Home ગુજરાત મુખ્યમંત્રીશ્રીને ભેટસોગાદોમાં મળેલ ચીજવસ્તુઓના પ્રદર્શન-વેચાણને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ

મુખ્યમંત્રીશ્રીને ભેટસોગાદોમાં મળેલ ચીજવસ્તુઓના પ્રદર્શન-વેચાણને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ

16
0

તોશાખાનામાં જમાં કરાવેલ ચીજવસ્તુઓના ત્રી-દિવસીય પ્રદર્શન-વેચાણ કાર્યક્રમમાં કુલ ₹10,19,001 ની કિંમતની 683 ભેટસોગાદોનું થયું વેચાણ

ગોતા ખાતે જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે ખુલ્લા મુકાયેલા પ્રદર્શન-વેચાણમાં નાગરિકોએ મોમેન્ટો, સોના-ચાંદીની ભેટ-સોગાદોની કરી ખરીદી

(જી.એન.એસ),તા.૨૧

અમદાવાદ,

રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ-સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમા કરાવેલ ચીજવસ્તુઓનું ત્રણ દિવસીય પ્રદર્શન-વેચાણ અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ તારીખ 18મી જાન્યુઆરીના રોજ ગોતા ખાતે ખુલ્લું મૂક્યું હતું. સિટી ડે.કલેકટર(પશ્ચિમ)ની ગોતા સ્થિત કચેરી ખાતે યોજાયેલા મુખ્યમંત્રીશ્રીની ભેટસોગાદોમાં મળેલ ચીજવસ્તુઓના પ્રદર્શન-વેચાણને નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો હતો. તોશાખાનામાં જમાં કરાવેલ ચીજવસ્તુઓના ત્રી-દિવસીય પ્રદર્શન-વેચાણ કાર્યક્રમમાં કુલ ₹10,19,001 ની કિંમતની 683 ભેટસોગાદોનું વેચાણ થયું હતું. પ્રદર્શન-વેચાણમાં નાગરિકોએ વિવિધ મોમેન્ટો, સોના-ચાંદીની ભેટ-સોગાદો સહિત અન્ય ચીજવસ્તુઓની ખરીદી કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleખેલાડી KS ભરતએ ઈંગ્લેન્ડ લાયન્સ સામે ઈન્ડિયા A તરફથી રમીને સદી કરી
Next articleમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે કાગવડ ખાતેથી ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન