Home વ્યાપાર જગત - BUSINESS રિઝર્વ બેંક દ્વારા વ્યાજદર યથાવત્ રાખતા ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!

રિઝર્વ બેંક દ્વારા વ્યાજદર યથાવત્ રાખતા ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!

108
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૧૨.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૬૩૩.૬૫ સામે ૫૮૧૫૮.૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૧૨૨.૨૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૦.૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૧૬.૦૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૬૪૯.૬૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૨૫.૪૦ સામે ૧૭૩૪૩.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૩૨૭.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૦.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૮૬.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૫૧૧.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. કોરોના સંક્રમણ હવે ઓમિક્રોનના નવા સ્વરૂપે વિશ્વમાં ફેલાવા લાગતાં ફરી આરોગ્ય સાથે આર્થિક ચિંતા વિશ્વની વધવા લાગતાં અને આ વખતે એડવાન્ટેજના બદલે વિશ્વ મોટા આર્થિક સંકટમાં ફસાઈ પડવાની ચિંતાએ ભારતીય શેરબજારમાં પણ ઓવર હીટ બની ગયેલી તેજીમાં સપ્તાહના પ્રથમ દિવસ કડાકો બોલાઈ ગયા બાદ આજે ફરી સતત બીજા દિવસે ફંડોએ તેજીનું તોફાન મચાવ્યું હતું. ઓમિક્રોનના કારણે આર્થિક સંકટની ચિંતાએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બે દિવસીય મીટિંગના અંતે રેપો રેટ જાળવી રાખતા ફંડો, મહારથીઓએ આક્રમક તેજીનું તોફાન કરીને સેન્સેક્સને ફરી ૫૮૫૦૦ પોઈન્ટની સપાટી અને નિફટી ફ્યુચરને ૧૭૫૦૦ પોઈન્ટની સપાટી પાર કરાવી હતી.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આક્રમક તેજી સાથે ઓટો, ટેક, ટેલિકોમ, આઇટી શેરો તેમજ સીડીજીએસ, મેટલ અને રિયલ્ટી શેરોમાં તેજી કરતાં બીએસઇ સેન્સેક્સ ૧૦૧૬ પોઈન્ટની છલાંગે અને નિફટી ફ્યુચર ૨૮૬ પોઈન્ટ વધીને દિવસની ઊંચાઈએ બંધ રહ્યા હતા. સેન્સેક્સ, નિફટી બેઝડ તોફાની તેજી સાથે શેરોમાં આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન, રોકાણકારોની સંપતિ આજે એક દિવસમાં જ રૂ.૩.૯૭ લાખ કરોડ વધીને રૂ.૨૬૪.૧૫ લાખ કરોડની ઊંચાઈએ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો, ટેક, ટેલિકોમ, આઇટી, સીડીજીએસ, રિયલ્ટી અને ફાઈનાન્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૪૮ અને વધનારની સંખ્યા ૨૩૨૯ રહી હતી, ૧૩૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૫૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ સમીક્ષા માટે દર ૨ મહિને યોજાતી ૩ દિવસીય બેઠક આજે સંપન્ન થઈ ગઈ હતી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના પ્રકોપને ધ્યાનમાં રાખીને નીતિગત દરોને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એમપીસીએ નીતિગત રેપો રેટને ૪% પર રાખવા માટે સર્વસંમતિથી મતદાન કર્યું અને ઉદાર વલણ જળવાઈ રહ્યું. એમએસએફ દર અને બેંક દર ૪.૫% પર અપરિવર્તિત છે. આ સાથે જ રિવર્સ રેપો રેટ પણ ૩.૩૫% પર અપરિવર્તિત રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંકે સતત ૯મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો. અગાઉ કેન્દ્રીય બેંકે છેલ્લે ૨૨ મે, ૨૦૨૦ના રોજ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો. 

કેન્દ્રીય બેંકે મે ૨૦૨૦માં કોવિડ-૧૯ મહામારીથી પ્રભાવિત અર્થતંત્રનું સમર્થન કરીને પ્રમુખ નીતિગત દરોને ઐતિહાસિક સ્તરે ઘટાડી દીધા હતા. ત્યારથી આરબીઆઈ દ્વારા દરો યથાવત રાખવામાં આવ્યા છે. કોરોનાની અસરમાંથી દેશનું અર્થતંત્ર રિકવર થઈ રહ્યું છે અને ફુગાવો પણ મંદ પડી રહ્યો છે, ત્યારે રિઝર્વ બેન્ક વ્યાજ દરના નિર્ણયમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હતી. કોમોડિટીના ઊંચા ભાવ તથા પૂરવઠા ખલેલને કારણે ફુગાવાજન્ય દબાણ ચિંતાનો વિષય બની રહ્યો છે. આરબીઆઈ  નાણાં વર્ષ  ૨૦૨૩ થી વ્યાજ દર વધારવાનું ચાલુ કરશે. રેપો રેટ વધારવાની માત્રા દેશના અર્થતંત્ર પર ઓમિક્રોનની કેવી અસર પડે છે, તેના પર આધારિત હશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુવાનો ગ્રામીણ વિસ્તારોમાં ઘર છોડીને શહેરોમાં ભણવા કે કામ કરવા જઈ રહ્યા છે.
Next articleશહેરી વિસ્તારોની વધુ પડતી વસ્તીને કારણે અસંખ્ય સમસ્યાઓ ઊભી થઈ છે.
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.