Home હર્ષદ કામદાર ઓમિક્રોન અને મોંઘવારી સહિતનાં પરિબળો વચ્ચે ભારતીય શેરબજારમાં અવિરત તેજી…!!

ઓમિક્રોન અને મોંઘવારી સહિતનાં પરિબળો વચ્ચે ભારતીય શેરબજારમાં અવિરત તેજી…!!

187
0
Bull and bear , symbolic beasts of market trend.

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૧.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૮૫૫.૯૩ સામે ૫૯૯૨૧.૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૬૬૧.૩૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૭૧.૩૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૭.૨૨ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૨૨૩.૧૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૪૬.૭૫ સામે ૧૭૮૪૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૭૮૬.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૯.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૯.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૯૪૬.૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. વિશ્વભરમાં કોરોના-ઓમિક્રોનના કૂદકે ને ભૂસકે વધી રહેલા કેસોમાં હવે ભારત પણ  સામેલ થઈ જતાં દેશના દરેક રાજયોમાં કોરોનાનો વિસ્ફોટ થવા લાગ્યો હોવાના આંકડા આવી રહ્યા હોઈ  દિલ્હી સહિતના રાજયોમાં કર્ફયુ સહિતના પગલાં અને મુંબઈમાં રોજીંદા ૮૦૦૦થી વધુ કેસો નોંધાવા લાગતાં  અને હવે રોજના ૨૦,૦૦૦ કેસો થવાના સંજોગોમાં લોકડાઉન લાગુ કરવાનો સંકેત આપી દેવાયા છતાં અને મોંઘવારીમાં અસહ્ય વધારા સહિતના નેગેટીવ પરિબળો છતાં ભારતીય શેરબજારોમાં સતત ચોથા દિવસે તેજીનું અવિરત તોફાન ચાલુ રહ્યું હતું.

વૈશ્વિક મોરચે અમેરિકામાં છેલ્લા ૨૪  કલાકમાં ૧૦ લાખથી વધુ કોરોનાના કેસો નોંધાતાં સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ હોવા છતાં અમેરિકી શેરબજારો સાથે આજે એશીયા, યુરોપના દેશોના બજારોમાં તેજી જોવાઈ હતી. અમેરિકી બજારોમાં વર્ષ ૨૦૨૨ની  શરૂઆત રેકોર્ડ તેજીએ થઈ હતી. ભારતીય શેરબજારમાં આજે બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ , ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી અને બેઝિક મટિરિયલ્સ શેરોમાં આકર્ષણે બીએસઇ સેન્સેક્સ ૬૦૦૦૦ પોઈન્ટની સપાટી કુદવી હતી, જ્યારે નિફ્ટી ફ્યુચર ૧૮૦૦૦ પોઈન્ટ નજીક બંધ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૬% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેક, આઇટી, પાવર, હેલ્થકેર, યુટિલિટીઝ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૮૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૫૫ અને વધનારની સંખ્યા ૧૮૩૦ રહી હતી, ૯૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૫૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ઓમિક્રોનના કેસોને અંકૂશમાં રાખવા વિવિધ રાજ્યો દ્વારા હાથ ધરાયેલા નિયમનકારી પગલાંને પરિણામે માર્ચ ત્રિમાસિક ગાળામાં દેશના આર્થિક વિકાસ દરમાં ૦.૩૦ ટકા સુધીની અસર પડી શકે છે. વર્તમાન નાણાં વર્ષના ચોથા ત્રિમાસિક ગાળાનો આર્થિક વિકાસ દર ૬.૧૦% રહેવા અગાઉ ધારણાં રખાતી હતી, પરંતુ તેમાં હવે ૦-૨૦થી ૦.૩૦ ટકા જેટલી અસર જોવા મળવા સંભાવના છે. વિવિધ રાજ્યો દ્વારા લોકોની હેરફેર પર અંકૂશ, રેસ્ટોરેન્ટસમાં કેપેસિટીના પચાસ ટકા હાજરી, ઓફિસોમાં પણ કર્મચારીઓની હાજરી પર કાપ જેવા પગલાંને પરિણામે આર્થિક પ્રવૃત્તિઓ પર અસર પડવા સંભવ છે.

વધતાં કેસોને પરિણામે વધુને વધુ રાજ્યો પ્રતિબંધો મૂકી રહ્યા છે અને જાન્યુઆરીથી પણ આગળ લંબાવી રહ્યા છે એટલું જ નહીં વૈશ્વિક રિકવરી મંદ પડતા નિકાસ પર તેની પ્રતિકૂળ અસર પડી છે. આ અગાઉ કોરોનાની બે લહેર દરમિયાન મુકાયેલા પ્રતિબંધોથી આર્થિક પ્રવૃત્તિ પર અસર પડી હોવાનું જોવા મળ્યું હતું. ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોનનો ભય છતાં ભારતીય રૂપિયો ડોલર સામે રૂપિયા ૭૪ થી ૭૬ વચ્ચે અથડાયા કરશે અને આવશ્યકતા જણાશે ત્યારે રિઝર્વ બેન્ક દરમિયાનગીરી કરશે. વિકાસ પર અસર પડવાની ચિંતાને ધ્યાનમાં રાખતા રિઝર્વ બેન્ક  દ્વારા ફેબ્રુઆરીની બેઠકમાં વ્યાજ દર વધારવાની અપેક્ષા ધીમી પડી છે અને રિવર્સ રેપો રેટમાં વધારો થવાની બાબત પણ હવે અનિશ્ચિત બની છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભવ્ય અને મોંઘા લગ્નનો આજે નવો ટ્રેન્ડ?
Next articleતણાવ હવે આપણા દેશમાં એક મોટી સમસ્યા છે.
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.