(જી.એન.એસ),તા.૨૧
મુંબઈ
ધનુષ છેલ્લે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘અતરંગી રે’ માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં ધનુષની સાથે અક્ષય કુમાર અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં હતા. અત્યારે ધનુષ પાસે ઘણી તમિલ ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. ઐશ્વર્યા અને ધનુષ થોડાં સમય પહેલા તેમના લાંબા સંબંધો તોડી નાખ્યા છે. બંનેએ સોશિયલ મીડિયા દ્વારા તેમના અલગ થવાની માહિતી આપી હતી. જો કે બંનેમાંથી કોઈએ તેમના અલગ થવાનું કારણ હજુ સુધી જાહેર કર્યું નથી. ઐશ્વર્યા અને ધનુષ ભલે અલગ થઈ ગયા હોય, પરંતુ બંને સાથે મળીને બાળકોનો ઉછેર કરી રહ્યા છે. તેઓ નથી ઈચ્છતા કે આવા સમયે બાળકોને માતા-પિતાનો પૂરો સહયોગ ન મળે. બંનેએ નક્કી કર્યું છે કે જ્યારે એક કામમાં વ્યસ્ત હોય ત્યારે બીજાએ બાળકો સાથે રહેવું જોઈએ. તાજેતરમાં જ્યારે ઐશ્વર્યાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારે બાળકો ફરીથી ધનુષ સાથે હતા જ્યાં તે શૂટિંગ કરી રહ્યો હતો. ધનુષ અને ઐશ્વર્યા તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે કે, બંને પતિ-પત્ની તરીકે અલગ થઈ ગયા હોય, પરંતુ તેઓ માતા-પિતા તરીકે સાથે રહેશે અને બાળકોની સંપૂર્ણ સંભાળ રાખશે. સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત સાઉથ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય નિર્દેશક અને ગાયિકા છે. હવે ઐશ્વર્યા પણ હિન્દી ઈન્ડસ્ટ્રીમાં પોતાનો કમાલ બતાવવા આવી રહી છે. હા, ઐશ્વર્યા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરવાની છે. તે નિર્માતા મીનુ અરોરા સાથે ‘ઓ સાથી ચલ’ નામની ફિલ્મ લઈને આવી રહી છે. ઐશ્વર્યા પ્રથમ હિન્દી ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહી છે. જે સાચા પ્રેમની વાર્તા પર આધારિત છે. જે થોડાં વર્ષો પહેલા મીડિયામાં ઘણી ચર્ચામાં રહી હતી. જ્યારે વેબસાઈટે મીનુ સાથે વાત કરી તો તેણે આ સમાચારને કન્ફર્મ કર્યા. જો કે, મીનુએ એમ પણ કહ્યું હતું કે, તે આનાથી વધુ કંઈ કહી શકે નહીં. કારણ કે સ્ક્રિપ્ટિંગ પ્રક્રિયા ચાલી રહી છે અને તે પછી કલાકારોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ઐશ્વર્યા થોડાં સમય પહેલા કોવિડથી સ્વસ્થ થઈ હતી અને ત્યારબાદ તેણે તેના ગીત મુસાફિરમાં કામ કર્યું હતું. પરંતુ આ પછી તેને થોડા દિવસો પહેલા ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ જાણકારી તેણે સોશિયલ મીડિયા પર આપી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.