Author: gujdesk

(જી.એન.એસ) તા. 17 અમદાવાદ, અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાના સમાચારે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. આ ગોઝારી ઘટનામાં ભારતીય અને વિદેશી નાગરિકો સહિત અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ હૃદયદ્રાવક ઘટનામાં મૂળ ગુજરાતી અને 1978થી બ્રિટનમાં સ્થાયી થયેલા પટેલ દંપતી, અશોકભાઈ અને શોભનાબેન પટેલનું પણ અવસાન થયું હતું. આ ગાથા એક એવા દંપતીની છે જેઓ જીવનભર એકબીજાની સાથે રહ્યા અને મૃત્યુ પણ તેમને અલગ ન કરી શક્યું. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત હોસ્પિટલના કંટ્રોલ રૂમમાંથી અશોકભાઈના દીકરા મિતેન પટેલને લંડનથી અમદાવાદ બોલાવવામાં આવ્યા. મિતેન તેમના ભાઈ…

Read More

(જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, રાજ્યમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેમજ રાજ્યના અનેક જીલળોમાં ભારે વરસાદ વરસ્યો છે ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે મોડી સાંજે ગાંધીનગરમાં સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તેમજ પોલીસ, હવામાન વિભાગ, એન.ડી.આર.એફ., કોસ્ટ ગાર્ડના અધિકારીઓ સાથે બેઠક યોજીને તંત્રની સતર્કતા – સજ્જતાની સમીક્ષા કરી હતી. * ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં નદીઓમાં પૂર આવવાને પરિણામે નાના પૂલો, નાાળા, કોઝવે પરથી ભયજનક રીતે વહેતા પાણીમાં કોઈ વાહન કે વ્યક્તિ ન જાય તેની તકેદારી રાખવાની તેમણે સૂચનાઓ આપી હતી. * એટલું જ નહીં, આવા સ્થળોએ ચેતવણી સૂચક બોર્ડ અને જરૂર…

Read More

(જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, ગુજરાતની ૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આગામી ૧૯ જૂન,૨૦૨૫ના રોજ યોજાનાર મતદાનને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા બંને વિધાનસભા મત વિસ્તારમાં રજા જાહેર કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામા અનુસાર ૧૮૮૧ના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૨૫ની જોગવાઇ તથા કેન્દ્રિય ગૃહ મંત્રાલયના તા.૮-૫-૧૯૬૮ના જાહેરનામા અનુસાર ૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આગામી ૧૯ જૂન,૨૦૨૫ના રોજ યોજાનાર મતદાનને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા બંને વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં રજા જાહેર કરવામાં આવી છે.

Read More

(જી.એન.એસ) તા. 17 નાગપુર, પૂર્વ મહારાષ્ટ્ર જિલ્લાના ભીલગાંવ ખાતે અંકિત પલ્પ્સ એન્ડ બોર્ડ્સ પ્રાઇવેટ લિમિટેડના યુનિટના ગ્લાસ લાઇન રિએક્ટરમાં વિસ્ફોટ થયો હતો, એમ તેમણે જણાવ્યું હતું. વિસ્ફોટનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. આ ઘટના મામલે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ સવારે લગભગ 11 વાગ્યે થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અડધો ડઝન અન્ય ઘાયલ થયા હતા. તેમણે માહિતી આપી હતી કે બધા ઘાયલો નજીકના કમ્પટી શહેરની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમાંથી એકની હાલત ગંભીર છે. કંપની માઇક્રોક્રિસ્ટલાઇન સેલ્યુલોઝ (MCC) ના ઉત્પાદનમાં રોકાયેલી છે જેનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ અને ખાદ્ય ઉદ્યોગોમાં થાય છે. MCC…

Read More

(જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, છેલ્લા 48 કલાકથી સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ પધરામણી કરી છે, ત્યારે ભાવનગર અને અમરેલી એટલે કે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને પગલે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. નદીઓ પણ ગાંડીતૂર બની છે અને તેને લઈને અનેક ગામના લોકો પ્રભાવિત થયા છે. કેટલાક વિસ્તારમાં તો જનજીવન પણ પ્રભાવિત થયું છે. ત્યારે રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે આ બેઠક યોજાઈ હતી. રાહત કમિશ્નરની અધ્યક્ષતામાં વેધર વોચ કમિટીની બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ હતી જેમાં હવામાન વિભાગ, મહેસુલના અધિકારી, માર્ગ અને મકાન વિભાગ, NDRF, SDRFની ટીમના વડા આ…

Read More

(જી.એન.એસ) તા. 17 મંડી, હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મંગળવાર, 17 જૂનના રોજ ભારે વરસાદ વચ્ચે એક પેસેન્જર બસ રસ્તા પરથી લપસીને 200 મીટર ઊંડી ખીણમાં ખાબકતાં બે લોકોના મોત થયા હતા અને લગભગ 25 લોકો ઘાયલ થયા હતા. સરકાઘાટ નજીક પત્રીઘાટ વિસ્તારમાં ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રસ્તા પરથી નીચે પડી ગઈ હતી. બસમાં લગભગ 35 લોકો હતા અને 25 લોકોને ઘાયલ હાલતમાં બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કાટમાળ નીચેથી બે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા, જે દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોને બચાવવા માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભારે વરસાદને કારણે તેમના પ્રયાસોમાં અવરોધ આવ્યો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે…

Read More

(જી.એન.એસ) તા. 17 પટના, ભાજપના ધારાસભ્ય વિશાલ પ્રશાંતની પત્ની અને બિહારના ભૂતપૂર્વ ધારાસભ્ય સુનીલ પાંડેની પુત્રવધૂ ઐશ્વર્યા રાજને મિસિસ બિહાર 2025નો તાજ પહેરાવવામાં આવ્યો છે. રાજ્યભરની પરિણીત મહિલાઓની ઉજવણી માટે તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આ જાહેરાત કરવામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર આ સમાચાર શેર કરતા ઐશ્વર્યાએ લખ્યું, “સ્વપ્નોથી વાસ્તવિકતા સુધી – તમારી છોકરી હવે મિસિસ બિહાર 2025 છે!” તેણીએ તેના પરિવાર અને સમર્થકોનો આભાર માનતા ઉમેર્યું, “આ તાજ દરેક મહિલા માટે છે જે સ્વપ્ન જોવાની હિંમત કરે છે.” ઐશ્વર્યા, જેના 28,000 થી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે, તે સુંદરતા, ફેશન, મુસાફરી અને માતૃત્વ પરના તેમના કન્ટેન્ટ માટે જાણીતી છે. એક સમયે…

Read More

(જી.એન.એસ) તા. 17 તેહરાન, ઈરાનમાં ભારતીય દૂતાવાસે મંગળવારે તેહરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના વ્યક્તિઓ (PIOs) ને સલાહ આપી હતી કે તેઓ શક્ય હોય તો પોતાના સંસાધનોનો ઉપયોગ કરીને શહેર છોડી દે અને રાજધાનીની બહાર સલામત સ્થળે સ્થળાંતર કરે, કારણ કે મધ્ય પૂર્વ ક્ષેત્રમાં તણાવ સતત વધી રહ્યો છે. આ સલાહકાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તીવ્ર બની રહેલા સંઘર્ષ વચ્ચે તેહરાનને “તાત્કાલિક ખાલી કરાવવા” માટે કડક ચેતવણી જારી કર્યાના થોડા સમય પછી આવી છે. શહેરની બહાર ‘સુરક્ષિત સ્થાન’ પર જાઓ “બધા ભારતીય નાગરિકો અને પીઆઈઓ જે પોતાના સંસાધનોનો ઉપયોગ કરીને તેહરાનથી બહાર જઈ શકે છે, તેમને શહેરની બહાર…

Read More

આ છે અમદાવાદ વિમાન દુર્ઘટનાની બચાવ કામગીરીના રિયલ હીરોઝ – તેમના અનુભવો તેમના જ શબ્દોમાં (જી.એન.એસ) તા. 17 અમદાવાદ, કોઈ પણ અકસ્માત કે દુર્ઘટના પછી સૌથી પહેલી જરૂરિયાત હોય છે, ઘાયલોના બચાવ અને તેમને સમયસર સારવાર મળે તે. તા.૧૨મી જૂનના એ ગોઝારા દિવસે અમદાવાદથી એરઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ-૧૭૧એ ટેક ઑફ કર્યાં બાદ તુરંત જ ક્રેશ થઈ. ત્યાર બાદ માત્ર ત્રણ જ મિનિટમાં ૧૦૮ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવની કામગીરી શરૂ કરી દીધી હતી. ત્યારે દુર્ઘટના સમયે સૌથી પહેલાં બચાવ માટે પહોંચેલી ૧૦૮ની ટીમના સભ્યો તેમને થયેલા જાત અનુભવ, એ વખતની તેમની મનોસ્થિતિ અને નજરે જોયેલા દૃશ્યો વિશે શું કહે…

Read More

(જી.એન.એસ) તા. 17 નાગપુર, ઈન્ડિગો એરલાઇન્સની કોચ્ચિથી દિલ્હી જઈ રહેલી એક ફ્લાઇટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી બાદ નાગપુર એરપોર્ટ પર તેની ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ સલામતીને ધ્યાને લઈને વિમાનનું નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું, જ્યાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી વિમાનની તપાસ કરવામાં આવી હતી. વિમાનમાં બોમ્બની ધમકી મળ્યા બાદ પ્રોટોકોલ હેઠળ તુરંત ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં પુષ્ટિ કરવામાં આવી કે, ધમકી ગંભીર હતી. કારણ કે, ધમકીમાં ફ્લાઇટ નંબર પણ સ્પષ્ટ રૂપે આપવામાં આવ્યો હતો. જોકે, ધમકી મળી ત્યાં સુધી ફ્લાઇટ કોચ્ચિથી ઉડાન ભરી ચુકી હતી, જેને સુરક્ષાના કારણોસર નાગપુર એરપોર્ટ તરફ વળાવી…

Read More