Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં મે ફ્યુચર વલણનાં અંત પૂર્વે અફડાતફડીની શકયતા…!!

ભારતીય શેરબજારમાં મે ફ્યુચર વલણનાં અંત પૂર્વે અફડાતફડીની શકયતા…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૫.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૦૬૫૧.૯૦ સામે ૫૦૯૨૨.૩૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૦૪૭૪.૩૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૮૭.૦૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪.૩૭ પોઈન્ટના ઘટાડા સાથે ૫૦૬૩૭.૫૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૨૦૨.૬૫ સામે ૧૫૨૮૧.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૧૬૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૯.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૨૩૩.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં પીએસયુ કંપનીઓમાં મોટાપાયે ડિસઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે એવા સંકેત અને કોર્પોરેટ પરિણામોના અંતિમ દોરમાં ઘણી કંપનીઓના પરિણામો પ્રોત્સાહક આવતાં અને પેટ્રોલ, ડિઝલના વધતાં ભાવોએ ઓઈલ માર્કેટિંગ કંપનીઓની નફાશક્તિ વધવાની અપેક્ષાએ સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત મજબૂતીએ થઈ હતી.

કોરોના સક્રમણની બીજી લહેર અત્યંત ઘાતક નીવડયા બાદ હવે ત્રીજી લહેરની ચિંતા બતાવાઈ રહી હોવા છતાં અને કોરોનાના પરિણામે દેશભરમાં વિવિધ રાજયોમાં લોકડાઉનને લંબાવવામાં આવી રહ્યું હોઈ આર્થિક મોરચે દેશને મોટું નુકશાન થઈ રહ્યાના અને બેરોજગારીનું પ્રમાણ ચિંતાજનક વધી રહ્યું હોવાથી ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૧% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, ફાઈનાન્સ, યુટિલિટીઝ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૮૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૩૪ અને વધનારની સંખ્યા ૧૭૯૨ રહી હતી, ૧૫૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૫૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, મહામારી સામે આર્થિક સંકટ આવી રહ્યાનો સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કેન્દ્ર સરકારને રૂ.૯૯,૦૦૦ કરોડની જોગવાઈ કરી આપવાની ફરજ પડી છે. કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેર છતાં આ મહાસંકટમાં તકો ઝડપીને કોર્પોરેટ પરિણામોની માર્ચ ૨૦૨૧ના અંતની ત્રિમાસિક સીઝનમાં પ્રોત્સાહક પરિણામો પાછળ ભારતીય શેરબજારમાં ફોરેન અને લોકલ ફંડોએ તેજી કરીને ફરી સેન્સેક્સને ૫૦,૫૦૦ની સપાટી અને નિફટીને ૧૫૨૫૦ની સપાટી પાર કરાવી છે. પરંતુ આ તેજીના અતિરેકમાં સાવચેતી જરૂરી બની રહેશે.

આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં એફ એન્ડ ઓમાં મે વલણનો અંત આવી રહ્યો હોવાથી અફડાતફડીની પૂરી શકયતા છે. આ સપ્તાહમાં એક તરફ કોરોના સંક્રમણની સ્થિતિ અને એની આર્થિક અસરોના અંદાજો પર નજર સાથે આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવ અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયા સહિતના વૈશ્વિક ચલણોના મૂલ્યમાં વધઘટ પર નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે આગામી દિવસોમાં નફારૂપી વેચવાલીની શક્યતા…!!
Next articleભારતીય શેરબજારમાં મે ફ્યુચર વલણ પૂર્વે સાવચેતીનો માહોલ…!!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.