Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૧૮/૦૪/૨૦૨૬)
- નાસિક ટીસીએસ કેસ ‘ખૂબ જ ચિંતાજનક બાબત, કોઈને પણ છોડવામાં નહીં આવે’: મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડણવીસ
- મોરબીના આમરણમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ભવ્ય ‘વિકાસ સંકલ્પ સભા’ યોજાઈ
- ગુજરાત પોલીસનો સપાટો: નાર્કોટિક્સનાં ગુન્હામાં સંડોવાયેલા વધુ પાંચ રીઢા આરોપીઓની PIT NDPS હેઠળ અટકાયત; જેલ હવાલે કરાયા
- યુએસએસ અબ્રાહમ લિંકન અરબી સમુદ્રમાં યુએસ નાકાબંધી કામગીરીનું નેતૃત્વ કરે છે: સેન્ટકોમ
- આજ નું પંચાંગ (૧૮/૦૪/૨૦૨૬)
- સામાન્ય ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ 2026: તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં 865 કરોડ રૂપિયાથી વધુની જપ્તી
- નવી દિલ્હીમાં આર્મી કમાન્ડરોનું સંમેલન સમાપ્ત
- બેવડી નાગરિકતાનો આરોપ: અલ્હાબાદ હાઈકોર્ટે યુપી સરકારને રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવાનો નિર્દેશ આપ્યો
- ‘જેફરી સાથે કોઈ જોડાણ નથી’: ટ્રમ્પે મેલાનિયા વિશે એપ્સટિન લિંકના દાવાઓને નકારી કાઢ્યા, તેને નકલી સમાચાર ગણાવ્યા
- ઝારખંડમાં એન્કાઉન્ટર દરમિયાન વોન્ટેડ માઓવાદી સહદેવ મહતો સહિત ૪ ના મોત
- સંસદમાં સીમાંકન બિલ પર NDA ની સંખ્યામાં થયો વધારો; આંધ્ર પ્રદેશથી જગન મોહન રેડ્ડીની YSRCP સીમાંકન પર કેન્દ્રને સમર્થન આપશે
Browsing: #modigovernment
(જી.એન.એસ) તા. 1 નવી દિલ્હી, સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું…
(જી.એન.એસ) તા. 1 નવી દિલ્હી, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કર્યું છે. સતત 8મી વખત…
(જી.એન.એસ) તા. 1 અમદાવાદ, શહેરના વટવા વિસ્તારમાં આવેલી લીઓ ઇંગ્લિશ સ્કૂલને સેફ મોબિલીટી માર્ગદર્શિકા અને સહકાર માટે અમદાવાદ ખાતે પ્રથમ…
(જી.એન.એસ) તા. 28 નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં અમેરિકા જઈ શકે છે. આ જાણકારી ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે…
(જી.એન.એસ) તા. 28 અમદાવાદ, અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદશ્રી દિનેશ મકવાણા દ્વારા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવને અનુરોધ કર્યો હતો કે,…
(જી.એન.એસ) તા. 28 ભુવનેશ્વર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાનાં ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025 અને મેક ઇન ઓડિશા પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. અહિં જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી, 2025માં ઓડિશાની આ તેમની બીજી મુલાકાત હતી. જેમાં પ્રવાસી ભારતીય દિવસ 2025નાં કાર્યક્રમનું ઉદઘાટન કરવા માટે તેમની મુલાકાતને યાદ કરવામાં આવી હતી. ઓડિશામાં આ અત્યાર સુધીની સૌથી મોટી બિઝનેસ સમિટ હોવાનું નોંધતા શ્રી મોદીએ કહ્યું હતું કે, મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025માં આશરે 5થી 6 ગણા વધારે રોકાણકારો સહભાગી થયા છે. તેમણે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ ઓડિશાનાં લોકો અને સરકારને અભિનંદન પણ આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પૂર્વીય ભારત દેશનાં વિકાસમાં વૃદ્ધિનું એન્જિન છે અને ઓડિશા તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.” તેમણે જણાવ્યું કે ઐતિહાસિક ડેટા એ પણ દર્શાવે છે કે જ્યારે ભારતે વૈશ્વિક વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી ત્યારે પૂર્વીય ભારતનું યોગદાન નોંધપાત્ર હતું. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, પૂર્વ ભારતમાં ઔદ્યોગિક કેન્દ્રો, બંદરો, વેપારનાં મોટાં કેન્દ્રો છે અને તેમાં ઓડિશાની ભાગીદારી નોંધપાત્ર છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ઓડિશા દક્ષિણ પૂર્વ એશિયાના વેપારમાં મહત્ત્વપૂર્ણ કેન્દ્ર હતું અને બંદરો ભારત માટે પ્રવેશદ્વાર હતા.” તેમણે ઉમેર્યું હતું કે ઓડિશામાં આજે પણ બાલી યાત્રા ઉજવવામાં આવે છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની ભારતની તાજેતરની મુલાકાતને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, તેમનાં ડીએનએમાં ઓડિશાનાં ચિહ્નો હોવાની શક્યતા છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ઓડિશા વારસાની ઉજવણી કરે છે, જે તેને દક્ષિણ પૂર્વ એશિયા સાથે જોડે છે. તેમણે ઉમેર્યું હતું કે, ઓડિશાએ હવે 21મી સદીમાં ભવ્ય વારસાને પુનર્જીવિત કરવાનું શરૂ કર્યું છે. તેમણે નોંધ્યું હતું કે, સિંગાપોરનાં રાષ્ટ્રપતિએ તાજેતરમાં ઓડિશાની મુલાકાત લીધી હતી અને સિંગાપોર ઓડિશા સાથેનાં તેમના સંબંધોને લઈને અતિ ઉત્સાહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આસિયાન દેશોએ ઓડિશા સાથે વેપાર અને પરંપરાગત જોડાણોને મજબૂત કરવા માટે પણ રસ દાખવ્યો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં આઝાદી પછી અત્યાર સુધીમાં અગાઉ ક્યારેય નહોતી એવી અનેક તકો ખુલી રહી છે. તેમણે ઉપસ્થિત તમામ રોકાણકારોને આહવાન કરતાં જણાવ્યું હતું કે, અત્યારે ઓડિશાની વિકાસયાત્રામાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે અને તેમણે ખાતરી આપી હતી કે, તેમનું રોકાણ સફળતાની નવી ઊંચાઈઓ તરફ દોરી જશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “ભારત કરોડો લોકોની આકાંક્ષાઓથી સંચાલિત વિકાસનાં માર્ગે અગ્રેસર છે.” શ્રી મોદીએ જણાવ્યું હતું કે, એઆઇનો અર્થ ભારતની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આકાંક્ષા એમ બંને છે, જે દેશની તાકાત છે. તેમણે કહ્યું હતું કે જ્યારે લોકોની જરૂરિયાતો પૂર્ણ થાય છે, ત્યારે આકાંક્ષાઓ વધે છે અને વીતેલા દાયકામાં કરોડો નાગરિકોને સશક્ત બનાવ્યાં છે, જેનાથી દેશને લાભ થયો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઓડિશા આ આકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઓડિશાને ઉત્કૃષ્ટ ગણાવ્યું હતું, જે નવા ભારતનાં આશાવાદ અને મૌલિકતાનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું હતું કે, ઓડિશા પાસે અસંખ્ય તકો છે અને તેનાં લોકોએ હંમેશા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટેનો જુસ્સો દર્શાવ્યો છે. ઓડિશાનાં લોકોનાં કૌશલ્ય, આકરી મહેનત અને પ્રામાણિકતાને નિહાળવાનો પોતાનો વ્યક્તિગત અનુભવ ગુજરાતમાં વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ઓડિશામાં નવી તકો ઊભી થવાની સાથે રાજ્ય ટૂંક સમયમાં વિકાસની અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચશે. તેમણે ઓડિશાનાં વિકાસને વેગ આપવાનાં પ્રયાસો માટે મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝી અને તેમની ટીમની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ઓડિશા ખાદ્ય પ્રસંસ્કરણ, પેટ્રોરસાયણ, બંદર સંચાલિત વિકાસ, મત્સ્યપાલન, આઇટી, એડ્યુટેક, ટેક્સટાઇલ્સ, પ્રવાસન, ખાણકામ અને હરિત ઊર્જા સહિત વિવિધ ઉદ્યોગોમાં ભારતનાં અગ્રણી રાજ્યોમાંનું એક બની રહ્યું છે. ભારત ઝડપથી દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાની દિશામાં પ્રગતિ કરી રહ્યું છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પાંચ ટ્રિલિયન ડોલરનાં અર્થતંત્રની સીમાચિહ્નરૂપ સિદ્ધિ બહુ દૂર નથી. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં એક દાયકામાં ઉત્પાદન ક્ષેત્રમાં ભારતની તાકાત પણ સ્પષ્ટ થઈ ગઈ છે. પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, ભારતનાં અર્થતંત્રનું વિસ્તરણ બે મુખ્ય આધારસ્તંભ છેઃ નવીન સેવા ક્ષેત્ર અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશની ઝડપી પ્રગતિ ફક્ત કાચા માલની નિકાસ પર નિર્ભર ન હોઈ શકે અને એટલે સંપૂર્ણ ઇકોસિસ્ટમ નવા વિઝન સાથે પરિવર્તિત થઈ રહી છે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારત ખનિજોનાં ઉત્પાદન અને મૂલ્ય સંવર્ધન માટે તેને વિદેશમાં મોકલવાનાં વલણમાં પરિવર્તન લાવી રહ્યું છે, જેથી એ ઉત્પાદનો ભારતમાં પાછાં ફરે. એ જ રીતે, તેમણે ઉમેર્યું હતું કે, અન્ય દેશોમાં પ્રોસેસિંગ માટે સીફૂડની નિકાસ કરવાના ટ્રેન્ડમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સરકાર ઓડિશામાં સંસાધનો સાથે સંબંધિત ઉદ્યોગો રાજ્યની અંદર સ્થાપિત થાય એ સુનિશ્ચિત કરવા કામ કરી રહી છે. તેમણે પ્રકાશ પાડ્યો કે ઉત્કર્ષ ઓડિશા કોનક્લેવ 2025એ આ દ્રષ્ટિને સાકાર કરવા માટેનું એક સાધન છે. વિશ્વ સતત જીવનશૈલી પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને હરિયાળા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે એ બાબતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ગ્રીન જોબ્સની સંભવિતતામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેમણે સમયની માંગ અને જરૂરિયાતોને સ્વીકારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારત ગ્રીન ટેકનોલોજી અને સૌર, પવન, હાઇડ્રો અને ગ્રીન હાઇડ્રોજન સહિત હરિયાળા ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જે વિકસિત ભારતની ઊર્જા સુરક્ષાને ઊર્જા પ્રદાન કરશે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ઓડિશામાં આ સંબંધમાં પ્રચૂર સંભવિતતા છે અને તેમણે જણાવ્યું હતું કે, દેશે રાષ્ટ્રીય સ્તરનાં ગ્રીન હાઇડ્રોજન અને સૌર ઊર્જા અભિયાનો શરૂ કર્યા છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ઓડિશામાં પુનઃપ્રાપ્ય ઊર્જાનાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ નીતિગત નિર્ણયો લેવામાં આવ્યાં છે અને હાઇડ્રોજન ઊર્જાનાં ઉત્પાદન માટે કેટલાંક પગલાં લેવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, હરિયાળી ઊર્જાની સાથે-સાથે ઓડિશામાં પેટ્રો અને પેટ્રોરસાયણ ક્ષેત્રનાં વિસ્તરણ માટે પણ વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે. તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે પારાદીપ અને ગોપાલપુરમાં સમર્પિત ઔદ્યોગિક ઉદ્યાનો અને રોકાણ ક્ષેત્રો વિકસાવવામાં આવી રહ્યાં છે, જે આ ક્ષેત્રમાં રોકાણની નોંધપાત્ર સંભવિતતા સૂચવે છે. શ્રી મોદીએ ઓડિશા સરકારને રાજ્યમાં વિવિધ પ્રદેશોની સંભવિતતાને ધ્યાનમાં રાખીને ઝડપી નિર્ણયો લેવા અને નવી ઇકોસિસ્ટમ વિકસાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “21મી સદી એ ભારત માટે કનેક્ટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીનો યુગ છે.” શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં જે સ્કેલ અને ઝડપે વિશિષ્ટ માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, તે દેશને રોકાણ માટે ઉત્કૃષ્ટ સ્થળ બનાવી રહી છે. તેમણે નોંધ્યું હતું કે સમર્પિત નૂર કોરિડોર પૂર્વ અને પશ્ચિમ દરિયાકિનારાને જોડતા હતા, જે અગાઉ જમીનથી ઘેરાયેલા પ્રદેશો માટે દરિયામાં ઝડપથી પ્રવેશ પૂરો પાડતા હતા. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ ધરાવતાં ડઝનેક ઔદ્યોગિક શહેરોનું નિર્માણ સમગ્ર દેશમાં થઈ રહ્યું છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઓડિશામાં પણ આવી જ તકો વધી રહી છે અને રાજ્યમાં રેલવે અને હાઇવે નેટવર્ક સાથે સંબંધિત હજારો કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, ઓડિશામાં ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા માટે સરકાર બંદરોને ઔદ્યોગિક ક્લસ્ટર્સ સાથે જોડી રહી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, હાલનાં બંદરોનું વિસ્તરણ અને નવા બંદરોનું નિર્માણ એમ બંને થઈ રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બ્લ્યૂ ઈકોનોમીની દ્રષ્ટિએ ઓડિશા દેશના ટોચના રાજ્યોમાંનું એક બનવાનું છે.…
(G.N.S) dt. 25 તાપી. કચરો એકત્ર કરી રિસાયકલ કરવા માટે એજન્સીઓને કચરો વેચી તમામ ગ્રામ પંચાયતો આવક મેળવશે તાપી જિલ્લામાં…
(જી.એન.એસ) તા. 25 ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)ના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે શુક્રવારે કચ્છ-ભુજમાં આયોજિત બે અલગ-અલગ કાર્યક્રમોમાં ટર્નવુડ મશીનો, વિદ્યુત ચાલિત ચાકનું અને પરંપરાગત ચરખાનું વિતરણ કર્યું હતું. ખાવડા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં લાભાર્થીઓને 50 ટર્નવુડ મશીનો, 20 વિદ્યુત ચાલિત ચાક અને 10 પરંપરાગત ચરખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જ ક્રમમાં, ભુજ હાટ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલની હાજરીમાં 80 વિદ્યુત ચાલિત ચાક અને 90 પરંપરાગત ચરખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજ હાટ ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) હેઠળ ઓનલાઈન માધ્યમ દ્વારા રૂ. 349.99 કરોડની માર્જિન મની સબસિડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ દ્વારા દેશભરમાં 8962 નવા એકમો સ્થાપિત થયા છે અને 98582 નવા લોકોને રોજગાર મળ્યો છે, જ્યારે ગુજરાતમાં 352 નવા એકમોને 39 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી છે, જેનાથી 3872 નવી નોકરીઓનું સર્જન થયું છે. આ કાર્યક્રમને સંબોધતા, KVIC ના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે KVIC દ્વારા વિતરણ કરવામાં આવી રહેલા ઉપકરણો ફક્ત ઉપકરણો નથી પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘આત્મનિર્ભર ભારત’ ના નિર્માણ તરફ એક મજબૂત પગલું છે. આ સંસાધનો દ્વારા, લાભાર્થીઓ તેમની આજીવિકાને મજબૂત બનાવશે અને સાથે સાથે દેશના ‘વોકલ ફોર લોકલ’ અભિયાનમાં પણ યોગદાન આપશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ મહાત્મા ગાંધીના વિચારો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાનો વધુ એક પ્રયાસ છે. શ્રી મનોજ કુમારે માહિતી આપી હતી કે ગુજરાતમાં 244 નોંધાયેલ ખાદી સંસ્થાઓ દ્વારા 23,505 કારીગરો અને વણકરોને રોજગારી આપવામાં આવી રહી છે. વર્ષ 2024-25માં ગુજરાતમાં ખાદીનું ઉત્પાદન 174.45 કરોડ રૂપિયા હતું અને કુલ વેચાણ 327.72 કરોડ રૂપિયા હતું. આ નાણાકીય વર્ષમાં PMEGP હેઠળ 1,255 નવા પ્રોજેક્ટ્સ સ્થાપવામાં આવ્યા હતા, જ્યારે 150 કરોડ રૂપિયાથી વધુની માર્જિન મની સબસિડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં 5 નવા SFURTI ક્લસ્ટરોની સ્થાપના કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન, KVICના અધ્યક્ષે ખાદી ક્ષેત્રે છેલ્લા 10 વર્ષની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન, ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું વેચાણ પાંચ ગણું વધીને રૂ. 31000 કરોડથી રૂ. 155000 કરોડ થયું છે. ખાદીના કપડાંનું વેચાણ છ ગણું વધીને રૂ. 1081 કરોડથી વધીને રૂ. 6496 કરોડ થયું છે. અધ્યક્ષે કહ્યું, “છેલ્લા 10 વર્ષમાં ખાદી કારીગરોની આવકમાં 213%નો વધારો થયો છે. આજે ખાદી માત્ર કાપડ નથી પરંતુ ભારતની ઓળખ બની ગઈ છે.” ખાદી ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી પર વિશેષ ભાર મૂકતા તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં 80%થી વધુ યોગદાન માતાઓ અને બહેનોનું છે. વિતરણ કાર્યક્રમમાં ખાદી સંસ્થાઓના પ્રતિનિધિઓ, પીએમઇજીપી એકમોના લાભાર્થીઓ, ખાદી કામદારો, ગુજરાત સરકાર અને કેવીઆઈસીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
(જી.એન.એસ) તા. 25 અમદાવાદ, પી એમ શ્રી કેન્દ્રિય વિદ્યાલય અમદાવાદ છાવણી ખાતે પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ શિક્ષકોનું મિલન સમારોહ 25 જાન્યુઆરી…
(જી.એન.એસ) તા. 25 નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટિપ્પણી કરી હતી કે રાષ્ટ્રીય મતદાતા દિવસ આપણી જીવંત લોકશાહીની…
