(જી.એન.એસ) તા. 25
ગાંધીનગર,
જીએમઆરસી જણાવે છે કે રવિવાર તા. ૨૭.૦૪.૨૦૨૫ થી મેટ્રોની સેવાઓ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સચિવાલય સુધી લંબાવવામાં આવશે અને તેની સાથે નીચે મુજબના નવા સાત સ્ટેશનો પણ કાર્યરત થશે.
૧. કોટેશ્વર રોડ
૨. વિશ્વકર્મા કોલેજ
૩. તપોવન સર્કલ
૪. નર્મદા કેનાલ
૫. કોબા સર્કલ
૬. સેક્ટર-૧૦એ
૭. સચિવાલય
ટ્રેનના સમય અંગેની વિગતો માટે વેબસાઈટ https://www.gujaratmetrorail.com ઉપર શનીવારથી દર્શાવવામાં આવશે.