Author: Gujarat Desk

(જી.એન.એસ) તા. ૫ અલવર, રાજસ્થાનના પ્રથમ ‘નમો બાયોડાયવર્સિટી પાર્ક’નું ઉદ્ઘાટન આજે અલવરના પ્રતાપ બંધ ખાતે પ્રતીકાત્મક વૃક્ષારોપણ સમારોહ સાથે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અધ્યક્ષતા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી શ્રી સંજય શર્માની ઉપસ્થિતિમાં કરી હતી. ‘X’ પર એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી યાદવે જણાવ્યું હતું કે ‘નમો વન’ નામનો નવો વિકસિત ઉદ્યાન આ પ્રદેશ માટે એક મહત્વપૂર્ણ હરિયાળા ફેફસાં તરીકે કલ્પના કરવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ સ્થાનિક હરિયાળીને નોંધપાત્ર રીતે વધારવા અને સ્વચ્છ હવામાં યોગદાન આપવાનો છે, સાથે સાથે મુલાકાતીઓમાં પર્યાવરણીય જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે. તેના પર્યાવરણીય લાભો ઉપરાંત, આ ઉદ્યાન નાગરિકોને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ અને ટકાઉ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપવા માટે…

Read More

(જી.એન.એસ) તા. ૫ અમદાવાદ, શહેરના પાલડી વિસ્તારમાં આવેલી વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. સદભાગ્યે, હોસ્પિટલમાં દાખલ તમામ 10 બાળકોને સમયસર અને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાની ઘટના બાદ હોસ્પિટલમાં ધુમાડાના વાદળો ફેલાઈ ગયા હતા. ફાયર બ્રિગેડને જાણ કરાતા તેની બે થી વધુ ગાડીઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે થોડા જ સમયમાં આગને કાબૂ મેળવી લેવામાં આવ્યો હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. જોકે, આ ઘટનાએ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના મુદ્દા પર ગંભીર સવાલ ઊભા કર્યા છે. ઘટના…

Read More

મેષ આજના દિવસે તમારો મૂડ બદલવા માટે કોઈક સામજિક મેળાવડામાં હાજરી આપો. વીતેલા સમય માં તમે ઘણા પૈસા ખર્ચ કર્યા છે જેનું પરિણામ તમને અત્યારે ભોગવવું પડી શકે છે. આજે તમને પૈસા ની જરૂર હશે પરંતુ તે તમને નહિ મળી શકે. તમે જો તમારા ભાગીદારોના મતને નજરઅંદાજ કરશો તો તેઓ ધીરજ ખોઈ બેસશે. તમારા પ્રિયપાત્રના સોશિયલ-મિડિયા પરના છેલ્લાં કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો, તમને એક સુંદર આશ્ચયર્ય મળશે. ટીવી પર મૂવી જોવી અને તમારી નજીક ના લોકો સાથે ગપસપ કરવી – આના થી વધુ સારુ શું હોઈ શકે? જો તમે થોડો પ્રયત્ન કરો છો, તો તમારો દિવસ આ રીતે પસાર…

Read More

તિથિ ત્રયોદશી (તેરસ) – 15:05:53 સુધી નક્ષત્ર શતભિષ – 08:02:12 સુધી, પૂર્વભાદ્રપદ – 30:16:58 સુધી કરણ તૈતુલ – 15:05:53 સુધી, ગરજ – 25:49:36 સુધી પક્ષ શુક્લ યોગ ગંડ – 16:34:25 સુધી વાર રવિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 06:32:24 સૂર્યાસ્ત 18:23:43 ચંદ્ર રાશિ કુંભ – 24:46:20 સુધી ચંદ્રોદય 17:11:00 ચંદ્રાસ્ત 29:25:00 ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 19 મહિનો પૂર્ણિમાંત આશ્વિન (આસો) મહિનો અમાંત આશ્વિન (આસો) દિન કાળ 11:51:19 અશુભ સમય દુર મુહુર્ત 16:48:52 થી 17:36:17 ના કુલિક 16:48:52 થી 17:36:17 ના દુરી / મરણ 10:29:30 થી 11:16:55 ના રાહુ કાળ 16:54:48 થી 18:23:43 ના કાલવેલા/અર્ધ્યામ 12:04:20 થી 12:51:46 ના યમ ઘંટા…

Read More

(જી.એન.એસ) તા.4 વોશિંગ્ટન, વેનેઝુએલાના દરિયાકાંઠે ગેરકાયદેસર ડ્રગ્સ વહન કરતા જહાજ પર થયેલા હુમલામાં યુનાઇટેડ સ્ટેટ્સે ચાર લોકોના મોત નિપજ્યા હતા, એમ યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે શુક્રવારે જણાવ્યું હતું, જે તાજેતરના અઠવાડિયામાં ઓછામાં ઓછો ચોથો આ પ્રકારનો હુમલો છે. આ હુમલો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લોસ એન્જલસમાં સક્રિય-ડ્યુટી યુ.એસ. સૈનિકો તૈનાત કરવાથી લઈને ડ્રગ હેરફેરના શંકાસ્પદો સામે આતંકવાદ વિરોધી હુમલાઓ હાથ ધરવા સુધીના નવા અને ઘણીવાર કાયદેસર રીતે વિવાદાસ્પદ રીતે યુએસ લશ્કરી શક્તિનો ઉપયોગ કરવાના પ્રયાસોનું નવીનતમ ઉદાહરણ છે. હેગસેથે જણાવ્યું હતું કે શુક્રવારનો હુમલો આંતરરાષ્ટ્રીય પાણીમાં કરવામાં આવ્યો હતો અને માર્યા ગયેલા બધા લોકો પુરુષો હતા. તેમણે કહ્યું હતું…

Read More

‘રેવન્યુ કોર્ટ કેસ: પ્રોસેસરી-એન્જિનિયરિંગ’ તેમજ ‘રિસર્વે એફર્ટસ અને લેન્ડ એક્વિઝિશન’ વિષયો પર વરિષ્ઠ અધિકારીઓની પેનલ દ્વારા માહિતીસભર ચર્ચા (જી.એન.એસ) તા.4 ગાંધીનગર, ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઈ રહેલી ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ પરની નેશનલ કોન્ફરન્સના બીજા દિવસે આજે વિવિધ વિષયો પર રસપ્રદ પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના ભાગમાં ‘રેવન્યુ કોર્ટ કેસ: પ્રોસેસ રી-એન્જિનિયરિંગ તેમજ ‘રિસર્વે એફર્ટસ અને લેન્ડ એક્વિઝિશન’ વિષયો પર વરિષ્ઠ અધિકારીઓની પેનલે માહિતીસભર ચર્ચા કરી હતી. આ પરિચર્ચામાં ભારત સરકારના જમીન સંસાધન વિભાગના સચિવ શ્રી મનોજ જોશીએ દેશમાં વિભિન્ન રાજ્યોમાં જમીન સંપાદનની નોંધણી વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહેસૂલ વિભાગની રેવન્યુને લગતી મોટા ભાગની…

Read More

૨૭ અભ્યાસલેખો, ૩૧ નવલિકાઓ, ૧૭ વિનોદિકાઓ, ૧૧ નાટિકા અને ૯૭ જેટલી કાવ્ય રચનાઓ અને માનવીય સંવેદનાઓને અભિવ્યક્ત કરતી ૫૧ જેટલી રંગીન તસવીરો અને મનમોહક ચિત્રો સાથેનો દળદાર દીપોત્સવી અંક (જી.એન.એસ) તા.4 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘‘ગુજરાત દીપોત્સવી અંક’’ વિક્રમ સંવત ૨૦૮૧નું વિમોચન ગાંધીનગરમાં કર્યું હતું. રાજ્યના માહિતી ખાતા દ્વારા દર વર્ષે પ્રકાશિત કરવામા આવતાં દીપોત્સવી અંકની પરંપરામાં આ વર્ષે ગુજરાતના સાહિત્ય, કલા, ઇતિહાસ, સાંસ્કૃતિક વિરાસત, સંસ્કાર વારસાને ‘ગુજરાત દીપોત્સવી અંક’ના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ દીપોત્સવી અંકના વિમોચન અવસરે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવ અને માહિતી – પ્રસારણ વિભાગના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, માહિતી નિયામકશ્રી…

Read More

“નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ”નો સમાપન સમારોહ યોજાયો (જી.એન.એસ) તા.4 ગાંધીનગર, ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય “નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ”નો સમાપન સમારોહ આજે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવીની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો. આ બે દિવસીય પરિષદમાં સહભાગી થયેલા વિવિધ રાજ્યના પ્રતિનિધિઓ અને ગુજરાતના અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવીને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવીએ સમાપન સમારોહમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પર લેન્ડ એડ્મીનીસ્ટ્રેશન જેવા વિષય પરની રાષ્ટ્રીય પરિષદ રાજ્યની પારદર્શી વહીવટી પ્રણાલીને વધુ વેગવાન બનાવશે. આ…

Read More

ગુજરાત પર ‘શક્તિ’ વાવાઝોડાનો ખતરો ! અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની માંગરોળ, જામનગર, દ્વારકાના દરિયામાં તોફાની કરંટ જોવા મળ્યો, બેડી બંદર પર લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ (જી.એન.એસ) તા.4 ગાંધીનગર, ઓક્ટોબર મહિનાની શરૂઆત થઇ ગઇ છે. જો કે હજુ સુધી ચોમાસાએ વિદાય લીધી નથી અને હજુ પણ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની જ શકયતાઓ છે પરંતુ હવે ગુજરાતના માથે વધુ એક ઘાત તોળાઇ રહી છે. અરબ સાગરમાં જે વરસાદી સિસ્ટમ હતી. તે હવે વાવાઝોડું બની ગઇ છે. એટલું જ નહીં આગામી કલાકોમાં વાવાઝોડું ગંભીર ચક્રવાત બની જાય તેવી પણ શકયતાઓ છે. ગુજરાતમાં આગામી સમયમાં પણ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા…

Read More

(જી.એન.એસ) તા.4 ગુવાહાટી, એક સત્તાવાર આદેશમાં જણાવાયું છે કે આસામ સરકારે ગાયક-સંગીતકાર ઝુબીન ગર્ગના મૃત્યુની તપાસ માટે એક સભ્યનું ન્યાયિક કમિશન બનાવ્યું છે રાજકીય વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે ગૌહાટી હાઇકોર્ટના ન્યાયાધીશ સૌમિત્ર સૈકિયાના નેતૃત્વ હેઠળનું કમિશન છ મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરશે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા શુક્રવારે મોડી રાત્રે X પર આ આદેશ શેર કરવામાં આવ્યો હતો. કમિશન 19 સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં ગર્ગના મૃત્યુ તરફ દોરી જતા “તથ્યો અને સંજોગો” ની તપાસ કરશે, એમ તેમાં જણાવાયું છે. એક સભ્યનું પેનલ એ પણ તપાસ કરશે કે લોકપ્રિય ગાયકના મૃત્યુના સંબંધમાં કોઈ વ્યક્તિ, સત્તાવાળા અથવા સંસ્થા તરફથી કોઈ…

Read More