Home મધ્ય ગુજરાત અમદાવાદ ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત જનજાગૃતિ માટે સાબરમતી રીવરફ્રન્ટ ખાતે રેલી યોજાઈ…

‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત જનજાગૃતિ માટે સાબરમતી રીવરફ્રન્ટ ખાતે રેલી યોજાઈ…

39
0

(G.N.S) dt. 20

અમદાવાદ

સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અંગે જનજાગૃતિ માટે વસ્તી ગણતરી નિયામકની કચેરી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે રેલી યોજાઈ હતી. આ રેલીને ગુજરાત ખાતેના વસ્તી ગણતરી નિયામક આર્દ્રા અગ્રવાલ દ્વારા ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

જાહેરમાં સ્વચ્છતા-પર્યાવરણ અંગે જનજાગૃતિ લાવવાના હેતુ સાથે યોજાયેલી આ રેલીમાં સ્વચ્છ પર્યાવરણનું મહત્વ દર્શાવતા બેનરો, સ્વચ્છ અને હરિયાળા ભારતના સૂત્રો દર્શાવતા પ્લેકાર્ડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રસ્તા ઉપર અવરજવર કરતા વાહનો અને નાગરિકોએ આ રેલી અંગેની પ્રશંસા કરી હતી.

સવારે ૯:૦૦ થી ૧૦:૩૦ સુધી રિવરફ્રન્ટ હાઉસ, સવારે અમદાવાદથી અટલ બ્રિજ સુધી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં વસ્તી ગણતરી કાર્યાલય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મળીને અંદાજે ૭૫ જેટલા અધિકારીઓ/કર્મચારીઓએ ભાગ લીધો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગરના સંસદ સભ્ય તથા દેશના ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ દ્વારા તેમના મતવિસ્તારના ખેડૂતોને ઘઉં અને ડાંગરના પાકનો વાવેતર વિસ્તાર ઘટાડવા તેમજ કઠોળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવા માટે અનુરોધ
Next articleહોટલ અને સ્પાની આડમાં ચાલતી રાજ્યમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને બંધ કરાવવાની સ્પેશિયલ ડ્રાઇવમાં બે દિવસમાં ૧૫૪૬ સ્થળોએ રાજ્યવ્યાપી દરોડા