Home ગુજરાત રાજકોટમાં સ્વાઈન ફ્લુનો તરખાટ, વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્યતંત્ર ઉંધામાથે

રાજકોટમાં સ્વાઈન ફ્લુનો તરખાટ, વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્યતંત્ર ઉંધામાથે

329
0

(જી.એન.એસ), તા.૮ રાજકોટ:
ભરઉનાળે શહેર અને જિલ્લામાં સ્વાઈન ફ્લૂએ રીતસરનો તરખાટ મચાવ્યો છે. વર્ષ 2017 ના માત્ર 3-4 મહિનામાં જ સ્વાઈન ફ્લુને લઈને 9 જેટલા લોકોના મોત નિપજ્યા છે અને 8 જેટલા લોકો હાલ સ્વાઈન ફ્લૂની સારવાર લઇ રહ્યા છે. ત્યારે શહેર અને જિલ્લામાં સ્વાઈન ફ્લૂના 6 કેસોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર ઉંધામાથે થઇ ગયું છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 6 વ્યક્તિઓના સ્વાઈન ફ્લૂના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં જૂનાગઢ, મોરબી, રાજકોટ, અને જામકંડોરણાના દર્દીઓ સારવાર હેઠળ હોવાનું સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. અને આરોગ્ય તંત્રના અથાગ પ્રયત્નો છતાં માથું ઊંચકી રહેલા સ્વાઈન ફ્લુને પગલે લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકા-રશિયા વચ્ચે યુદ્ધ માત્ર એક ઈંચ દૂર, પુતિને આપી ચેતાવણી
Next articleકરોડોના કોલ સેન્ટર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સાગર ઠક્કર ઝડપાયો