Home ગુજરાત માજી સૈનિકોએ પોતાની માંગણીઓને લઈ રાજ્યપાલને આપ્યુ આવેદનપત્ર

માજી સૈનિકોએ પોતાની માંગણીઓને લઈ રાજ્યપાલને આપ્યુ આવેદનપત્ર

326
0

(જી.એન.એસ,રવિન્દ્ર ભદૌરિયા)ગાંધીનગર,તા.૩૦

ગુજરાત રાજ્યના માજી સેનિકો દ્વારા ગાંધીનગર ખાતે રાજ્યપાલને આવેદન પત્ર આપી પોતાની વેદના વ્યક્ત કરી હતી. માજી સેનિકોએ પોતાની ૧૪ મુદાઓના પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત રાજ્યના રાજ્યપાલે રૂબરૂ મુલાકાત કરી આવેદન પત્ર અપવમાં આવ્યું હતું.

માજી સેનિકોએ આ આવેદન પત્ર દ્વારા ગુજરાત સરકારી સેવામા પાંચ વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવામાં માટે આવેદન પત્ર આપવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા ઘણી એવી સેવા છે જે હજુ સુધી માજી સૈનિકોને અપાતી નથી. જેથી અમને માજી સૈનિક હોવાથી તમામ સુવિધા આપવામાં આવે.

શહીદ સેનિકના એક પુત્રને અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી આપવામાં અને શહિદના પરિવારને રાજ્ય સરકાર તરફથી પેંશન આપવમાં આવે જેથી શાહિદ પરિવાર પોતાનું ગુજરાન કરી જીવન વ્યતીત કરી શકે. અને માજી સૈનિક જીવન નિર્વાહ માટે સરકારી જમીન ખેતી કરવા અને રહેણાંક હેતુ પ્લોટ આપવમાં આવે. અને જે સુવિધા હજુ ગુજરાત સરકાર દ્વારા નથી આપતી તેનું અમલ કરવામાં આવે.

ભારત દેશનું નાગરિક દેશના નાગરિકની અને સરકારની સલામતી માટે પોતાનું જીવન બલિદાન કરે છે પરંતુ છતાંયે એને સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી છતાં એને પોતાની માંગ માટે આવેદન પત્ર આપી સરકારને જણાવાનું થાય છે. આજે ગુજરાત રાજ્યના માજી સૈનિકે પોતાની માંગને લઈ રાજ્યપાલને મળવા આવી પહોંચ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબજરંગ દળનુ હુકમનામુ…! અન્ય ધર્મના લોકો ગરબાથી દૂર રહે
Next articleGNS impact..સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી શરૂ