Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે દરેક ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલી યથાવત્…!!

ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે દરેક ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલી યથાવત્…!!

37
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૧.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૦૪૫.૭૪ સામે ૬૦૯૨૦.૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૭૧૬.૫૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૧૫.૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૭.૩૧ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૮૫૮.૪૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૯૯.૧૫ સામે ૧૮૧૫૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૦૮૧.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૬.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૬.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૧૧૩.૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક મોરચે ફુગાવાનું પ્રેશર ઘટી રહ્યું હોવા સામે વૈશ્વિક આર્થિક મંદીના અહેવાલો સામે ગોલ્ડમેન સેશ, યુબીએસ સહિતે મંદીની શકયતા નકારતાં કરેલા અહેવાલ અને ચાઈનામાં કોવિડ ઝીરો પોલીસી બાદ ઝડપથી રી-ઓપનીંગને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં રિકવરી ઝડપી બનવાની અપેક્ષા અને આ સમયગાળામાં ભારત મજબૂત સ્થિતિમાં હોવાથી ફોરેન ફંડોએ તાજેતરના કરેકશન બાદ ફરી શોર્ટ કવરિંગ સાથે લોકલ ફંડોએ વેલ્યુબાઈંગની તક ઝડપતાં ભારતીય શેરબજારમાં તેજી જોવાઈ હતી, જો કે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈ ફરી ભારતીય શેરબજારમાં નેટ ખરીદદાર બની જઈ ભારતીય બજારોમાં રોકાણ માટે નવું મોટું ફંડ એલોકેશન કર્યાના અહેવાલે તેજી થયા બાદ ફરી નેટ વેચવાલ બનતા આજે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

યુ.એસ. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજ દર મામલે કોઈ સંકેત આપવાનું ટાળતાં અટકળો વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારોમાં પણ ઈન્ડેક્સ બેઝડ બે-તરફી અનિશ્ચિત ચાલના અંતે બજાર નેગેટીવ ઝોનમાં રહ્યું હતું. અલબત સ્થાનિક સ્તરે ફોરેન ફંડોની શેરોમાં સતત વેચવાલી થઈ રહી હોવા સામે લોકલ ફંડો, મ્યુચ્યુઅલ ફંડોની સતત ખરીદી છતાં મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણકારોનો રોકાણ પ્રવાહ ધીમો પડી રહ્યો હોઈ આગામી દિવસોમાં રોકાણ પ્રવાહ વધુ ધીમો પડવાના જોખમે શેરોમાં નવી મોટી ખરીદી અટકતી જોવાઈ હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૯૮ લાખ કરોડ ઘટીને રૂ.૨૮૧.૭૭ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, મેટલ, કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૨૯ અને વધનારની સંખ્યા ૧૫૮૨ રહી હતી, ૧૧૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, સ્થાનિક કંપનીઓમાં પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ વાર્ષિક ધોરણે ૪૨% ઘટીને ૨૦૨૨માં ૨૩.૩ બિલિયન ડોલર થઈ ગયું છે. અહેવાલ મુજબ, ૨૦૧૯ પછી આ સૌથી ઓછું પીઈ રોકાણ છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૯માં તે ૧૫.૮ અબજ ડોલર હતું. લંડન સ્ટોક એક્સચેન્જ ગ્રૂપના વિશ્લેષકના જણાવ્યા અનુસાર, દેશમાં પીઈ ઇક્વિટી રોકાણ કેલેન્ડર વર્ષ ૨૦૨૧ની સરખામણીમાં ગયા વર્ષે ૪૨% ઘટીને ૨૩.૩ બિલિયન ડોલર થયું હતું. કેલેન્ડર વર્ષ ૨૦૧૯ના ૧૫.૮ અબજ ડોલર પછીનું આ સૌથી ઓછું રોકાણ હતું. વર્ષ દરમિયાન કેટલા પ્રાઈવેટ ઈક્વિટી સોદા કરવામાં આવ્યા હતા તે રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

ડેટા અનુસાર, કેલેન્ડર વર્ષ ૨૦૨૨ના ડિસેમ્બર ક્વાર્ટરમાં પીઈ રોકાણ કુલ ૩.૬૧ બિલિયન ડોલર હતું. આ અગાઉના ક્વાર્ટરના ૩.૯૩ બિલિયન ડોલરની સરખામણીએ ૮.૧% નીચું હતું, જ્યારે તે વાર્ષિક ધોરણે ૬૭.૨% ઓછું હતું. રિપોર્ટ અનુસાર, ચોથા ક્વાર્ટરમાં કુલ સોદા અગાઉના ક્વાર્ટરમાં ૪૪૩થી ૨૪.૮% ઘટીને ૩૩૩ થઈ ગયા છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૧ના ચોથા ક્વાર્ટરમાં ૪૧૧ની સરખામણીએ સોદામાં ૧૯%નો ઘટાડો થયો છે. આ માટે ભૌગોલિક રાજકીય તણાવ, પશ્ચિમી અર્થવ્યવસ્થાઓમાં વધતા વ્યાજ દરો અને મંદીના ભયને જવાબદાર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબોટાદમાં યુવતી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારાને સખત સજાની માગ સાથે દહેગામ ખાતે સમગ્ર દેવીપૂજક સમાજ દ્વારા આવેદન અપાયું
Next articleબ્રસેલ્સ ટ્રેન સ્ટેશન પર જેહાદીઓએ ‘અલ્લાહુ અકબર’ની બૂમો પાડીને મુસાફરોને માર માર્યા
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.