Home વ્યાપાર જગત - BUSINESS શેરબજારમાં વિદેશી સંસ્થાકીય અવિરત લેવાલી થકી ૧૧૫૦ પોઈન્ટનો ઉછાળો…!!

શેરબજારમાં વિદેશી સંસ્થાકીય અવિરત લેવાલી થકી ૧૧૫૦ પોઈન્ટનો ઉછાળો…!!

170
0

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૦૨૯૬.૮૯ સામે ૫૦૭૩૮.૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૦૫૧૨.૮૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૨૭.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૪૭.૭૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૪૪૪.૬૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૫૮.૧૫ સામે ૧૫૦૬૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૦૩૪.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૩.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૪૧.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૩૦૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારતીય શેરબજારમાં ગત સપ્તાહે બ્લેક ફ્રાઈડે રહ્યા બાદ નવા સપ્તાહના પ્રારંભથી જ સતત લેવાલી જોવા મળતા વૈશ્વિક શેરબજારોમાં પોઝિટિવ માહોલ વચ્ચે એનર્જી, ફાઈનાન્સ, આઇટી, બેન્કેક્સ અને મેટલ શેરોની આગેવાનીમાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. ગત સપ્તાહે ત્રીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા અપેક્ષા કરતા સારા આવતા અને અર્થતંત્ર ફરી પાટા પર આવી ગયું હોવાનું નોંધાતા ભારતીય શેરબજારમાં રોનક પરત ફરી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા આગામી દિવસોમાં ઈંધણના વધેલા ભાવને કાબૂમાં લેવા એક્સાઈઝ દરમાં ઘટાડાની વિચારણા ચાલુ હોવાના અહેવાલની પણ બજાર પર પ્રોત્સાહક અસરે ભારતીય શેરબજાર સતત ત્રીજા દિવસે ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

અમરિકામાં બોન્ડ યીલ્ડ સ્થિર થતાં, સ્થાનિક સ્તરે આર્થિક ડેટામાં સુધારો નોંધાતા, સ્પેકટ્રમના ઓકશનને સારો પ્રતિસાદ મળતા અને દેશમાં વેક્સિનેશનની પ્રકિયા સરળતાથી આગળ વધતા ભારતીય શેરબજારમાં તેજી આગળ વધી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો કોરોના મહામારી બાદ ભારતીય શેરબજારના અર્થતંત્રમાં ઝડપી રિકવરીનો અંદાજ મૂકીને ચોથા ત્રિમાસિકમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ નવી ખરીદી કરીને બીએસઇ સેન્સેક્સે ગુમાવેલી ૫૧,૦૦૦ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૫૦૦૦ પોઈન્ટની સપાટી પરત મેળવી લીધી હતી.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૭૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૫૭ અને વધનારની સંખ્યા ૧૮૪૪ રહી હતી, ૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૫૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશની આર્થિક પ્રવૃત્તિ ગતિ પકડી રહી છે પરંતુ  કોરોનાવાઈરસના કેસોમાં ફરીથી વધારાને કારણે આઉટલુક નોંધપાત્ર અનિશ્ચિતતાથી ઘેરાયેલું છે. જો કે રિકવરીમાં આવી રહેલી મજબૂતાઈ તથા તેના વ્યાપમાં વધારાને કારણે આશા ટકી રહી છે. હાલમાં નાણાં વ્યવસ્થામાં લિક્વિડિટી વધારવા માટે અનેક પગલાં લેવાયા છે. સતત બે ત્રિમાસિક ગાળામાં નેગેટિવ રહ્યા બાદ દેશનો આર્થિક વિકાસ દર વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં પોઝિટિવ રહ્યો છે. દરેક પ્રકારના વેપારો ખૂલી ગયા છે અને ગ્રાહકો ખરીદી માટે બહાર નીકળી રહ્યા છે. પેટ્રો પ્રોડકટસ પર ઊંચી એકસાઈઝ ડયૂટી ચિંતાનો વિષય છે પરંતુ આવકના અન્ય સ્રોતોમાં વધારો દબાણને હળવું કરી શકે છે. આને કારણે પેટ્રોલ, ડિઝલ તથા રાંધણ ગેસના ભાવ નીચે આવી શકે છે, જેનાથી ફુગાવામાં ઘટાડો જોવા મળી શકશે. મારા મતે આગામી સપ્તાહમાં આઇઆઇપી અને ફુગાવાના ડેટા પોઝિટીવ આવશે તો માર્ચ માસમાં બેન્ચમાર્ક ફરીથી નવી ઊંચી સપાટીએ પહોંચી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં અફડા તફડી બાદ ૪૫૦ પોઈન્ટનો ઉછાળો…!!
Next articleશેરબજાર જોખમી તબક્કામાં…!! અફડા તફડીનો માહોલ યથાવત્…!!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.