Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૨૧૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૨૧૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

15
0
Bull and Bear -Stock Market Trends

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૨.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૧૫૨.૦૦ સામે ૭૨૪૭૩.૪૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૧૨૩૦.૬૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૨૪૨.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૨૩.૫૭ પોઈન્ટના ઘટાડા સાથે ૭૧૪૨૮.૪૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૦૦૩.૭૦ સામે ૨૨૦૫૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૧૭૬૮.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૧૯.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૪.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૧૮૨૯.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી, જો કે ફુગાવામાં ઘટાડાના સારા સંકેત સાથે ભારતીય રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટીની બેઠકના અંતે રેપો રેટને સતત છઠ્ઠી વખત ૬.૫% પર સ્થિર રાખવામાં આવતા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધતા ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. રેપો રેટની સાથે, રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટને ૩.૩૫%, એમએસએફ રેટ અને બેંક રેટ પણ ૬.૭૫% પર સ્થિર રાખવામાં આવ્યા હતા. જ્યારે એસડીએફ રેટ ૬.૨૫ પર સ્થિર રાખવામાં આવ્યા છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ છેલ્લે વર્ષ ૨૦૨૩ની ૮ ફેબ્રુઆરીએ રેપો રેટ વધાર્યો હતો. ત્યારબાદ આરબીઆઈએ તેમાં ૨૫ બેસિસ પોઈન્ટ અથવા ૦.૨૫%નો વધારો કરીને ૬.૫% કર્યો હતો. ત્યારથી, આ દરો સતત છ એમપીસી બેઠકોમાં યથાવત રાખવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું વચગાળાનું બજેટ બાદ ભારતીય રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટીની આ પ્રથમ બેઠક હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૩.૫૪%, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૦૮%, ટીસીએસ ૧.૨૯%, એચસીએલ ટેક્નોલોજીસ ૧.૨૪% અને ભારતી એરટેલ ૦.૭૧% વધ્યા હતા, જ્યારે આઈટીસી ૪.૦૪%, કોટક મહિન્દ્રા બેન્ક ૩.૫૩%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૩.૩૪%, નેસલે ઈન્ડિયા ૩.૦૨% અને એક્સિસ બેન્ક ૨.૯૫% ઘટ્યા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૮% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, યુટિલિટીઝ, ટેક, પાવર, આઈટી અને હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૪૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૦૪ અને વધનારની સંખ્યા ૧૬૩૬ રહી હતી, ૧૦૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૦૪ લાખ કરોડ ઘટીને ૩૮૮.૨૧ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૮ કંપનીઓ વધી અને ૨૨ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતના આર્થિક વિકાસની સાથે ઈક્વિટીઝ બજારમાં તેજીના માહોલને જોઈને વિકાસસિલ દેશોમાં જાપાનના રિટેલ રોકાણકારોનું સૌથી વધુ આકર્ષણ ભારતીય ઈક્વિટીઝ તરફ જોવા મળી રહ્યું છે. ૧૪ ઊભરતી બજારોમાં જાપાનીઓનું સૌથી વધુ રોકાણ ભારતીય ઈક્વિટીઝમાં જોવા મળે છે. જાપાનમાં પ્રવૃત્ત ભારત કેન્દ્રીત ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટસની એસેટ અન્ડર મેનેજમેન્ટ જાન્યુઆરીમાં ૧૧% જેટલી વધી ૧.૬૦ અબજ ડોલર પર પહોંચી હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. જાપાનની ઈક્વિટી કેન્દ્રીત ફન્ડસમાં નેટ ઈન્ફલોઝ શૂન્ય જેટલો રહ્યો છે. અન્ય વિકાસસિલ દેશોની સરખામણીએ ભારતના સ્ટોકસનું હોલ્ડિંગ ૨૦૨૩માં સૌથી વધુ વધ્યુ હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.

ભારતીય સ્ટોકસમાં જાપાનીઓનું એકંદર હોલ્ડિંગ ૨૦૨૩માં વધી ૨૮૬૮.૫૦ અબજ યેન રહ્યું હતું. જે ૨૦૨૨માં ૨૦૫૩.૩૦ અબજ યેન હતું. ૧૪ જેટલી ઊભરતી બજારોમાં જાપાની રોકાણકારોનું ચીનની ઈક્વિટીઝમાં હોલ્ડિંગ ગયા વર્ષે ઘટી ગયાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. ચીનની ઈક્વિટીઝમાં જાપાનીઓનું હોલ્ડિંગ્સ ગયા વર્ષ ૪૨૭.૫૦ અબજ યેન ઘટી ૮૦૫.૮૦ અબજ યેન રહ્યું હતું. ચીનની સરખામણીએ ભારતનો આર્થિક વિકાસ દર મજબૂત હોવાને કારણે રોકાણકારોની નજર ભારતીય બજારમાં રહેલી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલ પ્રભુપાદજીની 150મી વર્ષગાંઠની ઉજવણીના કાર્યક્રમને સંબોધન કર્યું
Next articleદિલ્હીમાં ગોકલપુરીના મેટ્રોનો સ્લેબ ધારાશાયી થતા 4ના મોત, એકની હાલત ગંભીર
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.