Author: gujdesk

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમરેલી પોલીસને અભિનંદન પાઠવ્યા અનેક ગુનાઓમાં સંડોવાયેલા માથાભારે તત્વને અમરેલી પોલીસે તાત્કાલિક બોલાવીને પોલીસની ભાષામાં સમાજ આપી ને ખેડૂતનું દુઃખ દૂર કર્યું (જી.એન.એસ) તા. ૨૬ અમરેલી, ગુજરાત પોલીસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના નાગરિકોને અસામાજિક તત્વોથી રક્ષણ આપવા સતત પ્રયત્નશીલ છે. આવો જ એક કિસ્સો અમરેલી જિલ્લામાંથી સામે આવ્યો છે, જ્યાં એક ખેડૂતને હેરાન કરતા માથાભારે શખ્સ સામે પોલીસે તાત્કાલિક પગલાં લઈ ભોળા અને નિર્દોષ ખેડૂતની ૧૦ વીઘા જમીન પરત કરાવી છે. ઘટનાની વિગતો અનુસાર, તા. ૨૯/૦૬/૨૦૨૫ના રોજ અમરેલી જિલ્લાના ભૂતપૂર્વ પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત…

Read More

(જી.એન.એસ) તા.26 નવી દિલ્હી રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી (NADA) ભારતે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના સહયોગથી 21 થી 25 જુલાઈ 2025 દરમિયાન નવી દિલ્હીમાં વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (WADA) ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન (I&I) વર્કશોપનું બીજું સંસ્કરણ યોજ્યું હતું. WADAના નેજા હેઠળ અને ઇન્ટરપોલ અને સ્પોર્ટ ઇન્ટિગ્રિટી ઓસ્ટ્રેલિયાના સહયોગથી આયોજિત આ વર્કશોપમાં ભારત, મલેશિયા, કંબોડિયા, વિયેતનામ, નેપાળ, મ્યાનમાર, ભૂતાન, બાંગ્લાદેશ, બ્રુનેઈ દારુસલામ અને ફિલિપાઇન્સના રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સંગઠનો (NADO) અને કાયદા અમલીકરણ એજન્સીઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ વર્કશોપમાં જ્ઞાન વહેંચણીને પ્રોત્સાહન આપવા, સહયોગ વધારવા અને વૈશ્વિક ડોપિંગ વિરોધી માળખાને મજબૂત બનાવવા માટે વિશ્વભરના અગ્રણી ગુપ્તચર અને તપાસ નિષ્ણાતોને એકસાથે લાવવામાં આવ્યા હતા. પાંચ દિવસના આ વર્કશોપમાં, સહભાગીઓએ ગુપ્ત માહિતી કામગીરી, તપાસ પદ્ધતિઓ, ગુપ્ત સ્ત્રોતોનું સંચાલન, ખુલ્લા સ્ત્રોતોમાંથી ગુપ્ત માહિતી એકત્રિત કરવા અને અસરકારક વિશ્લેષણ અને ઇન્ટરવ્યુ તકનીકો જેવા મુખ્ય…

Read More

શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ સુરત શહેરને સુપર સ્વચ્છ લીગમાં અગ્રિમ સ્થાન અપાવનાર, ‘સ્વચ્છ સુરત’ માટે પાયારૂપ સ્વચ્છતાકર્મીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ સંવાદ કરી અભિનંદન પાઠવ્યા (જી.એન.એસ) તા. ૨૬ સુરત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં રૂ.૭૩ કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.૩૬૨.૪૫ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરીને સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીશ્રીના હસ્તે સુરત મનપા દ્વારા જરૂરિયાતમંદ નાગરિકો માટે નવનિર્મિત ૧૪૯૪ પી.એમ.આવસોનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો પણ કરવામાં આવ્યો હતો. સુરત શહેરને સુપર સ્વચ્છ લીગમાં અગ્રિમ સ્થાન અપાવનાર, ‘સ્વચ્છ સુરત’ માટે પાયારૂપ સ્વચ્છતાકર્મીઓ સાથે સંવાદ કરી મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. સુરત મનપાની ૧૮ સુમન શાળાઓમાં ઈનોવેટિવ એજ્યુકેશન આપવાના હેતુથી નિર્મિત રોબોટિક લેબ્સ…

Read More

(જી.એન.એસ) તા. ૨૬ ગાંધીનગર, ગાંધીનગરના રાયસણથી રાંદેસણના સર્વિસ રોડ ઉપર શુક્રવારે સવારે હિટ એન્ડ રન કેસના આરોપી હિતેશ પટેલને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. શું હતો સમગ્ર મામલો શુક્રવારે સવારે ગાંધીનગરના રાંદેસણ પાસે એક પૂરપાટ ઝડપે દોડતી કારે ચાર લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત 2 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, મૃતકની ઓળખ હંસાબેન રોહિતકુમાર વાઘેલા (ઉં.વ.56) અને નીતિનભાઈ પ્રતાપભાઈ વસા (ઉં.વ.63) તરીકે થઇ હતી. જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ કારચાલકને મેથીપાક…

Read More

(જી.એન.એસ) તા. ૨૬ મહીસાગર જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી છે. ખાનપુર પાસે આવેલા ધોધમાં તણાતા 2 યુવકનાં મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. ઘટનાની જાણ થતાં ખાનપુર પોલીસ અને લુણાવાડા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકોની શોધખોળ આદરી હતી. મૂળ રાજસ્થાનનાં યુવકોની બાઇક ધોધ પાસેથી મળી આવ્યું છે. ફાયર વિભાગની ટીમને સર્ચ ઓપરેશન દરમિયાન બંને યુવકોનાં મૃતદેહ પણ મળી આવ્યા છે. આ મામલે પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર બનાવ અંગે મીડિયા સુત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનાં વાવકુવા ગામ પાસે અડદરી માતાનો ધોધ આવેલો છે. અહીં, ધોધમાં…

Read More

(જી.એન.એસ) તા.26 ઇમ્ફાલ, મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ શનિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર, સશસ્ત્ર દળો અને નાગરિક સમાજ સંગઠનોના સહયોગી પ્રયાસોથી રાજ્યમાં શાંતિ અને સામાન્યતા પાછી ફરી રહી છે. તેઓ કારગિલ વિજય દિવસની 26મી વર્ષગાંઠ નિમિત્તે ઇમ્ફાલમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. મણિપુરમાં વંશીય હિંસામાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો બેઘર બન્યા છે. સરકારે કટોકટીનો ઉકેલ લાવવા અને શાંતિ અને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે વિવિધ પગલાં લીધા છે. રાજ્ય પોલીસ અને સશસ્ત્ર દળોની સંયુક્ત ટીમોના સંયુક્ત ઓપરેશન છેલ્લા કેટલાક મહિનાઓમાં અસંખ્ય હથિયારો અને દારૂગોળો મેળવવામાં સફળ રહ્યા છે. “સરકાર, સશસ્ત્ર દળો અને નાગરિક સમાજ…

Read More

(જી.એન.એસ) તા.26 શનિવારે થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે નવા હુમલાઓના આરોપો પરસ્પર થયા, કારણ કે ઘાતક સરહદી અથડામણો ત્રીજા દિવસે પ્રવેશી, જેમાં ઓછામાં ઓછા 33 લોકો માર્યા ગયા અને 168,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા, કારણ કે બંને પક્ષો પર યુદ્ધવિરામ માટે આંતરરાષ્ટ્રીય દબાણ વધી ગયું. ઘણા સરહદી ગામો નજીક તોપમારો અને ગોળીબારના અહેવાલો મળ્યા, જેના કારણે ગુરુવારે સરહદ પર લેન્ડ માઇન વિસ્ફોટમાં પાંચ થાઈ સૈનિકો ઘાયલ થયા બાદ ફરી ભડકેલી લડાઈનો વિસ્તાર વધ્યો. કંબોડિયન અને થાઈ અધિકારીઓએ બદલો લેવા માટે કાર્યવાહી કરવાનો દાવો કર્યો. બંને દેશોએ તેમના રાજદૂતોને પાછા બોલાવ્યા અને થાઈલેન્ડે કંબોડિયા સાથેની તેની ઉત્તરપૂર્વીય સરહદ ક્રોસિંગ બંધ કરી…

Read More

(જી.એન.એસ) તા. ૨૬ નવી દિલ્હી, સંસદમાં ચોમાસું સત્ર દરમિયાન લોકસભામાં અનુકરણીય પ્રદર્શન કરનારા 17 સાંસદોનું ‘સંસદ રત્ન’થી સન્માન કરવામાં આવશે. યાદીમાં એનસીપી-એસપીના નેતા સુપ્રિયા સુલે, ભાજપ સાંસદ રવિ કિશન, ભાજપના નિશિકાંત દુબે, શિવસેના યુબીટીના અરવિંદ સાવંત સહિત 17 સાંસદોના નામ સામેલ છે. ચોંકાવનારી વાત એ છે કે, યાદીમાં ગુજરાતમાંથી એક પણ સાંસદનું નામ નથી. સંસદ રત્ન પુરસ્કાર માટે સંસદસભ્યોની પસંદગી એક જ્યુરી કમિટી દ્વારા કરવામાં આવે છે, જે પારદર્શક માપદંડો પર આધારિત હોય છે. ‘સંસદ રત્ન’ સન્માનમાં ચાર વિશેષ જૂરી પુરસ્કાર પણ સામેલ છે, જેમણે સંસદની લોકશાહીમાં સતત ત્રણ કાર્યકાળ સુધઈ યોગદાન આપ્યું છે. આ વિશેષ પ્રસ્કારમાં ભાજપના ભર્તુહરી મહતાબ, કેરળની…

Read More

(જી.એન.એસ) તા.26 વોશિંગટન, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં યુદ્ધવિરામ વાટાઘાટો ભંગાણ માટે હમાસને દોષી ઠેરવ્યો હતો, અને આ પ્રદેશમાં લશ્કરી અભિયાન વધારવા માટે ઇઝરાયલને મજબૂત સમર્થન આપવાનો સંકેત આપ્યો હતો. સ્કોટલેન્ડના સપ્તાહના પ્રવાસ માટે રવાના થતા પહેલા વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા, ટ્રમ્પે સંઘર્ષ પર તેમની કેટલીક કઠોર ટિપ્પણીઓ આપી હતી, જેમાં કહ્યું હતું કે, “મને લાગે છે કે તેઓ મરવા માંગે છે, અને તે ખૂબ જ ખરાબ છે.” તેમણે ઉમેર્યું હતું કે, “તે એક એવા બિંદુએ પહોંચ્યું છે જ્યાં તમારે કામ પૂર્ણ કરવું પડશે.” આ ટિપ્પણીઓ થોડા અઠવાડિયા પહેલાના સ્વરમાં નોંધપાત્ર ફેરફાર દર્શાવે છે, જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્રે…

Read More

અમદાવાદ પોલીસને મળી મોટી સફળતા (જી.એન.એસ) તા. ૨૬ અમદાવાદ, શહેરના એસ.જી હાઇવે સનાથલ ટોલનાકા પાસે સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓ દરોડો પાડીને ગેરકાયદે ગેસ રીફીલીંગનું મોટુ કૌભાંડ ઝડપીને કોમર્શીયલ અને ડોમેસ્ટીક વપરાશના ૨૪૧ જેટલા ગેસ સિલિન્ડર સહિત ગેસ રીફીલીંગ કરવા માટેના સાધનો પણ જપ્ત કરીને બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓને બાતમી મળી હતી કે એસ જી હાઇવે પર સનાથલ ટોલનાકા પાસે ખુલ્લા પ્લોટમાં બનાવેલા એક શેડમાં ગેરકાયદે ગેસ ગેસ સિલિન્ડર રીફીલીંગનું કૌભાંડ ચાલે છે. જેેના આધારે પોલીસ ઇન્સપેક્ટર એ એસ ગોહિલ અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર પી વી દેસાઇએ સ્ટાફ સાથે દરોડો પાડયો હતો. જેમાં તપાસ કરતા ગેસ…

Read More