Browsing: #maharashtragoverment

(જી.એન.એસ) તા. 15 પુણે, રવિવારે બપોરે મહારાષ્ટ્રના પુણે જિલ્લાના દેહુના કુંડમાલા વિસ્તારમાં એક ભયાનક ઘટના બની હતી જ્યારે ઇન્દ્રાયણી નદી…

(જી.એન.એસ) તા. 4 મુંબઈ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના વડા રાજ ઠાકરેએ રાજ્યના શાળા શિક્ષણ મંત્રી દાદા ભૂસેને પત્ર લખીને…

(જી.એન.એસ) તા. 2 મુંબઈ/નાશિક, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી કે નાસિક અને ત્ર્યંબકેશ્વરમાં યોજાનાર સિંહસ્થ કુંભ મેળા ૨૦૨૭…

(જી.એન.એસ) તા. 22 મુંબઈ, બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનના ચાહકો હંમેશા અભિનેતાની એક ઝલક મેળવવા માટે ઉત્સુક રહે છે. સલમાન પણ…

(જી.એન.એસ) તા. 17 પુણે, આતંકવાદ વિરોધી દેશમાં વધુ એક મોટી કાર્યવાહી, રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ની ટીમ દ્વારા પ્રતિબંધિત આતંકી…

(જી.એન.એસ) તા. 16 મુંબઈ, મહારાષ્ટ્ર સરકારે, મુંબઈ પોલીસ વિભાગમાં એક નવી પોસ્ટને સત્તાવાર રીતે મંજૂરી આપી છે. હવે, મુંબઈ પોલીસને…

(જી.એન.એસ) તા. 12 સિંધુદુર્ગ, મહારાષ્ટ્ર સરકારે દરિયાકાંઠાના સિંધુદુર્ગ જિલ્લામાં રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું. શિવાજી મહારાજની પ્રતિમા…

(જી.એન.એસ) તા. 22 મુંબઈ, મહારાષ્ટ્રમાં ઘણા દિવસોથી ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે શાળાઓમાં હિન્દીની અનિવાર્યતા દૂર કરી…

(જી.એન.એસ) તા. 19 મુંબઈ, મુંબઈના વિલે પાર્લેના કાંબલીવાડીમાં સ્થિત વર્ષો જૂના પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર ને બુધવારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન…

(જી.એન.એસ) તા. 2 નંદુરબાર, ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓ દ્વારા નંદુરબારમાં સ્થિત હોલમાર્ક વગરની જ્વેલરી વેચતી જ્વેલરી શોપ, (1) મેસર્સ એન.એમ. જ્વેલર્સ, સોનાર ખુંટ, મરોલી ચોક, નંદુરબાર, મહારાષ્ટ્ર-425412, (2) મેસર્સ એમ.એમ. જ્વેલર્સ, N.A-2339, તિલક રોડ નંદુરબાર, મહારાષ્ટ્ર-425412, (3) મેસર્સ કન્હૈયાલાલ વિશ્વનાથ સરાફ (KVS) જ્વેલર્સ, ફડકે ચોક, તિલક રોડ, સરાફ બજાર, નંદુરબાર, મહારાષ્ટ્ર-425412 સામે દિનાંક 02.04.2025 ના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન, લગભગ (969.85) ગ્રામ BIS હોલમાર્ક વિનાના સોનાના દાગીના મળી આવ્યા હતા અને ત્રણેય જ્વેલરીની દુકાનોમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાંથી (1) મેસર્સ એન.એમ. જ્વેલર્સ પાસેથી 61.38 ગ્રામ (2) મેસર્સ એમ.એમ.જ્વેલર્સ પાસેથી 248.53 ગ્રામ સોનાના દાગીના અને (3) કન્હૈયાલાલ વિશ્વનાથ સરાફ (KVS) જ્વેલર્સ પાસેથી 659.94 ગ્રામ BIS હોલમાર્ક વગરના સોનાના દાગીના રિકવર કરવામાં આવ્યા હતા. BIS હોલમાર્ક વિના નંદુરબાર જિલ્લામાં સોનાના દાગીના વેચી શકાતા નથી. આથી ઉપરોક્ત જ્વેલર્સની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ભારત સરકાર દ્વારા જારી કરાયેલ 6 સપ્ટેમ્બર 2023ના હોલમાર્કિંગ ઓફ ગોલ્ડ જ્વેલરી એન્ડ ગોલ્ડ આર્ટીફેક્ટ્સ ઓર્ડર મુજબ સોનાના દાગીનાનું હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છ. મહારાષ્ટ્રના 28 જિલ્લામાં હોલમાર્કિંગ ફરજિયાત છે, જેમાંથી નંદુરબાર પણ એક છે. તેનો અર્થ એ કે કોઈપણ ઉત્પાદક અથવા વેપારી હોલમાર્ક કર્યા વિના સોનાના દાગીનાનું વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં. જો આમ કરતા જોવા મળશે, તો બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2016ની કલમ 15ના ઉલ્લંઘન માટે કાર્યવાહી કરવામાં આવશે. આ ગુના માટે એક વર્ષ સુધીની કેદ અથવા ઓછામાં ઓછા રૂ 1,00,000/-નો દંડ અથવા બંને થઈ શકે છે. અનૈતિક જ્વેલર્સ સામાન્ય રીતે લોકોને છેતરવા માટે હોલમાર્ક વગરના સોનાના દાગીના વેચે છે. બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ સમયાંતરે આવી સામગ્રીના ઉપયોગને કારણે સામાન્ય લોકોને છેતરપિંડી અને સંભવિત સુરક્ષા જોખમોથી બચાવવા માટે સંગ્રહિત માહિતી અનુસાર શ્રેણીબદ્ધ દરોડા પાડે છે. કોઈપણ વ્યક્તિ કે જેની પાસે બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના પ્રમાણપત્રના દુરુપયોગ વિશે માહિતી હોય અથવા ફરજિયાત પ્રમાણપત્ર હેઠળ આવરી લેવામાં આવતી પ્રોડક્ટના ઉત્પાદકો વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તે પ્રમુખશ્રી , બ્યૂરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, સુરત બ્રાન્ચ ઑફિસ, પહેલો માળ, ટેલિકોમ ભવન, કરીમાબાદ એડમિન બિલ્ડીંગ, ઘોડ દોડ રોડ – 395001 – 395001 – 91206201001 (Telecom-395001). subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેલ દ્વારા ફરિયાદ કરી શકાય છે. આવી માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.