Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે દરેક ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલી યથાવત્…!!

ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે દરેક ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલી યથાવત્…!!

119
0
Bull and Bear -Stock Market Trends

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૧૧.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૨૬૦.૫૮ સામે ૫૭૨૭૨.૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૬૮૬૭.૫૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૩૧૬.૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯૫.૭૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૦૬૪.૮૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૦૯૪.૯૦ સામે ૧૭૦૮૯.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૦૦૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૭.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૭.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૦૩૬.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે આજે ફરી શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વના કેટલાક ભાગોમાં કોરોના વાયરસના નવા અને વધુ ખતરનાક વેરિઅન્ટે ઓમિક્રોન દેખાતાં અને દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટે દેખા દીધી હોવાના સમાચારના પગલે ફરી એકવાર મુસાફરી અને પ્રિતંબંધોની અટકળો વધુ તેજ બનવાની આશંકાએ વૈશ્વિક બજારો સાથે આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં નવા વાયરસની અસરને કારણે રિકવરી સંપૂર્ણપણે પાટા પરથી ઉતરી શકે અને રિકવરીની અનિશ્ચિતતાને જોતા ઉછાળે નફારૂપી વેચવાલી કરી રહ્યા છે. વિવિધ પ્રતિકળ અહેવાલો પાછળ દરેક ઉછાળે વેચવાલીના દબાણ પાછળ પણ શેરબજારમાં પીછેહઠ નોંધાઈ હતી. ચાલુ માસમાં એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની પણ બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે.

આજે શરૂઆતી કારોબારમાં બીએસઇ સેન્સેક્સમાં અંદાજીત ૯૦૦ પોઈન્ટનો અને નિફ્ટી ફ્યુચરમાં ૨૫૦ પોઈન્ટનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, જો કે દરેક ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલીના પરિણામે બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચર દિવસની નીચી સપાટીએ બંધ રહ્યા હતા. ભારતીય શેરબજારમાં કંઝ્યુમર ડ્યુરેબલ્સ, આઇટી – ટેક અને રિયલ્ટી સેક્ટર સિવાય અન્ય સેક્ટરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મેટલ સેક્ટરમાં અંદાજીત ૨% અને એનર્જી સેક્ટરમાં ૧%થી વધુનો ઘટાડો નોંધાયો હતો. ફંડો, મહારથીઓએ ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય ઉછાળે સાવચેતીમાં નફારૂપી વેચવાલી નીકળતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, એનર્જી, ફાઈનાન્સ, ટેલિકોમ, ઓટો, બેન્કેક્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૦૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૭૧ અને વધનારની સંખ્યા ૧૭૭૮ રહી હતી, ૧૫૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૭૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૮૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા નવા કોવિડ વેરિયેન્ટને પરિણામે મોટાભાગના વૈશ્વિક બજારોમાં રોકાણકારોનું માનસ ખરડાયું છે. પશ્ચિમી દેશોમાં શિયાળો ઝડપથી આગળ વધી રહ્યો છે, ત્યારે કોરોના નવેસરથી ફેલાવાનો ભય ઊભો થયો છે જે બજાર માટે જોખમી છે. નવા વેરિયેન્ટને કારણે વિવિધ રાષ્ટ્રોમાં ફરીથી લોકડાઉનની સ્થિતિ આવી શકે છે જેને કારણે આર્થિક રિકવરી સામે રુકાવટ ઊભી થઈ શકે છે. સ્થાનિક સ્તરે ૧૯ ઓકટોબર ૨૦૨૧ના ૬૨૨૪૫ની બાવન સપ્તાહની ઊંચી સપાટીએથી બીએસઇ સેન્સેકસમાં ૮%થી વધુનો ઘટાડો નોંધાયો છે. ઘટનાક્રમોને ધ્યાનમાં રાખતા વધુ ઘટાડો નકારી શકાય એમ નથી. ભારતમાં વધતાં કેસો સાથે કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને જોતાં હાલની સ્થિતિમાં રોકાણકારોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી જોઈએ.

અમેરિકામાં વ્યાજ દરોમાં ગમે તે ઘડીએ વધારો થવાની શકયતા અને ક્રુડ ઓઈલના ઊંચા પ્રવર્તતા ભાવોની પરિસ્થિતિ સહિતના પરિબળો ભારતીય શેરબજારમાં ઓવર વેલ્યુએશનનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા હોઈ શેરોમાં દરેક ઉછાળે વેચીને હળવા  થવાની અહીંથી સ્પષ્ટ સલાહ આપવામાં  આવે છે. છેલ્લા કેટલાક સપ્તાહોથી ભારતીય શેરબજારમાં સતત વેચવાલી જોવા મળી રહી છે, ત્યારે અમેરિકા, જર્મની, ફ્રાન્સ, રશિયા તથા યુકેમાં કોરોનાના કેસોમાં જોરદાર વધારો થયો છે ત્યારે ડીસેમ્બરમાં કેવો ટ્રેન્ડ રહે છે, તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ…!!
Next articleસુખ સાથે જીવનને કેવી રીતે પ્રેમ કરવો
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.