Author: Gujarat Desk

તિથિ દ્વિતિયા (બીજ) – 17:13:14 સુધી નક્ષત્ર જ્યેષ્ઠા – 16:47:28 સુધી કરણ કૌલવ – 17:13:14 સુધી, તૈતુલ – 30:21:38 સુધી પક્ષ શુક્લ યોગ સુકર્મા – 11:29:13 સુધી વાર શનિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 06:57:15 સૂર્યાસ્ત 17:53:40 ચંદ્ર રાશિ વૃશ્ચિક – 16:47:28 સુધી ચંદ્રોદય 08:41:59 ચંદ્રાસ્ત 19:18:00 ઋતુ હેમંત હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 7 મહિનો પૂર્ણિમાંત માર્ગશીર્ષ (માગશર) મહિનો અમાંત માર્ગશીર્ષ (માગશર) દિન કાળ 10:56:24 અશુભ સમય દુર મુહુર્ત 06:57:15 થી 07:41:01 ના, 07:41:01 થી 08:24:47 ના કુલિક 07:41:01 થી 08:24:47 ના દુરી / મરણ 12:03:35 થી 12:47:21 ના રાહુ કાળ 09:41:22 થી 11:03:25 ના કાલવેલા/અર્ધ્યામ…

Read More

અમદાવાદમાં AQI 240, તો વડોદરામાં 220 નોંધાયું (જી.એન.એસ),તા.૨૧ અમદાવાદ રાજ્યમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 200ને પાર થતાં હવા ઝેરી બની છે, જે ગુણવત્તાને ‘ખરાબ’ શ્રેણીમાં મૂકે છે. મુખ્ય શહેરોમાં અમદાવાદમાં AQI 240 અને વડોદરામાં AQI 220 નોંધાયો છે, જે લોકોનાં સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે. પ્રદૂષણના ઊંચા સ્તરને જોતાં નાગરિકોને બીમારીઓથી બચવા માટે માસ્ક પહેરવાની અને ખાસ કરીને હવામાં પ્રદૂષણ વધુ હોય એવા સમયગાળા, જેમ કે વહેલી સવારે અને રાત્રે બહાર જવાનું ટાળવું જોઈએ. અમદાવાદમાં શિયાળાની શરૂઆત સાથે જ હવામાનમાં પ્રદૂષણનો સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આજે પણ શહેરમાં વહેલી સવારે AQI 240 નોંધાયો હતો, જે સિવિયર કન્ડિશનમાં પહોંચી…

Read More

ડો.અહેમદના અમદાવાદ રોકાણના CCTV સામે આવ્યા (જી.એન.એસ),તા.૨૧ અમદાવાદ ગુજરાત એટીએસ દ્વારા 9 નવેમ્બરના આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસની ટીમ દ્વારા આતંકીઓની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આતંકી મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનના ઘરે તપાસ દરમિયાન ટીમને ISISનો ઝંડો અને ડિજિટલ પુરાવાઓ મળ્યા હતા. આતંકી આઝાદની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી કે આતંકી સુલેહે એક પાર્સલ આઝાદને મોકલાવ્યું હતું. આ પાર્સલ લઈને એટીએસે તપાસ શરૂ કરી છે. આતંકી ડો. અહેમદને ભારતમાં ખૂબ મોટી ઘટનાને અંજામ આપવો હતો. માત્ર એટલું જ નહીં, હરિદ્વારનાં મંદિરોમાં રેકી પણ કરી હતી. આ સાથે જ આતંકી ડો. અહેમદ સૈયદ 7 નવેમ્બરના રોજ અમદાવાદના લાલ…

Read More

એક્ટિવા સવાર દંપતીને ટક્કર મારતા મહિલાને ઈજા (જી.એન.એસ),તા.૨૧ અમદાવાદ અમદાવાદના પાલડી વિસ્તારમાં વિશ્વકુંજ ચાર રસ્તા પાસે 20 નવેમ્બરની મોડીરાત્રે જાનમાં જતી થાર કારના ચાલકે અકસ્માત સર્જતા માહોલ તંગદિલી ભર્યો બન્યો હતો. કારચાલકે એક્ટિવા પર જતાં દંપતની ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતાં. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને કારમાં તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતા ભાજપના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને ડીસીપી ઝોન 7 ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા. અકસ્માત સર્જનાર કારચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ટ્રાફિક અને પાલડી પોલીસ દ્વારા અકસ્માત અને ટોળા દ્વારા કરવામાં આવેલી તોડફોડને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી…

Read More

(જી.એન.એસ) તા. ૨૧ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરી પછી, બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરને મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલ (ANC) દ્વારા ડ્રગ્સ પાર્ટી કેસના સંદર્ભમાં સમન્સ મોકલવામાં આવ્યું છે. સિદ્ધાંતને 25 નવેમ્બરે હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે ઓરહાન અવત્રામણિ ઉર્ફે ઓરી, જે અગાઉના સમન્સ ચૂકી ગયા હતા, તેમને હાજર રહેવાની નવી તારીખ – 26 નવેમ્બર મળી છે. ઓરીને અગાઉ 20 નવેમ્બરે પૂછપરછ માટે હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેઓ તેમ કરવામાં નિષ્ફળ ગયા અને હાજર રહેવા માટે વધુ સમય માંગ્યો હતો. સમાજસેવીના પ્રતિનિધિએ દાવો કર્યો હતો કે તે મુંબઈની બહાર છે. આ મહિનાની શરૂઆતમાં ધરપકડ કરાયેલા ડ્રગ તસ્કરે…

Read More

(જી.એન.એસ) તા. ૨૧ મુંબઈ, મહારાષ્ટ્ર સરકારે રાજ્ય સરકારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે માર્ગદર્શિકાનો એક નવો સેટ જારી કર્યો છે, જેમાં સંસદસભ્યો (સાંસદ) અને વિધાનસભાના સભ્યો (ધારાસભ્યો) સાથે વાતચીત કરવા માટે સ્પષ્ટ પ્રોટોકોલ સ્થાપિત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મીટિંગ અને વાતચીત દરમિયાન આદરપૂર્ણ અને નમ્ર વર્તન જાળવવાનું ફરજિયાત છે. નવા નિર્દેશ હેઠળ, અધિકારીઓએ ઓફિસની મુલાકાત લેતી વખતે સાંસદો અને ધારાસભ્યોનું ઉભા થઈને સ્વાગત કરવું આવશ્યક છે. સરકારે આને રાજ્યના કર્મચારીઓ પાસેથી અપેક્ષિત “આચાર અને શિષ્ટાચારના લઘુત્તમ ધોરણ” તરીકે વર્ણવ્યું છે. ફોન શિષ્ટાચાર અને સંદેશાવ્યવહાર માર્ગદર્શિકામાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અધિકારીઓએ સાંસદો અને ધારાસભ્યો…

Read More

ભેજાબાજોએ દિલ્લી ATSના નામે ફોન કરીને તમારા ખાતામાં 40 કરોડનો ફ્રોડ’ થયું છે કહીને ડિજિટલ અરેસ્ટ કર્યા, ગભરાયેલા ખેડૂતનો આપઘાત (જી.એન.એસ),તા.૨૧ વડોદરા વડોદરા જિલ્લાના કાયાવરોહણમાં ડિજિટલ અરેસ્ટમાં ફસાઈ ખેડૂતે આપઘાત કરી લીધાની રાજ્યની પહેલી ઘટના સામે આવી છે. કાયાવરોહણના કાકા રામના ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા 65 વર્ષીય અતુલભાઈ હિરાભાઈ પટેલને અજાણ્યા ભેજાબાજોએ દિલ્લી ATSના નામે ફોન કરી તેમની બેંક એકાઉન્ટમાં રૂ. 40 કરોડના ફ્રોડ અંગે તપાસ ચાલી રહી હોવાનું કહી ધમકાવ્યા ત્યારબાદ તેમને એક દિવસ સુધી “ડિજિટલ અરેસ્ટ” રાખવામાં આવ્યા હતા. સતત દબાણ અને ભયના કારણે અતુલભાઈ સોમવાર વહેલી સવારે 5 વાગ્યે ઘરે જ ઝેરી દવા પી આપઘાત કર્યો…

Read More

ધમકીભર્યા ઈમેઈલ મોકલનાર રેની જામીન માટે હાઈકોર્ટ પહોંચી કોર્ટે કહ્યું- “તમે થ્રેટ ઈમેઈલ મોકલ્યો હતો, તમારા લીધે કેટલા લોકો હેરાન થયા”; અરજદાર બોલી- “મને પકડ્યા બાદ પણ ઈમેઈલ થયા” (જી.એન.એસ),તા.૨૧ અમદાવાદ અમદાવાદમાં બોપલ વિસ્તારમાં આવેલી શાળા, સરખેજમાં આવેલી શાળા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ પ્લેન ક્રેશ વખતે BJ મેડિકલ કોલેજ અને હાઈકોર્ટને બોમ્બ મૂકાયાના થ્રેટ ઇમેઇલ દિવીજ પ્રભાકરના નામથી મળ્યા હતા. સાયબર ક્રાઈમે ઇમેઇલ મોકલનાર રેની જોશિલ્ડા નામની આરોપી યુવતીની ચેન્નઈથી ધરપકડ કરી હતી. તેને કસ્ટડીમાં પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. અત્યારે રેની જેલમાં છે, ત્યારે તેને ઉપરોક્ત ફરિયાદો પૈકી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ મુકવાની ધમકી, પોલીસ સાથે ઝપાઝપી અને…

Read More

કોલેજના ડાયરેક્ટર પર 200-500ની નકલી નોટો ઉછાળી ફી લૂંટનો અને હોલ ટિકિટ સમયસર ન આપતા હોવાનો આક્ષેપ (જી.એન.એસ),તા.૨૧ અમદાવાદ ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી એશિયા પેસિફિક કોલેજમાં NSUI દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કોલેજના ડાયરેક્ટર પર NSUIના કાર્યકર્તાઓએ 200 અને 500ની નકલી નોટો ઉછાળી વિરોધ દર્શાવ્યો હતો. પરીક્ષાના આગલા દિવસે આગામી સેમેસ્ટરની ફી કોલેજ દ્વારા લેવામાં આવતી હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી, ડાયરેક્ટર પર નકલી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. જે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ લેવાની હોય એમની પાસે જ વહેલા ફી માંગી હોવાનો કોલેજના ડાયરેક્ટર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. એશિયા પેસિફિક કોલેજમાં વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવતા…

Read More

(જી.એન.એસ) તા. ૨૧ નવી દિલ્હી, વિશ્વની સૌથી જૂની પર્વત પ્રણાલીઓના રક્ષણ માટેના ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે અરવલ્લી ટેકરીઓ અને પર્વતમાળાઓની એક સમાન વ્યાખ્યા સ્વીકારી છે અને નિષ્ણાતોના અહેવાલો બહાર ન આવે ત્યાં સુધી દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના વિસ્તારોમાં નવા ખાણકામ ભાડાપટ્ટો આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. ગુરુવારે પોતાના છેલ્લા ચુકાદામાં, મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ અરવલ્લી ટેકરીઓ અને પર્વતમાળાઓના રક્ષણ માટે અરવલ્લી ટેકરીઓ અને પર્વતમાળાઓની વ્યાખ્યા પર MoEF&CC ની સમિતિની ભલામણોને સ્વીકારી હતી. “અરવલ્લી ટેકરી” ને નિયુક્ત અરવલ્લી જિલ્લાઓમાં કોઈપણ ભૂમિ સ્વરૂપ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવશે જેની ઊંચાઈ તેની સ્થાનિક રાહતથી 100 મીટર કે તેથી વધુ હોય અને “અરવલ્લી ટેકરી” એ…

Read More