Home જનક પુરોહિત રામ મંદિર મુદ્દે ભાજપનું આંદોલન-કેમ – કોની સામે અને કોના કહેવાથી

રામ મંદિર મુદ્દે ભાજપનું આંદોલન-કેમ – કોની સામે અને કોના કહેવાથી

672
0

ભાજપના નેતાઓ અને કાર્યકરોને ફોન કરો તો ‘ હેલ્લો ’ નાં બદલે ‘ વંદે માતરમ ’ કે ‘ જાય શ્રી રામ ’ સાંભળવા મળે . ક્યારે શું બોલવું તે હાઈકમાન્ડ નક્કી કરે છે . અત્યારે ‘ જાય શ્રી રામ ’ ચાલે છે . સોશિયલ મિડિયા માં સંઘ પરિવાર , સાધુ સંતો અને ભાજપના નેતાઓ , મંત્રીઓ અને મુખ્યમંત્રી સહિતના અયોધ્યા રામ મંદિર મુદ્દે વિવાદો છેડી રહ્યા છે . હવે દેશભરમાં સંઘ – વી.એચ.પી. ધર્મસભાઓ યોજીને રામ મંદિર મુદ્દે આંદોલન કરશે . આ આંદોલન અંગે ઠેર ઠેર ચર્ચા સાંભળવા મળે છે . આંદોલન શા માટે ? કોની સામે ? અને કોના કહેવાથી ? આ પ્રશ્નો ના જવાબ ભાજપ – સંઘ પરિવારમાંથી જ મળી રહે છે .
ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે કિસાન સંઘના એક જુના મિત્ર મળી ગયા. એકબાજુ ઉભા રહી , અનેક જુના પ્રસંગો વાગોળ્યા . ફરી વાત તો ‘ જાય શ્રી રામ ’ ની જ નીકળી . મિત્રને પૂછ્યું કે દરેક ચુંટણી વખતે રામ મંદિરનો મુદ્દો ઉછાળવાથી હવે લાભ થાય છે ખરો ? તો જવાબ મળ્યો “ આ વખતે લાભ થવાનો છે . કારણ કે આ વખતે જે કાંઈ ચાલી રહ્યું છે તે સાહેબ ( P.M ) ની ઈચ્છા મુજબ નું છે . અને સાહેબની સ્ટ્રેટેજી પરિણામ લક્ષી જ હોય છે . એટલું જ નહિ , વિશ્વહિન્દુ પરિષદમાંથી ડો. પ્રવીણ તોગડિયા ની હકાલ પટ્ટી કર્યા પછી સંઘ પરિવાર ઉપર એક મોટો ખતરો ઉભો થયો હતો . તોગડીયાએ સાધુ – સંતોનો સાથ લઈને રામ મંદિર મુદ્દો હાથમાં લીધો હતો . જો આ મુદ્દો તેમના હાથમાં રહે તો ભાજપના હિન્દુત્વને મોટી હાની પહોચે તેમ છે . માટે જ આ મુદ્દાને જુટવી લઈને દેશભરમાં રામ મંદિર ને મુદ્દે વાદ વિવાદો શરુ કર્યા છે .”
શું થશે તે મુદ્દે આ મિત્રએ કોઈ ફોડ પાડ્યો નહિ .
જુના વી.એચ.પી ના નેતા અને અત્યારે આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદના નેતા સાથે ફોન પર વાત થઇ . તેમણે પણ એ વાતનો સ્વીકાર કર્યો કે ડો. પ્રવીણ તોગડિયા પાસે થી મુદ્દો છીનવી લેવા આ બધું ચાલી રહ્યું છે . તેમણે કહ્યું કે “ ભાજપ અને ખાસ કરીને સાહેબ નકલી સાધુઓ દ્વારા હિન્દુત્વના મુદ્દે ચુંટણીમાં લાભ લેતા હોય છે . પરંતુ આ વખતે ગુજરાતમાં નકલી વી.એચ.પી. આંદોલન થશે . ગુજરાતમાં રામ મંદિર ની માંગણી સાથે ઠેર ઠેર ધર્મસભાઓ યોજાવાની છે . આ ધર્મસભા વી.એચ.પી. ના નામે યોજાશે . પરંતુ ગુજરાતમાં વી.એચ.પી તો છે જ નહિ. કારણ કે જે હતા તે તમામ ડો. પ્રવીણ તોગડીયા પાસે છે . માટે ભાજપનાં કાર્યકરોની વોર્ડ – શહેર ની મિટિંગો યોજી , સંઘના હોદ્દેદારો તેમને રામ મંદિર મુદ્દે પ્રશિક્ષણ આપે છે અને ધર્મસભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોને ભાજપના નહિ , પણ ભગવા ખેસ પેરીને આવવા સૂચનાઓ આપવામાં આવે છે . એટલે આશ્ચર્ય તો એ છે કે ભાજપના નેતાઓ જ ભાજપ સરકાર સામે આંદોલન કરવા ભાજપના કાર્યકરોને ફરજ પાડે છે . અને તે પણ ભાજપના હાઈકમાન્ડ ના કહેવાથી . આટલું વિચિત્ર રાજકારણ ભાજપના નેતાઓ જ રમી શકે . સત્તા માટે શું શું કરી શકાય , તે કોંગ્રેસે ભાજપ પાસેથી શીખવું પડે .”
મિત્રને પૂછ્યું કે સાધુ સંતો ડો. તોગડિયા સાથે પણ આવે છે અને ભાજપ સાથે પણ આવે છે . તેનું શું ? તો જવાબ મળ્યો “ સાધુ સંતોને કોઈ પ્રવૃત્તિ જોઈએ , પ્રસિદ્ધિ જોઈએ અને મંચ – માઈક મળે તો ખુશ રહે . સત્તા ની સામે જવાથી કોઈને ફાયદો થતો નથી . પછી તે ઉદ્યોગપતિ હોય કે મઠાધીપતિ .”
દેશભરમાં હિન્દુત્વના હાકેમો અત્યારે પોતાની પ્રસિદ્ધિ માટે રોજે રોજ નવાનવા ગતકડા અને વાદ – વિવાદ દ્વારા છવાયેલા રહે છે . જોઈએ આપણા દેશમાં આવા ગતકડાં થી પ્રેરાઈ ને મતદારો કેટલી પેઢી સુધી મત આપત રહે છે .
ગાંધીનગર લોકસભા બેઠક પરના ઉમેદવાર કોણ હશે ? દિલ્હીમાં ચાલતી ચર્ચા
દિલ્હીખાતે એક હિન્દી ભાષી નેતાના ગુજરાતી પી.એ. સાથે ફોન પર વાતચીત ચાલતી હતી . દિલ્હીમાં આજ કાળ શું ચાલે છે ? એવા સવાલનો કંઇક આવો જવાબ મળ્યો . “ દિલ્હીમાં ગુજરાતીઓ અને ગુજરાત સિવાય કોઈ ચર્ચામાં રહેતું જ નથી . અત્યારે ભાજપના ટોચના નેતાઓમાં એક અટકળ અંગે ચર્ચા ચાલે છે કે હવે ૨૦૧૯ ની લોકસભા ચુંટણીમાં ગુજરાતની ગાંધીનગર બેઠકના ઉમેદવાર કોણ હશે ! સુષ્માજીએ તો જાહેરમાં પોતાનો મત વ્યક્ત કરી દીધો છે કે હવે તેઓ ચુંટણી નહિ લડે . પરંતુ અડવાણીજી એ હજુ ફોડ પાડ્યો નથી કે તેઓ ચુંટણી લડવા માંગે છે કે નહિ . હા , શંકરસિંહ વાઘેલાએ મુલાકાત લીધી ત્યારે તેમણે સામાન્ય કાર્યકરની માફક કહ્યું હતું કે પાર્ટીએ નિર્ણય કરવાનો છે . આવું શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે . પરંતુ અટકળ એવી ચાલે છે કે અડવાણી પાર્લામેન્ટરિ બોર્ડના સભ્ય છે . તેઓ હજુ રમત છોડવા તૈયાર નથી . અને જો તેઓ એમ કહે કે મારે તો ગાંધીનગર બેઠક પરથી જ લડવું છે , તો પાર્ટી ના કહી શકે નહિ અને જો ના કહે તો મિડીયામાં આ વાત એવી ચગે કે પક્ષને થોડો ઘસરકો પહોંચે . જેથી ગાંધીનગર બેઠક ઉપર હવે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું નામ થોડા સમયમાં જ વહેતું કરી દેવામાં આવશે. જેથી અડવાણીજી જાતે જ પોતાની દાવેદારી પરત લઇ લે . ૨૦૧૪ માં આપણા નરેન્દ્રભાઈ એ ક્યાંથી લડવું તે અંગે ગુપ્તતા રાખી હતી . આ વખતે ગાંધીનગર બેઠક પર નામ જાહેર થવા દેશે અને છેલ્લી ઘડીએ કોઈ ચોથી બેઠક પરથી લડે એવું પણ બને . ગત ચુંટણીમાં તેઓ વડોદરા અને વારાણસી બેઠક પરથી લડ્યા હતા , હવે ત્રીજી ગાંધીનગર બેઠક અને ચોથી બેઠક કદાચ દક્ષીણ ના રાજ્યની હોઈ શકે .”
આશ્ચર્ય સાથે પુછાઈ ગયું કે શું ? દક્ષીણ માંથી ? ત્યાં ભાજપની કોઈ સલામત બેઠક ખરી ? તો મિત્રએ કહ્યું “ આ તો અટકળો છે . કદાચ એવી કોઈ બેઠક હી પણ શકે . અને આપણા નરેન્દ્રભાઈ ને તમે અને હું ઓળખીએ છીએ . ગમે ત્યારે ગમે તેવું આશ્ચર્ય સર્જી શકે છે . પરંતુ પાંચ રાજ્યોની ચુંટણી ના પરિણામો પછી લોકસભાની ચુંટણીને લઈને અનેક અટકળો – આશ્ચર્ય દ્વારા ભાજપ અને અપના નરેન્દ્રભાઈ સતત ચર્ચામાં અને વિવાદમાં રહી પ્રસિદ્ધિ મેળવશે . અત્યારથી જ એવી હવા મને જોવા મળે છે .”
મિત્રને કહ્યું કે જીતવા માટે ઘણા બધા નિર્ણયો કરવા જરૂરી છે . એ બધું કરશે તો જ ફરી સરકાર બને એવું લાગે છે . તો મિત્રએ કહ્યું “ ના ના ના , એવું કશું નહિ . સાહેબ અનેક અપેક્ષિત નિર્ણયો લેવાના બદલે એકાદો અનપેક્ષિત નિર્ણય લઈને પ્રજામત જીતી શકવાની આવડત ધરાવે છે . વિપક્ષના ગમે તેવા ધમપછાડા પછી પણ સાહેબનું એક પગલું એવું હશે કે વિરોધપક્ષના નેતાઓને હવે શું કરવું તેનો કોઈ માર્ગ નહિ જડે .”
જોઈએ દિલ્હીની ચર્ચામાં ભક્તિ જ છે કે કોઈ નક્કર વાત , સમય આવે ખબર પડશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાટણ-બનાસકાંઠાની નર્મદા કેનાલમાં ભ્રષ્ટારચારના ગાબડાં, સરકારના આંખ આડા કાન….!?
Next articleGNS Impact: અંતે માહિતી ખાતાએ “ગુજરાત”નું નવું ડેકલેરેશન કર્યું અને દંડ પણ ભર્યો….