Home રમત-ગમત Sports આઇસીસી ટુર્નામેન્ટમાં ભારતની નિષ્ફળતા અંગે ચેટ જીપીટી કહ્યું આવું!

આઇસીસી ટુર્નામેન્ટમાં ભારતની નિષ્ફળતા અંગે ચેટ જીપીટી કહ્યું આવું!

14
0

(GNS),14

આઇસીસી ટ્રોફી જીતવાનું ભારતીય ટીમનું સ્વપ્ન ફરી એક વાર રોળાઈ ગયું છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)માં ભારત ઓસ્ટ્રેલિયા સામે ખરાબ રીતે હારી ગયું છે. ભારત છેલ્લે વર્ષ 2013માં એમએસ ધોનીનાં નેતૃત્વમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતું. છેલ્લાં 10 વર્ષમાં ભારત આઇસીસી ટુર્નામેન્ટમાં ચાર ફાઇનલ અને અનેક સેમીફાઇનલમાં હારી ચૂક્યું છે. સતત બીજી વાર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં હાર બાદ ટીમની પસંદગી અને દેખાવ અંગે અનેક સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ક્રિકેટ નિષ્ણાતોએ આ અંગે પોતપોતાની રીતે સમીક્ષા કરી છે અને હારનાં કારણો જણાવ્યા છે, પણ આપણે એઆઇ ટુલ ચેટ જીપીટી શું કારણો જણાવે છે તે જોઇએઃ

ચેટ જીપીટીએ જણાવ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન અનેક બાબતોથી પ્રભાવિત થાય છે. અહીં એવું કહેવું ખોટું નહીં ગણાય કે ભારતીય ટીમે આઇસીસી ટુર્નામેન્ટમાં જીત અને હાર બંનેનો અનુભવ કર્યો છે. એ સમજવું જરૂરી છે કે ક્રિકેટ અત્યંત પ્રતિસ્પર્ધાત્મક રમત છે અને અનેક બાબતો ટીમનાં પ્રદર્શન પર અસર કરે છે. ભારતીય ક્રિકેટ ટીમ પર હંમેશા ક્રિકેટ પ્રશંસકો અને મિડીયાનું દબાણ હોય છે. લોકોને ક્રિકેટનો ખૂબ શોખ હોવાથી ટીમ પર આશા વધી જાય છે, જે આઇસીસી ટુર્નામેન્ટમાં ટીમની માનસિકતા પર અસર કરે છે.

આઇસીસી ટુર્નામેન્ટ વિદેશી ધરતી રમાતી હોય છે, જેને કારણે ભારતીય ખેલાડીઓ માટે સ્થિતિ અલગ હોય છે. અલગ પીચ, બદલાયેલું હવામાન અને મેદાન વગેરે પડકારજનક સાબિત થાય છે. ઘણી વાર ભારતીય ટીમના અનુભવી ખેલાડીઓને બદલે યુવાન ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે, જેઓ ઓછાં અનુભવી હોય છે. દબાણ હોય તેવી મેચોમાં તેમનાં દેખાવ પર અસર થાય છે. ભારતીય ટીમની રણનીતિઓ, ટીમની પસંદગી, કોચિંગ સ્ટાફ દ્વારા લેવામાં આવેલા મહત્વનાં નિર્ણય અને ટીમ મેનેજમેન્ટ આઇસીસી ટુર્નામેન્ટમાં ટીમનાં દેખાવ પર અસર કરે છે. કેટલાંક ખોટાં નિર્ણયો ટીમની વિરુધ્ધ જાય છે.

કોઈ પણ ટીમની જેમ ભારતીય ટીમનો દેખાવ પણ ખેલાડીઓનાં ફોર્મ અને ફિટનેસ પર આધાર રાખે છે. જો તમારા ખેલાડીઓ સંપૂર્ણપણે ફીટ ન હોય અથવા તો ઇજાગ્રસ્ત હોય તો તે ટીમનાં દેખાવ પર મોટી અસર કરે છે. ખાસ કરીને, આઇસીસી ટુર્નામેન્ટમાં, જ્યાં ટીમનાં મુખ્ય ખેલાડીઓનું ફોર્મ ટીમની જીત કે હારનું અંતર બનાવી શકે છે. આઇસીસી ટુર્નામેન્ટમાં વિશ્વની બેસ્ટ ટીમો જ ભાગ લેતી હોય છે અને મજબૂત સ્પર્ધા હોય છે. ભારતીય ટીમ દર વખતે ઉમદા હરીફ ટીમનો મુકાબલો કરે છે, જે ભૂતકાળમાં ખૂબ સારો દેખાવ કરી ચૂકી હોય છે. મજબૂત ટીમ સામે રમવું કોઈ પણ ટીમ માટે ખૂબ પડકારજનક હોય છે. ટીમનો દેખાવ અલગ અલગ ટુર્નામેન્ટમાં અલગ અલગ હોય છે. ઘણાં પરિબળો સાથે મળીને આઇસીસી ટુર્નામેન્ટમાં તમારી સફળતા અને સંઘર્ષ પર અસર કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleTNPLના આ ખેલાડીએ છેલ્લા બોલ પર 18 રન આપ્યા
Next articleવેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ રોહિતના ટેસ્ટ સુકાનીપદ વિષે થઇ શકે ચર્ચા