Home વ્યાપાર જગત - BUSINESS મેટલ અને એનર્જી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં નીચા મથાળે ફંડોનું વેલ્યુબાઈંગ…!!

મેટલ અને એનર્જી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં નીચા મથાળે ફંડોનું વેલ્યુબાઈંગ…!!

79
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૨.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૬૨૧.૧૯ સામે ૫૭૭૯૯.૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૦૫૮.૭૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૬૮.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૭.૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૮૦૮.૫૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૧૮.૩૦ સામે ૧૭૨૬૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૦૪૮.૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૫.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૮.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૨૫૬.૬૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. નાણા પ્રધાન નિર્મલા સીતારામ દ્વારા ગત સપ્તાહે નેગેટીવ ઈઝ બિગ પોઝિટીવ કેન્દ્રિય બજેટ રજૂ કરીને દેશના લાંબાગાળાના આર્થિક -ઔદ્યોગિક વિકાસની જોગવાઈઓ કરીને અને સામાન્ય જનતા પર નવા ખાસ વેરા બોજ નહીં લાદીને અને ફુગાવા-મોંઘવારીના પ્રમુખ જોખમી પરિબળ સામે સરકારે મૂડી ખર્ચમાં જંગી વધારો કરવાની બજેટમાં જોગવાઈ કરીને રોજગારીમાં મોટી વૃદ્વિ લાવવાની કરેલી પહેલને લઈ ભારતમાં આગામી દિવસોમાં મોટાપાયે વિદેશી રોકાણનો પ્રવાહ વહેતો થવાના અંદાજોએ આગોતરી તક ઝડપી લોકલ ફંડો, મહારથીઓએ ગઇકાલ ના નોંધપાત્ર ઘટાડા બાદ નીચા મથાળેથી શેરોમાં વેલ્યુબાઈંગ થતાં ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

કોર્પોરેટ પરિણામોની ડિસેમ્બર ૨૦૨૧ની સીઝનમાં એકંદર સારા પરિણામ છતાં અને દેશ કોરોના કાળમાંથી બહાર આવીને ઝડપી આર્થિક – ઔદ્યોગિક વિકાસના પંથે સવાર થઈ રહ્યો હોવા છતાં નેગેટીવમાં પોઝિટીવ અને પોઝિટીવ પરિબળોમાં નેગેટીવ બજારની ચાલ બતાવી ખેલંદાઓ, ટ્રેડરોને ખુવાર કરવાનો ફંડો, મહારથીઓનો ખેલ ચાલુ રહ્યો છે. ફંડોએ આજે મેટલ અને એનર્જી શેરોની આગેવાનીએ તેજી કર્યા સામે યુટિલિટીઝ, પાવર, કેપિટલ ગુડ્સ અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં મોટું પ્રોફિટ બુકિંગ કર્યું હતું. જ્યારે સ્મોલ, મિડ કેપ, કેશ સેગ્મેન્ટમાં શેરોમાં વેચવાલી ચાલુ રાખી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, એનર્જી, બેન્કેક્સ, ઓટો, ટેલિકોમ, ફાઈનાન્સ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૯૧ અને વધનારની સંખ્યા ૧૦૪૧ રહી હતી, ૭૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૯૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૨૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વિશ્વમાં મહામારી પછી સતત વધી રહેલ ફુગાવાના કારણે વ્યાજદર વધારવા અને નાણાંપ્રવાહિતા ઘટાડવા માટે સેન્ટ્રલ બેંકો વિચાર કરી રહી છે. આ સ્થિતિમાં ભારતમાં પણ વૈશ્વિક ઉંચા વ્યાજદરની અસરથી નાણાંનો પ્રવાહ ઘટે તો બોન્ડ માર્કેટમાં યિલ્ડ વધી શકે છે. યુએસ ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવાના સંકેત આપી ચૂકી છે અને બેંક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજદર વધારીને ૦.૫% કર્યા છે. બ્રાઝિલની સેન્ટ્રલ બેંકે ૩જી ફેબ્રુઆરી સતત આઠમી વખત વ્યાજદરમાં વધાર્યો હતો અને પાંચ વર્ષમાં પ્રથમ વખત વ્યાજ ૧૦.૭૫% ના ડબલ ડિજિટ આંકડામાં પહોંચ્યા છે.

વિશ્વની ટોચની સેન્ટ્રલ બેંકો ૨૦૨૨માં મોંઘવારી કાબૂમાં લેવા અને અન્ય કારણોસર સ્ટીમ્યુઅલ ઘટાડીને વ્યાજદરમાં વધારો કરવાની તૈયારીમાં છે તેવામાં સમગ્ર વિશ્વ અર્થવ્યવસ્થામાંથી લિક્વિડિટી પરત ખેંચાતા ભારત જેવા દેશોને ફટકો પડશે. સામે પક્ષે ભારતમાં પણ વ્યાજદરમાં વધારો કરવાની આરબીઆઈને ફરજ પડશે તેવામાં નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માટે સરકારે ગત સપ્તાહે રજૂ કરેલ બજેટમાં બજાર અનુમાન કરતા પણ વધારે ઋણ એકત્ર કરવાની જાહેરાત કરતા ભારતના ડેટ માર્કેટમાં દબાણ જોવા મળી રહ્યું છે. તાજેતરમાં માજ આરબીઆઈએ યોજેલ ઓક્શનમાં પણ સંકેત મળ્યાં છે કે ભારતમાં આગામી ટૂંક સમયમાં વ્યાજદરમાં ખૂબ જ ઝડપી વ્યાજદર વધારો થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅનેક પ્રતિકૂળ અહેવાલો પાછળ ફંડોની સતત નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ૧૦૨૩ પોઈન્ટનો નોંધપાત્ર કડાકો..!!!
Next articleરિઝર્વ બેંક દ્વારા સતત દશમી વખત વ્યાજદર યથાવત્ રાખતા ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.