- રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલ ઉપરાંત ધારાસભ્યશ્રીઓ તથા ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સંબંધિત વિભાગને સ્પર્શતા વિવિધ પ્રશ્નો તથા તેના સુઝાવો પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી
- વન અને પર્યાવરણ વિભાગ, કલાઈમેટ ચેન્જ વિભાગ, પ્રવાસન પ્રભાગ અને રમતગમત-યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાયું
(જી.એન.એસ),તા.૧૬
ગાંધીનગર,
વન અને પર્યાવરણ, પ્રવાસન, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતા તથા રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર શહેરના વન ચેતના કેન્દ્ર ખાતે સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં મંત્રીશ્રીના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલને લાગતી બાબતો પર વિચાર વિનિમય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં મંત્રીશ્રીઓ ઉપરાંત ધારાસભ્યશ્રીઓ તથા ઉચ્ચ અધિકારીશ્રીઓની હાજરીમાં સંબંધિત વિભાગને સ્પર્શતા વિવિધ પ્રશ્નો તથા તેના સુઝાવો પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં વન અને પર્યાવરણ વિભાગ, કલાઈમેટ ચેન્જ વિભાગ, પ્રવાસન પ્રભાગ અને રમતગમત-યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં જન હિતને સ્પર્શતા તમામ જરૂરી મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા વિમર્શ કરી પ્રશ્નોના નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના મંત્રી શ્રી મુળુભાઇ બેરા, વન અને પર્યાવરણ વિભાગના રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, રમત ગમત- યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, પ્રવાસન વિભાગના સચિવ શ્રી હારિત શુક્લા, અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવ, શ્રી યુ. ડી. સિંઘ તથા સ્થાયી પરામર્શ સમિતિના સભ્યો તથા સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.