Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૨૧૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૨૧૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

16
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૨.૨૦૨૪ ના રોજ…

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૧૬૪૫.૩૦ સામે ૭૧૯૭૭.૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૧૯૪૮.૭૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૪૦.૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૦.૩૩ પોઈન્ટના ઉછાળા સાથે ૭૨૦૮૫.૬૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૭૫૧.૪૫ સામે ૨૧૮૮૦.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૧૮૭૭.૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૨૧.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૭.૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૧૯૫૯.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

નાણા પ્રધાન નિર્મલા સીતારામને મોદી સરકારના વર્તમાન ટર્મના રજૂ કરેલા અંતિમ વચગાળાના વોટ ઓન એકાઉન્ટ બજેટમાં મૂડી ખર્ચ જાળવી બોરોઈંગમાં ઘટાડો કરીને રાજકોષીય સ્થિત સાથે સમાજના દરેક વર્ગ યુવા, ગરીબ, મહિલા સહિતના ઉત્ત્થાન માટે જોગવાઈઓ કર્યા છતાં યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા બે દિવસીય મીટિંગના અંતે માર્ચમાં વ્યાજ દરમાં ઘટાડો કરાશે કે નહીં એની અનિશ્ચિતતા બતાવતાં ફંડોએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ તેજીને વિરામ આપ્યો હતો. અલબત લોકસભા ચૂંટણી આવી રહી હોઈ ચૂંટણી બાદ નવી સરકાર દ્વારા જુલાઈમાં રજૂ થનારા સંપૂર્ણ બજેટને ધ્યાનમાં લઈને મોદી સરકારે હાલ તુરત વેરા માળખામાં કોઈ ફેરફારો નહીં કરવામાં આવતાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટેનું વચગાળાનું બજેટ એક નોન ઈવેન્ટ બની રહ્યું હતું, જો કે આજે સપ્તાહના અંતે પોસ્ટ બજેટ રેલી જોવા મળી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન, બેન્કેક્સ, ફાઈનાન્સિયલ સર્વિસિસ અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૦૭ અને વધનારની સંખ્યા ૨૦૪૧ રહી હતી, ૯૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૪૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૪.૧૦%, એનટીપીસી ૩.૩૪%, ટીસીએસ ૨.૯૮%, ટાટા સ્ટીલ ૨.૮૯% અને જેએસડબલ્યૂ સ્ટીલ ૧.૭૬% વધ્યા હતા, જ્યારે એક્સિસ બેન્ક ૧.૪૨%, એચડીએફસી બેન્ક ૧.૩૩%, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૮૧%, આઈટીસી ૦.૬૦% અને લાર્સન એન્ડ ટુબ્રો ૦.૫૭% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૩૪ લાખ કરોડ વધીને ૩૮૨.૭૬ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૨૧ કંપનીઓ વધી અને ૯ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે આઈડીબીઆઈ બેંક અને કન્ટેનર કોર્પોરેશન-બે મોટા ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંક હતા. જોકે તેમના ડિસઇન્વેસ્ટમેન્ટના માર્ગમાં અનેક અવરોધો આવ્યા અને અંતે આ યોજના મોકૂફ રાખવામાં આવી હતી પરંતુ કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ.૫૦૦૦૦ કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકને નિર્ધારિત કર્યો છે. આ સાથે ફરી આઈડીબીઆઈ બેંક અને કન્ટેનર કોર્પોરેશનમાં સરકારી સ્ટેક સેલની વાત આગળ આવી છે. બ્રોકરેજને અપેક્ષા હતી કે આગામી નાણાકીય વર્ષ માટે રૂ.૩૦,૦૦૦ કરોડથી રૂ. ૪૦,૦૦૦ કરોડની વચ્ચેના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકની અપેક્ષા હતી પરંતુ સરકારે વચગાળાના બજેટમાં અપેક્ષિત ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ નોંધપાત્ર ઉંચો નક્કી કરતા સેન્ટિમેન્ટ સુધાર્યું છે.

આ સાથે સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને સુધારીને રૂ.૩૦,૦૦૦ કરોડ કર્યો છે. જે રૂ.૫૧,૦૦૦ કરોડના પ્રારંભિક લક્ષ્યાંક કરતાં લગભગ ૪૦% ઓછું છે. આ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા માત્ર રૂ.૧૦૦૦૦ કરોડ રૂપિયા એકત્ર થયા છે. આઈડીબીઆઈ બેંકમાં સરકારની ૪૫.૪૮% અને એલઆઈસીની ૪૯.૨૪% હિસ્સેદારી છે. કોનકોરમાં સરકારનો ૫૪.૮% હિસ્સો છે. તેને ખરીદવા જેએસડબ્લ્યુ, મર્સ્ક અને અદાણીએ રસ દર્શાવ્યો હતો. આ સિવાય નવા વર્ષે શિપિંગ કોર્પ અને બીઈએમએલ પણ હિસ્સા વેચાણ માટેની યાદીની મુખ્ય સરકારી કંપનીઓ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article“દાદા” (સરકાર)નું બજેટ ૨૦૨૪-૨૫, “કનુ કાકા”એ કહ્યું, અને મને ગમ્યું..
Next articleમાનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનું પ્રવચન
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.