Home વ્યાપાર જગત - BUSINESS Ratnaveer Precision Engineering નો IPO સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો

Ratnaveer Precision Engineering નો IPO સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો

9
0

(GNS),04

રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગે આજે પ્રારંભિક જાહેર ઓફર (IPO) પહેલા એન્કર રોકાણકારો પાસેથી રૂપિયા 49.5 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો IPO આજે 4 સપ્ટેમ્બર 2023 સોમવારના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. આ IPO 6 સપ્ટેમ્બર સુધી સબસ્ક્રાઇબ કરી શકાશે. આ પહેલા કંપનીએ એન્કર રોકાણકારોને 50,52,000 શેર ફાળવ્યા છે. રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગે આ શેર એન્કર રોકાણકારોને શેર દીઠ રૂ. 98ના દરે ફાળવ્યા છે. આ કંપનીએ આ IPO માટે 93-98 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. રત્નવીર IPO માટે 150 શેરની લોટ સાઈઝ નક્કી કરવામાં આવી છે. આમ, આ IPO પર દાવ લગાવવા માટે ઓછામાં ઓછા 14,700 રૂપિયાની જરૂર પડશે.

રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગનો IPO 4 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ઉપલબ્ધ રહેશે. સંભવિત સમયપત્રક અનુસાર, કંપની 11 સપ્ટેમ્બર, 2023 સુધીમાં શેરની ફાળવણી કરી શકે છે. કંપનીના શેર 13 સપ્ટેમ્બર સુધીમાં સફળ બિડર્સના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવશે. આ IPOના લિસ્ટિંગની સંભવિત તારીખ 14 સપ્ટેમ્બર 2023 છે. કંપની વિષે પણ જાણી લો.. આ IPO હેઠળ, રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગ રૂ. 135.24 કરોડના 13,800,000 શેર ઇશ્યૂ કરશે. તે જ સમયે, વર્તમાન શેરધારક વિજય રમણલાલ સંઘવી આ IPO હેઠળ રૂ. 29.79 કરોડના મૂલ્યના 3,040,000 શેર વેચશે. રત્નવીર IPOનું કુલ કદ રૂ. 165.03 કરોડ છે. આ કંપનીના આઈપીઓની જીએમપી રૂ. 50 આસપાસ રહે છે. આ સૂચવે છે કે કંપનીના શેરનું લિસ્ટિંગ 50 ટકાથી વધુના પ્રીમિયમ સાથે રૂ. 148ના સ્તરે થઈ શકે છે. જો કે, અમે તમને અહીં જણાવી દઈએ કે ગ્રે માર્કેટ પ્રીમિયમ એક પ્રકારનું સૂચક છે અને લિસ્ટિંગ સમયે તેની કિંમત તદ્દન અલગ હોઈ શકે છે.

IPO Details Detail
IPO Date – September 4, 2023 to September 6, 2023
Face Value – ₹10 per share
Price – ₹93 to ₹98 per share
Lot Size – 150 Shares
Total Issue Size – 16,840,000 shares (aggregating up to ₹165.03 Cr)
Fresh Issue – 13,800,000 shares (aggregating up to ₹135.24 Cr)
Offer for Sale – 3,040,000 shares of ₹10 (aggregating up to ₹29.79 Cr)
Issue Type – Book Built Issue IPO
Listing At – BSE, NSE
Share holding pre issue – 34,699,040
Share holding post issue – 48,499,040

ડિસ્ક્લેમર : IPO માં રોકાણ શેરબજારના જોખમને આધીન છે.રોકાણ પહેલા આર્થિક સલાહકારની મદદ લેવા અમારી સલાહ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં કારોબાર તેજી સાથે શરૂઆત, મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર ખુલ્યા
Next articleBSE એ Jio Finance અંગે અગત્યની જાહેરાત કરી, કંપનીમાં આ ફેરફાર લાગુ થશે