Home ગુજરાત રાષ્ટ્રપિતા ગાંધીજીના આદર્શ અને મૂલ્યોની શિખામણ IITEના વિદ્યાર્થીઓએ એક હજાર શાળાઓમાં આપી

રાષ્ટ્રપિતા ગાંધીજીના આદર્શ અને મૂલ્યોની શિખામણ IITEના વિદ્યાર્થીઓએ એક હજાર શાળાઓમાં આપી

415
0

(જી.એન.એસ રવીન્દ્ર ભદોરિયા),તા.૩૧

ગાંધીનગર: મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી સમગ્ર દેશ ઉજવણી કરી રહ્યો છે. ત્યારે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન ગાંધીનગર દ્વારા ગુજરાતના 33 જિલ્લાઓમાં એક હજાર સ્કુલોમાં દોઢ લાખ બાળકોને બાપુના વિચારો અને મૂલ્યોનો વિસ્તાર કરવા માટે 480 વિદ્યાર્થીઓ 80 અધ્યાપકો ગુજરાતમાં ફરી રહ્યા છે. અને ‘બાપુ સ્કૂલ મેં’ ના સ્લોગન સાથે વિચાર પ્રગટ કરી રહ્યા છે .ગાંધીનગરમાં આવેલા તાલુકાઓની શાળાઓમાં જઇનેઆ વિદ્યાર્થીઓએ ગાંધીજીના વિચાર અને મૂલ્યોનો પ્રચાર પ્રસાર કર્યો હતો. ત્યારે આ વિચારોની કામગીરી 26 તારીખના રોજથી 31મી સુધી રાખવામાં આવ્યો હતો.મહાત્મા ગાંધી નિર્વાણ દિવસે ગાંઁધીનગર ખાતે આવેલ GCRTCની મુલાકાત લીધી હતી. આ સંસ્થા સાથે ગુજરાતમાંં આવેલ ડાયેટ પણ સંકળાયેલી છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓએ બાપુના ૧૧ વૃત વિશે ઉપર વાર્તા કરી કાર્યક્રમની પુર્ણાહુતી કરી હતી. IITEના તમામ વિદ્યાર્થીઓ ‘બાપુ સ્કૂલ મેં’ પઠન સાથે અલગ અલગ શાળાઓ, કોલેજો અને ગાંધીજીની સંસ્થાઓમાં જઈ એક અનુભવ પ્રાપ્ત કરી ગાંધીના વિચારોને પોતાના જીવનમાં ઉતારી અમલ કરશે. ત્યારે આઈ.આઈ.ટી.ઈ ની વિદ્યાર્થીની વૈશાલીએ જણાવ્યું કે આજે ગાંધી બાપુ ને આખું વિશ્વ ઓળખે છે અને અન્ય દેશોમાં ગાંધી બાપુના વિચારોને ફોલો કરી પોતાના જીવનમાં ઉતારે છે પણ આપણે હિન્દુસ્તાન ના રહેવાસી છીએ એટલે આપણે પણ બાપુને યાદ કરી બાપુની કામગીરી અને વિચારોની માહિતી પૂરી પાડીને અમલ કરીયે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહાઇકોર્ટમાં રૂપાણીના ‘વટાણાં વેરાયા’…., રૂપાણીની ‘ટોપી’ હેલ્મેટ બની ગઇ….!!!
Next articleશું CAA લાવી મોદી સરકારે ગાંધીજીની ઈચ્છા પૂરી કરી….. હે….? ખરેખર…..?