Home દેશ - NATIONAL શ્રીનગરમાં સીઆરપીએફના વાહનની ટક્કરથી યુવકનું મોત

શ્રીનગરમાં સીઆરપીએફના વાહનની ટક્કરથી યુવકનું મોત

377
0

(જી.એન.એસ.)શ્રીનગર,તા.૨
સીઆરપીએફના વાહનની ટક્કરથી ગંભીર રીતે ઘાયલ થયેલો 21 વર્ષનો યુવક શનિવારે એટલે આજે મૃત્યું પામ્યો છે. હોસ્પિટલ સાથે જોડાયેલા સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઇજાગ્રસ્ત એહમદને શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિયુટ ઓફ મેડિકલ સાઇન્સમાં (એસકેઆઈએમએસ) દાખલ કરાયો હતો.
તમને જણાવી દઇએ કે નૌહટ્ટા વિસ્તારને સીઆઈપીએફની ગાડીની ટક્કરથી યુવક ગંભીર ઘાયલ થઇ ગયો હતો. પોલીસનું કહેવું છે કે વાહને ખોટો ટર્ન લઇ લીધો હતો.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આ ઘટના માટે રાજ્ય સરકારની આલોચના કરતા એક ટ્વિટ કરીને કહ્યું, ‘સંધર્ષ વિરામનો અર્થ છે બંદૂકો નહીં, તો એટલે જ જીપનો ઉપયોગ કરવામાં આવ્યો. પહેલા લોકોને જીપની આગળ બાંધ્યો અને આસપાસના ગામમાં તેની પરેડ નીકાળી. હવે પ્રદર્શનકારીઓ ઉપર સીધી જીપ ચઢાવે છે. શું આ તમારી નવી પ્રક્રિયા છે, મહેબૂબા મુફ્તી.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએનસીપી પ્રમુખ શરદ પવાર અને ગડકરી વચ્ચે બેઠક યોજાતાં રાજકારણ ગરમાયું
Next articleપાક.પૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફનું રાષ્ટ્રીય ઓળખપત્ર,પાસપોર્ટ રદ્દ કરવાના આદેશ!!!