંથી ૬૬૨ ફરિયાદો, એટલે કે ૯૮ ટકા ફરિયાદોનો નિકાલ ૧૦૦ મિનિટની સમયાવધિમાં કરાયો છે. જ્યારે બાકી ૧૧ ફરિયાદનો પણ વિના વિલંબે નિકાલ કરવામાં આવ્યો છે.

આમ, ટેકનોલોજીના યથાર્થ ઉપયોગ થકી નિષ્પક્ષ અને તટસ્થ લોકસભા ચૂંટણી માટે C-Vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદેવભૂમિ દ્વારકા જિલ્લામાથી ચરસ ભરેલુ બિનવારસી બૉક્સ પકડાયુ
Next articleભાજપ ના અમદાવાદ પશ્ચિમ લોકસભાના ના ઉમ્મેદવાર દિનેશભાઈ મકવાણા એ નામાંકન ભર્યું