Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૧૧/૦૬/૨૦૨૬)
- હિંમતનગરમાં જાહેર રોડ પર દારૂની બોટલો ગોઠવીને કાયદાનો ડર ભૂલેલા બુટલેગરોને પોલીસે ઝડપી પાડ્યા
- રાષ્ટ્રસેવાના ૧૨ વર્ષ પૂર્ણ : ગુજરાત રાજ્ય વકફ બોર્ડે પસાર કર્યો સર્વાનુમતે અભિનંદન ઠરાવ
- યુપીના કાનપુર સ્થિત નકલી ડિગ્રી રેકેટ 13 વર્ષથી ભારત, યુકે, કેનેડા અને સાઉદી અરેબિયામાં કાર્યરત; ૧૦ ની ધરપકડ
- કેન્દ્રીય કેબિનેટની અમદાવાદ મેટ્રોના ફેઝ-2Aને અપાઈ મંજૂરી, કોટેશ્વરથી ઍરપૉર્ટ સુધીનો 6 કિ.મી.નો રૂટ
- જેલમાંથી છૂટતા જ મોન્ટુ નામદારે ખાડિયામાં રોફ જમવા કર્યો નવો સ્ટંટ!
- NDA સંમેલનમાં 15 થી વધુ પક્ષો હાજરી આપી
- મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળના ટીએમસી માટે બીજો મોટો ઝટકો
- પશ્ચિમ બંગાળ કેબિનેટ વિસ્તરણ: મુખ્યમંત્રી સુવેન્દુએ લીધું ગૃહ ખાતું, સ્વપ્ન દાસગુપ્તાને નાણાં ખાતું સોંપાયું
- આજથી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી સાથે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કરશે CJP
- વિજય રૂપાણીની પુત્રીને એર ઇન્ડિયાએ સ્પષ્ટતા આપી: ‘ચુકવણી સ્વીકારવાનું કોઈ દબાણ નથી’
- મેલોનીથી મારાપે સુધી: વિશ્વના નેતાઓએ સતત ચૂંટણી લડતા પ્રધાનમંત્રી તરીકે પીએમ મોદીના રેકોર્ડની પ્રશંસા કરી
Author: gujdesk
તિથિ ત્રયોદશી (તેરસ) – 24:40:48 સુધી નક્ષત્ર જ્યેષ્ઠા – 27:16:01 સુધી કરણ કૌલવ – 12:00:23 સુધી, તૈતુલ – 24:40:48 સુધી પક્ષ શુક્લ યોગ શુક્લ – 22:16:53 સુધી વાર મંગળવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:59:55 સૂર્યાસ્ત 19:29:08 ચંદ્ર રાશિ વૃશ્ચિક – 27:16:01 સુધી ચંદ્રોદય 17:36:00 ચંદ્રાસ્ત 28:11:59 ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 24 મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત અષાઢ દિન કાળ 13:29:12 અશુભ સમય દુર મુહુર્ત 08:41:46 થી 09:35:43 ના કુલિક 14:05:27 થી 14:59:24 ના દુરી / મરણ 06:53:52 થી 07:47:49 ના રાહુ કાળ 16:06:50 થી 17:47:59 ના કાલવેલા/અર્ધ્યામ 08:41:46 થી 09:35:43 ના યમ ઘંટા 10:29:40 થી 11:23:37 ના યમગંડ 09:22:14…
(જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મચ્છરજન્ય રોગો સામે એક અભિનવ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો શુભારંભ માનનીય મેયરશ્રીમતી મીરાબેન પટેલના વરદ હસ્તે પોર ગામના તળાવથી કરવામાં આવ્યો હતો, જ્યાં તેમણે પોતે ડ્રોન ઉડાડીને “નમો ડ્રોન દીદી” તરીકે આ નવતર અભિગમની શરૂઆત કરાવી. આરોગ્ય વિભાગ દ્વારા મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો સામે લડવા માટે અત્યાધુનિક ડ્રોન ટેક્નોલોજી અપનાવવામાં આવી છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધે છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા નિયમિતપણે મચ્છર ઉત્પત્તિ સ્થાનો દૂર કરવામાં આવે છે અને દવાનો છંટકાવ કરવામાં…
ગાંધીનગર મહાનગરપાલિકાની મહિલા અને બાળ કલ્યાણ સમિતિ, સૌરાષ્ટ્ર કચ્છ સમાજ સેવા ટ્રસ્ટ અને સ્વ સહાય જૂથ દ્વારા આયોજિત “રાખી મેળો” ત્રણ દિવસ ચાલશે (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, મહિલા આર્થિક સશકિતકરણને વેગ આપવા દર વર્ષની જેમ આ વર્ષે પણ આવનાર રક્ષાબંધનના પર્વ નિમિત્તે ગાંધીનગર ખાતે “રાખી મેળો”નું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાનાહસ્તે આ “રાખી મેળો”નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણ સમિતિ, સૌરાષ્ટ્ર કચ્છ સમાજ સેવા ટ્રસ્ટ અને હર્ષાબા એન.યુ.એલ.એમ સ્વ. સહાય જૂથ દ્વારા “રાખી મેળો”નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ સહાય જુથો દ્વારા બહેનોને તાલીમ આપીને આજીવીકાલક્ષી પ્રવૃત્તિ સાથે…
(જી.એન.એસ) તા. 7 પટના, બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા, સોશિયલ મીડિયા પ્રભાવક મનીષ કશ્યપ સોમવારે પ્રશાંત કિશોરની આગેવાની હેઠળની જન સુરાજ પાર્ટીમાં જોડાયા. કશ્યપે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માંથી રાજીનામું આપ્યાના એક મહિના પછી આ વાત સામે આવી છે. તેઓ પટણામાં કિશોરની હાજરીમાં સમર્થકોના સમૂહ સાથે જન સુરાજ પાર્ટીમાં જોડાયા. યુટ્યુબ ચેનલ પર લગભગ એક કરોડ સબ્સ્ક્રાઇબર્સ સાથે, કશ્યપ ડિજિટલ ફોલોઅર્સનો મોટો સમૂહ ધરાવે છે. થોડા વર્ષો પહેલા તેમણે રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું હતું જ્યારે તમિલનાડુ પોલીસે તેમને તમિલનાડુમાં બિહારી સ્થળાંતર કરનારાઓ સાથે દુર્વ્યવહાર થતો દર્શાવતા નકલી વીડિયો ફેલાવવાના આરોપમાં ધરપકડ કરી હતી. વિવાદ હોવા છતાં, યુવાનોના એક વર્ગમાં, ખાસ…
‘આત્મનિર્ભર ભારત’: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી PMFME યોજના હેઠળ ધમધમી રહ્યો છે દેશનો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ ગુજરાતમાં પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઑફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીસ (PMFME)નું સફળ અમલીકરણ, કુલ 675 લાભાર્થીઓ (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર/સુરત, એક કૃષિપ્રધાન દેશ તરીકે ભારત પાસે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે અગ્રેસર બનવાની ઉજળી તકો રહેલી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ કેન્દ્ર સરકારે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને પ્રાથમિકતા આપતાં વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, જે પૈકી એક મહત્વની યોજના છે- પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઑફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીસ (PMFME) યોજના. 29 જૂન, 2020ના રોજ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય દ્વારા PMFME યોજના શરૂ…
અમદાવાદ શહેરમાં અસરગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી યુધ્ધના ધોરણે શરૂ (જી.એન.એસ) તા. 7 અમદાવાદ, રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ છે. અમદાવાદ શહેરમા ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના મોટા રોડ, રસ્તાઓ રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોટ મિક્સ પ્લાન્ટમાંથી…
રાજ્યમાં માર્ગો-પુલો-હાઇવેની સ્થિતિની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી કામોમાં ગુણવત્તા જળવાય-પ્રજાજનોના જન જીવનમાં માર્ગોની મરામતોમાં વિલંબને કારણે રૂકાવટ ન આવે તે સુનિશ્ચિત કરવાના દિશાનિર્દેશો (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઇવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓ પુનઃ પુર્વવત બનાવવા તાકીદ કરી છે. વિકાસની ધોરીનસ અને નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરાય તેવા દિશાનિર્દેશો પણ મુખ્યમંત્રીશ્રીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારો તેમજ નગરો-મહાનગરો સહિત નેશનલ હાઈવે, રાજ્ય…
ગાંધીનગરમાં 1000 કરતા પણ વધુ મહિલાઓને રોજગાર આપનાર- “પુષ્પાબેન પેશવાની” મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વસ્તુઓ ભારત બહાર ના દેશો અમેરિકા, કેનેડા, લંડન સુધી પહોંચાડવામાં આવે છે (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, શું તમે જાણો છો કે ગાંધીનગરમાં વસેલા પૂજાબેન પેશવાની જે દસ વર્ષથી GMC “સખી મંડળ” માં રોજગાર શીખવાડે છે?ગાંધીનગરમાં આવેલ જીએમસી સખીમંડળ દ્વારા પૂજાબેન છેલ્લા દસ વર્ષથી 1000 કરતા પણ વધુ સ્ત્રીઓને રોજગાર ચલાવતા શીખવાડ્યું છે, જે મહિલાઓ પોતાના ઘર માટે આગળ વધીને કામ કરવા માંગે છે, તેવી મહિલાઓને રોજગાર આપવાનું કામ આ પૂજાબેન કરે છે જ્યારે દિવાળી આવે ત્યારે ડ્રાયફ્રુટ ના પેકેટ બનાવવા, રક્ષાબંધન આવે ત્યારે રાખડી બનાવી,…
છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લાના 209 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા જુલાઇ મહિનાના હજુ તો માત્ર 6 દિવસથી જ ત્યાં છે. ત્યાં 40 ટકા કરતા વધુ વરસાદ વરસી ગયો છે. અને હજુ પણ ધોધમાર વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 28 ઈંચ સાથે સિઝનનો 47 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં 44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 42.42 ટકા, કચ્છમાં 42 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં 39 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 38.50 ઈંચ, ડાંગમાં…
(જી.એન.એસ) તા. 7 શિમલા, રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (SDMA) અનુસાર, 20 જૂને ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં વ્યાપક વિનાશ થયો છે, જેમાં ઓછામાં ઓછા 78 લોકોના મોત થયા છે અને 31 લોકો હજુ પણ ગુમ છે. આમાં, ભૂસ્ખલન, અચાનક પૂર અને વાદળ ફાટવા જેવી વરસાદ સંબંધિત ઘટનાઓમાં 50 લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકોએ માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવ્યા છે. “હિમાચલ પ્રદેશમાં ચોમાસા સંબંધિત વિવિધ આફતોને કારણે મૃત્યુઆંક 6 જુલાઈ સુધીમાં 78 પર પહોંચી ગયો છે,” રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે જણાવ્યું. મૃત્યુ કેમ વધી રહ્યા છે? હિમાચલ પ્રદેશમાં ચોમાસા દરમિયાન હવામાન સંબંધિત ઘટનાઓથી થતા મૃત્યુઆંક સતત…
