Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (14/૦5/2026)
- આજ નું પંચાંગ (14/05/2026)
- સાથી પક્ષોના દબાણ હેઠળ મુખ્યમંત્રી વિજયે રિકી રાધન પંડિત વેટ્રીવેલને તેમના OSD તરીકે દૂર કર્યા
- મહારાષ્ટ્રના બારામતીમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું
- ટ્રમ્પની નવી ધમકી વચ્ચે ઈરાનની કડક ચેતવણી
- રિક્ષામાં નજર ચૂકવી મુસાફરોના દાગીના-રોકડ ચોટી કરતી ગેંગ ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી
- અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગુ
- પ્રતીક યાદવ મૃત્યુ કેસ: મુલાયમ સિંહના પુત્રનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું, ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો
- કેન્દ્રીય મંત્રીમંડળે કોલસાના ગેસિફિકેશનને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૩૭,૫૦૦ કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી, ડાંગરના MSPમાં રૂ. ૭૨નો વધારો કર્યો
- આસામ સરકારે યુસીસી ડ્રાફ્ટને મંજૂરી આપી, બિલ 26 મેના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
- એર ઇન્ડિયાએ જૂનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઘટાડી, કેટલાક વિદેશી રૂટ સ્થગિત કર્યા
- લંડનની 70% ઓફિસો ગ્રીન ચેકમાં નિષ્ફળ ગઈ, વેસ્ટમિન્સ્ટર અને શહેરની રિયલ એસ્ટેટ કટોકટીમાં
Author: gujdesk
(જી.એન.એસ) તા. 1 અમદાવાદ, શહેરના આનંદનગર વિસ્તારમાં પ્રેરણાતીર્થ દેરાસર પાસે શુક્રવારે ડિવાઇડર સાથે કાર ટકરાતાં પલટી મારી ગઈ હતી. જોકે, અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. પ્રેરણાતીર્થ દેરાસર પાસે રોડ વચ્ચે વૃક્ષ હોવાથી ડિવાઇડર થોડું મોટું બનાવ્યું હતું જેથી કાર ચાલકને ધ્યાને ન આવતાં અકસ્માત સર્જાયો હતો. સાઇનબોર્ડ મૂકવાને લઈને સ્થાનિકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. સ્થાનિકોનું કહેવું છે કે, અહીં આ રીતે અકસ્માત સર્જાવાની ઘટનાથી ભય રહે છે.
(જી.એન.એસ) તા. 1 વોશિંગટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે 70 થી વધુ દેશો પર 10% થી 41% સુધીના પારસ્પરિક ટેરિફ લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જેને તેમણે લાંબા સમયથી ચાલી રહેલા વેપાર વ્યવહારોમાં અસંતુલન તરીકે વર્ણવ્યું હતું. આ નવા પગલાં સાથે, ભારતીય આયાત પર 25% ટેરિફનો સામનો કરવો પડશે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે વહીવટીતંત્રે “ગેરકાયદેસર ડ્રગ કટોકટી” પર કાર્યવાહી કરવામાં કેનેડાની નિષ્ફળતા અને આ ખતરાને સંબોધવા માટે લેવામાં આવેલા પગલાં માટે “યુનાઇટેડ સ્ટેટ્સ સામે બદલો” લેવાનું વર્ણવ્યું હતું તેના જવાબમાં અમેરિકાએ કેનેડા પર ટેરિફ 25% થી વધારીને 35% કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ તેના ઘણા વેપાર ભાગીદારો…
ટ્રમ્પના મર્જર પ્રસ્તાવ વચ્ચે ગેરકાયદેસર દવાઓ પર નિષ્ક્રિયતા બદલ અમેરિકાએ કેનેડા પર 35% ટેરિફ લાદ્યો
(જી.એન.એસ) તા. 1 વોશિંગટન/ટોરોન્ટો, શુક્રવારે સવારે યુનાઇટેડ સ્ટેટ્સે અનેક દેશોથી આયાત પર નવા ટેરિફ દરોની જાહેરાત કરી. આ શ્રેણીમાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર 35 ટકાનો જંગી ટેરિફ લાદ્યો, જે અગાઉ 25 ટકા હતો તેનાથી નોંધપાત્ર વધારો છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે કેનેડા ટેરિફમાં વધારો ગુનાઓ, ટ્રાફિકિંગ અને ગેરકાયદેસર ડ્રગ વેપારમાં સંડોવાયેલા ગુનેગારોની ઘટનાઓને રોકવામાં તેમની નિષ્ફળતાને કારણે થયો છે. આ ઉપરાંત, ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી કેનેડા અને યુએસ વચ્ચેના સંબંધો બગડ્યા છે, કારણ કે બાદમાં ટોરોન્ટોને યુએસમાં ભળી જવા અને તેનું 51મું રાજ્ય બનવા માટે દબાણ કરી રહ્યું છે. કેનેડા દ્વારા પેલેસ્ટાઇનને માન્યતા આપવા અંગે વિચારણા કર્યા…
(જી.એન.એસ) તા. 1 જામનગર, શહેરના બેડી બંદર રોડ પર એક યુવાન સોશિયલ મીડિયા પર રીલની ઘેલછામાં બેડીબંદર રોડ પર ગરીબ નગર વિસ્તારમાં ઓવર સ્પીડમાં સ્કોર્પિયો કાર ચલાવીને રીલ બનાવનારા યુવક સામે સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી છે. પોલીસે કાર કબજે લઈને યુવકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાને પોતાની જી.જી.10 ડી.આર. 3579 નંબરની સ્કોર્પિયો કારને બેડી બંદર રોડ પર ચલાવીને વીડિયો બનાવ્યો હતો. પોતે ફેમસ થવા આવુ કૃત્ય કર્યું હતું. જામનગરના યુવકને સોશિયલ મીડિયામાં ફેમસ થવું ભારે પડ્યું છે. આ સમગ્ર ઘટના જામનગર સાયબર ક્રાઇમની નજરમાં આવતા કાર ચાલકને શોધી કાઢી ભારતીય ન્યાય સંહિતા, એમ.વી.એક્ટ હેઠળ સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો…
(જી.એન.એસ) તા. 1 ભાવનગર, ભાવનગર પોલીસ વિભાગ દ્વારા શહેરના ભાજપ ઉપાધ્યક્ષ નીતિન રાઠોડ પર થોડા દિવસ અગાઉ કરવામાં આવેલ હુમલાના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હતો. આ હુમલો અગાઉ નોંધાયેલી પોલીસ ફરિયાદની અદાવત રાખીને કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. શહેર ભાજપના ઉપાધ્યક્ષ નીતિન રાઠોડે અગાઉ કોઈ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના કારણે ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. ભાજપ નેતા પર હુમલો થયા બાદ આ મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામા આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને હુમલો કરનારા ચાર આરોપીઓમાંથી ત્રણને…
(જી.એન.એસ) તા. ૧ નવી દિલ્હી, ભારતીય હવામાન વિભાગે ગુરુવારે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુના બીજા ભાગમાં ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ એક ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, પૂર્વોત્તર અને પૂર્વ ભારતના નજીકના વિસ્તારો સિવાય દેશના મોટાભાગના ભાગોમાં ઓગસ્ટમાં સામાન્ય વરસાદ પડવાની ધારણા છે. સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે, તેમણે જણાવ્યું હતું. ભારતમાં ચોમાસાની ઋતુના પહેલા ભાગમાં સામાન્યથી વધુ વરસાદ પડ્યો હતો, જેમાં કેટલાક રાજ્યો, ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં અચાનક પૂર આવ્યું હતું. “એકંદરે, દક્ષિણપશ્ચિમ ચોમાસાની ઋતુના બીજા ભાગમાં દેશમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે,” મહાપાત્રાએ જણાવ્યું હતું. “ભૌગોલિક…
(જી.એન.એસ) તા. 1 ૨૦૧૮ ના રોમેન્ટિક ડ્રામા ફિલ્મની બહુચર્ચિત સિક્વલ ‘ધડક ૨’, આજે (શુક્રવાર, ૧ ઓગસ્ટ)ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. પરંતુ આ ફિલ્મ આગળ વધતી નથી. આ એક નવી પ્રેમકથા, નવી કાસ્ટ અને વધુ કઠોર સામાજિક દ્રષ્ટિકોણ છે. શાઝિયા ઇકબાલ દ્વારા દિગ્દર્શિત આ ભાવનાત્મક રોલરકોસ્ટરમાં સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે, જેમાં ધર્મા પ્રોડક્શન્સ તેને ટેકો આપી રહ્યા છે. ધડક ૨: એક નવી વાર્તા, માત્ર બીજી સિક્વલ નહીં જ્યારે ‘ધડક’ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’નું હિન્દી રૂપાંતર હતું, ત્યારે ‘ધડક ૨’ મૂળ પ્લોટ કે પાત્રો સાથે જોડાયેલી નથી. આ વખતે, વાર્તા તમિલ ફિલ્મ ‘પૈર્યેરુમ પેરુમલ’ પરથી…
(જી.એન.એસ) તા. ૧ સુરત, ગુરુવારનો દિવસ સુરત માટે ખુબજ આંચકા સમાન રહ્યો, બે કમકમાટીભર્યા કિસ્સાઓ ના કરને અનેક જગ્યા પર શોક ની લાગણીઓ જોવા મળી હતી. પ્રથમ ઘટના- સુરતના લસકણા વિસ્તારમાં એક સામુહિક આપઘાતનો કેસ સામે આવ્યો છે. ગુરુવારે (31 જુલાઇ)એ 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી. થોડા સમય બાદ પરિવારને આ વિશે જાણ થતાં તેઓ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને માતા-પુત્રને બેભાન અવસ્થામાં જોઈ તાત્કાલિક તેમને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તબીબોએ માતાને સિવિલ હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું અને બાળક તે જ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.…
ફેફ્સાના કેન્સરની સારવાર માટે ગુજરાત બન્યું રાષ્ટ્રીય કેન્દ્ર, 5 વર્ષમાં 4,397 દર્દીઓને મળ્યું જીવનદાન (જી.એન.એસ) તા. ૩૧ ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સ્વસ્થ ભારત-સમૃદ્ધ ભારત’ના વિઝન હેઠળ ગુજરાત આરોગ્ય ક્ષેત્રે નવી ગાથા લખી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. અમદાવાદ સ્થિત ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) રાજ્યની આ પ્રતિબદ્ધતાનું કેન્દ્ર બન્યું છે, જ્યાં છેલ્લા 5 વર્ષમાં ફેફસાનું કેન્સર ધરાવતા હજારો દર્દીઓને અત્યાધુનિક સારવાર મળી છે. ગુજરાતની સ્વાસ્થ્ય સેવાઓમાં નવીનતા અને સશક્ત પહેલો માત્ર રાજ્યને જ નહીં, પરંતુ સમગ્ર દેશને એક મજબૂત અને સ્વસ્થ સમાજ તરફ લઈ જશે. કેન્સરની…
મેષ આજે તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે. જે લોકોએ કોઈ સંબંધી જોડે પૈસા ઉધાર લીધેલા તેમને કોઈપણ હાલત માં આજે પૈસા પાછા આપવા પડી શકે છે. કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી બડાઈ ફૂંકશે-જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જ સાર છે. પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે, તમે આ વતો પહેલા પણ સાંભળી હશે. પણ આજે તમે તેનો અનુભવ કરશો. તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજાવવામાં તમને મુશ્કેલી પડશે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો…
