Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં ડેરિવેટિવ્ઝ વલણ પૂર્વે શોર્ટ કવરિંગ થકી ૫૬૦ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!!

ભારતીય શેરબજારમાં ડેરિવેટિવ્ઝ વલણ પૂર્વે શોર્ટ કવરિંગ થકી ૫૬૦ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!!

136
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૪.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૩૮૬.૫૧ સામે ૪૮૪૨૪.૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૩૯૯.૫૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૦૯.૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૫૭.૬૩ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૯૪૪.૧૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૪૮૬.૨૦ સામે ૧૪૫૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૪૭૬.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૨.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૮.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૬૪૫.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

દેશ અસાધારણ ઐતિહાસિક કોરોના મહામારીની કટોકટીમાં ફસડાઈ પડયો છે, ત્યારે આ કટોકટીમાંથી બહાર આવતાં કેટલો સમય લાગશે એની અનિશ્ચિતતા અને આ કટોકટીના પરિણામે ભારતનું અર્થતંત્ર ઘેરા સંકટમાં આવી જવાની ભીતિ છતાં આ પરિસ્થિતિને અવગણીને આજે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજી તરફી ચાલ જોવા મળી હતી. દેશને આ સંકટમાંથી ઊગારવા હવે અમેરિકા, યુ.કે., રશીયા, જર્મની સહિતના દેશો મદદે દોડી આવતાં અને જોઈતી પૂરતી મદદ ટૂંક સમયમાં જ ભારત પહોંચતી કરવામાં આવી રહી હોઈ આ સંકટમાંથી ધારણાથી વહેલા બહાર આવી શકાશે એવા પોઝિટિવ અહેવાલે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

ભારતીય અર્થતંત્રને ફરી આર્થિક વિકાસની પટરી પર લાવવા મોદી સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસોથી ભારતમાં વૃદ્ધિની મોટી તકો જોઈ રહેલા ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં અવિરત મોટાપાયે ખરીદદાર બન્યા બાદ કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી ઉછાળે સતત પ્રોફિટ બુકિંગ જોવાઈ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં એફપીઆઈ અભિગમ અને કોરાના વાયરસના વધતાં કેસોની સ્થિતિ નજર રહેશે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, એનર્જી, ઈન્ડસ્ટ્રિયલ્સ, કેપિટલ ગુડ્સ અને મેટલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૧૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૦૪ અને વધનારની સંખ્યા ૧૯૫૧ રહી હતી, ૧૬૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાના ફરીથી વધેલા કેસોને કારણે લાગુ થઈ રહેલા નિયમનોથી આર્થિક વૃદ્ધિ સામે અનિશ્ચિતતા ઊભી થઈ છે. દેશમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો અર્થતંત્રની હાલની રિકવરી સામે મોટો પડકાર બની રહ્યો છે. આગામી દિવસોમાં બજારમાં અનિશ્ચિતતા સાથે અફડાતફડીનો ટ્રેન્ડ ચાલુ રહેવાની પૂરી સંભાવના છે. પાછલા દિવસોમાં વિપરીત ચાલે તેજીનો ટ્રેન્ડ અકબંધ રાખવાની પ્રયાસો બાદ ગત સપ્તાહમાં તેજીની પકડ ફંડો પણ ઢીલી મૂકતાં જોવાયા છે.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની શેરોમાં અવિરત વેચવાલી વધતી જોવાઈ રહી છે. આગામી દિવસોમાં ડેરિવેટીવ્ઝમાં ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં એપ્રિલ વલણનું અંત હોવાથી સાવચેતી જરૂરી બની રહેશે. આંતરરાષ્ટ્રીય મોરચે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા યોજાયેલ બે દિવસીય મીટિંગ બાદ ૨૮,એપ્રિલ ૨૦૨૧ના વ્યાજ દરના જાહેર થનારા નિર્ણય પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં અફડા તફડી સાથે તેજી તરફી માહોલ યથાવત્…!!
Next articleભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે આગામી દિવસોમાં નફારૂપી વેચવાલીની શક્યતા…!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.