Home ગુજરાત ગાંધીનગર ૦૬-ગાંધીનગર લોકસભા મતવિસ્તાર અને કલેક્ટર ગાંધીનગર દ્વારા આ સંસદીય મત વિભાગ માટે...

૦૬-ગાંધીનગર લોકસભા મતવિસ્તાર અને કલેક્ટર ગાંધીનગર દ્વારા આ સંસદીય મત વિભાગ માટે ચૂંટણીની નોટીસ જાહેર કરવામાં આવી

41
0

(G.N.S) Dt. 12,

ગાંધીનગર,

તા. ૧૨થી તા.૧૯ એપ્રિલ સુધી જાહેર રજાના દિવસ સિવાય ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલા ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે

ચૂંટણી અધિકારી ,૦૬-ગાંધીનગર લોકસભા મતવિસ્તાર અને કલેક્ટર ગાંધીનગર દ્વારા આ સંસદીય મત વિભાગ માટે તા. ૧૨/૦૪/૨૦૨૪ ના રોજ ચૂંટણીની નોટીસ જાહેર કરવામાં આવી છે.જે મુજબ ૦૬-ગાંધીનગર સંસદીય મતદાર વિભાગ માટે તા. ૧૨/૦૪/૨૦૨૪થી તા. ૧૯/૦૪/૨૦૨૪ સુધી જાહેર રજાના દિવસ સિવાય સવારના ૧૧:૦૦ થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધીમાં કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલા ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી,૦૬-ગાંધીનગર સંસદીય મતદાર વિભાગ અને કલેકટર, પ્રથમ માળ, જિલ્લા સેવાસદન, કલેકટર કચેરી, સેક્ટર- ૧૧ ગાંધીનગર સમક્ષ તથા મદદનીશ ચૂંટણી અધિકારી,૦૬- ગાંધીનગર સંસદીય મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રી ગાંધીનગર રજૂ કરી શકાશે. આ માટે નિયમ અનુસાર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ઉપરાંત ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૨૦/૦૪/૨૦૨૪ ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી,૦૬- ગાંધીનગર સંસદીય મત વિભાગ અને કલેક્ટર, પ્રથમ માળ જિલ્લા સેવા સદન કલેકટર કચેરી, સેક્ટર ૧૧ ગાંધીનગર ખાતે હાથ ધરવામાં આવશે. આ અંગે વધુમાં જણાવવામાં આવ્યુ છે કે,ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ તા.૨૨/૦૪/૨૦૨૪ના રોજ બપોરના ૦૩વાગ્યા પહેલા અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે. અને મતદાન કરવાનો સમય તા. ૦૭/૦૫/૨૦૨૪ના રોજ સવારે ૦૭:૦૦થી સાંજના ૦૬:૦૦ વાગ્યા વચ્ચે રહેશે તેવું ચૂંટણી અધિકારીશ્રી ગાંધીનગર તરફથી જણાવવામાં આવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૨૨૪૭૪ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articlePM મોદીએ હીટવેવ, ચોમાસાને લઇને થતી તૈયારીઓ પર સમીક્ષા કરી, નિર્દેશો પણ આપ્યા