Home દેશ - NATIONAL લીલામ કરશે ટ્વીન્કલ ખન્ના પોતાના પોષાકો અને ઝવેરાતો

લીલામ કરશે ટ્વીન્કલ ખન્ના પોતાના પોષાકો અને ઝવેરાતો

479
0

(S.yuLk.yuMk){wtçkE,íkk.27
અભિનેત્રી કૉલમિસ્ટ ટ્વીન્કલ ખન્નાના એક જાહેરાત માટે પહેરેલા પોષાક અને ઝવેરાતનું લીલામ કરવામાં આવશે અને એની જે આવક થશે એ એક એનિમલ વેલફેર ટ્રસ્ટને આપી દેવામાં આવશે એવી માહિતી મળી હતી. બોલિવૂડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પુત્રી તથા હાલ સુપર સ્ટાર અક્ષય કુમારની પત્ની ટ્વીન્કલે પીસી જ્વેલર્સના ઝવેરાતની એક એડ ફિલ્મ માટે પહેરેલા પોષાક અને દાગિનાના લીલામની જાહેરાત કરાઇ હતી. આ જાહેરાતમાં એના અભિનેતા પતિ અક્ષય કુમાર પણ જોડાયા હતા. આ લીલામ દ્વારા થનારી આવક પંચગનીમાં આવેલા જેનિસ સ્મિથ એનિમલ વેલફેર ટ્રસ્ટને દાન રૃપે આપી દેવાની જાહેરાત ટ્વીન્કલે કરી હતી. ટ્વીન્કલના પોષાકની પહેલી ઑફર અઢી લાખ રૃપિયાની આવી હતી. હાલ એની ઑફર વધીને સાડા ત્રણ લાખ પર પહોંચી હતી. ટ્વીન્કલે ટ્વીટર પર મૂકેલા સંદેશા મુજબ બીડ્ઝકાર્ટ પર આ લીલામની ઑફર મુકી શકાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસર્વિસનો નવો નિયમ મારા માટે નથી પ્રોબ્લેમ: સિંધુ
Next articleબાહુબલિ ટુ રશિયા અને જાપાનમાં રજૂ થવાની શક્યતા