Home દુનિયા - WORLD ‘હું ભારત જઈશ તો કટ્ટરવાદી મુલ્લાઓ રજા પર મક્કા જતા રહેશે’: ...

‘હું ભારત જઈશ તો કટ્ટરવાદી મુલ્લાઓ રજા પર મક્કા જતા રહેશે’: ઈમામ મોહમ્મદ

541
0

(S.yuLk.yuMk)ઓસ્ટ્રેલિયા,íkk.27
કટ્ટર ઈસ્લામ સામે ઝુંબેશ છેડનારા ઓસ્ટ્રેલિયાના જાણીતા ઈમામ મોહમ્મદ તાહિદીએ ભારતની મુલાકાતે જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તાહિદીએ સોમવારે ટ્વિટ કરી જણાવ્યું હતું કે ભારતના લોકો મને ઓળખે છે. જાન્યુઆરી અગાઉ આ ટ્વિટને 10 હજાર વાર રીટ્વિટ કરાશે તો તેઓ 2018માં ભારતની મુલાકાતે આવશે. તાહિદીએ વધુમાં લખ્યું હતું કે જો તેઓ ભારત જશે તો ત્યાંના કટ્ટરવાદી મુલ્લાઓ તાકીદની રજાઓ લઈ મક્કા જતાં રહેશે. ઓસ્ટ્રેલિયાના ઈમામ તાહિદી ફાઉન્ડેશનના પ્રમુખ તાહિદી વિશ્વભરમાં ઈસ્લામ પર વ્યાખ્યાન આપવા જાય છે. તેઓ તેમના નિવેદનને કારણે વિશ્વભરના ઈમામોના નિશાન બન્યા છે. કારણ કે જ્યારે પણ આતંકી હુમલા થાય છે ત્યારે તેઓ બધા જ ઈમામો પર દોષનો ટોપલો ઢોળે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈજિપ્તમાં 15 આતંકવાદીઓને મળી ફાંસીની સજા
Next articleયુવતીને લિફ્ટ આપીને ચાલતી કારમાં કર્યો ગેંગરેપ