Home ગુજરાત અહો આશ્ચર્યમ્ ઃ રૂપાણી રાજમાં વિધાનસભા સંકુલમાં જ વ્યસન મુક્તિ અભિયાનના ધજાગરા…!!

અહો આશ્ચર્યમ્ ઃ રૂપાણી રાજમાં વિધાનસભા સંકુલમાં જ વ્યસન મુક્તિ અભિયાનના ધજાગરા…!!

927
0

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.26

સરકાર એક તરફ વ્યસન મુક્તિ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.ગુજરાતના ધારાસભ્યોની હાલત ઠીક રહેતી નથી તેથી સભાગૃહનો સમય બદલવામાં આવ્યો છે.ત્યારે વિધાનસભા સંકુલમાં જ પાન મસાલાના ગલ્લા જોવા મળે છે. જ્યાં પણ બીડી સિગારેટ અને ગુટકાના હારડા લટકે છે. વિધાનસભા સંકુલમાં જ જો માનવ આરોગ્ય માટે હાનિકારક ચીજવસ્તુઓ વેચાતી હોય તો શાળાની નજીકમાં જ આવી હાટડીઓ જોવા મળે તો તેમાં વાંક ગલ્લા વાળાઓનો નહિ ગણાય પણ સરકારનો જ કહી શકાય.
વર્ષોથી વિધાનસભાનો સમય દર શુક્રવારે સવારના 8.30 વાગયોનો હતો.ધારાસભ્યો ડાયાબિટીસ,હાઇપર ટેન્શન .બીપી વગેરેથી પીડાય છે.સવારે તેમને જાગવામાં મોડું થાય છે તેથી સમય બદલીને 8.30ને બદલે 9.90 કરાયો. ધારાસભ્યોને પોતાના આરોગ્યની સાથે પ્રજાના આરોગ્યની પણ ચિંતા કરીને વિધાનસભા સંકુલમાં આરોગ્ય માટે હાનિકારક ગલ્લા અંગે પણ વિચારે તો સારું. બાકી તો સત્ર મલ્યા કરશે અને હાટડીઓ ધમધમતી રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોદીજી દેશને બુલેટ ટ્રેનની નહીં ‘ભ્રષ્ટાચારમુક્ત’ ટ્રેનની જરૂર છે
Next articleમોદી-શાહની ગેરહાજરીમાં ફ્લોર મેનેજમેન્ટમાં નિષ્ફળ રૂપાણી સરકાર કોંગ્રેસના શરણે પડી ગઈ?