Home ગુજરાત રાજકોટના જેતપુરમાં 26 વર્ષના યુવકનું હાર્ટએટેકથી મોત

રાજકોટના જેતપુરમાં 26 વર્ષના યુવકનું હાર્ટએટેકથી મોત

22
0

(GNS),07

સતત વધી રહેલા હ્રદયરોગના હુમલાએ લોકોની ચિંતા વધારી દીધી છે. એક સમય એવો હતો જ્યાં ઉમરલાયક લોકો જ હાર્ટએટેકનો શિકાર બનતા હતા. પરંતું હવે તો જુવાનજોધ લોકો હાર્ટએટેકથી મોતને ભેટી રહ્યા છે. ત્યારે રાજકોટમા આજે હાર્ટએટેકથી એકસાથે બે યુવકોને મોત આવ્યું છે. રાજકોટમાં જન્માષ્ટમીનાં કાર્યક્રમમાં હાર્ટ એટેક આવતા યુવકનું મોત નિપજ્યું છે. 25 વર્ષીય જતીન સરવૈયા નામના યુવકનું હાર્ટ એટેકથી નિધન થયું છે.

રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ પાસે વીર હનુમાનજી ચોક પાસે આ બનાવ બન્યો હતો. જન્માષ્ટમીના કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જતીનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. જતીન સરવૈયા (ઉ.વ.25) ના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. તો બીજી તરફ, જેતપુરમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. જેતપુરમાં યુવાનોમાં વધી હાર્ટ એટેકના બનાવ વધતા ચિંતા વ્યાપી ગઈ છે. જેતપુરના પંચવટી વિસ્તારમાં રહેતા યુવાનને ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. વિજય મેઘનાર્થી નામના 26 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે. યુવાનને હાર્ટ એટેક આવતા હોસ્પિટલ લવાતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. જેથી મૃતકના મૃતદેહને પીએમ અર્થ ખસેડાયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆણંદના બેડવા બ્રિજ નજીક હિટ એન્ડ રનની ઘટના
Next articleફુકરે-3ના ટ્રેલર રીલીઝ પછી ફિલ્મને લઈને દર્શકો ખૂબ જ ઉત્સાહિત