Home દેશ - NATIONAL બે પ્રેમીએ પરિવાર વિરુદ્ધ કર્યા લગ્ન, પ્રેમીને પરિવારજનોએ ઢોર માર મારી મોતને...

બે પ્રેમીએ પરિવાર વિરુદ્ધ કર્યા લગ્ન, પ્રેમીને પરિવારજનોએ ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો

41
0

બિહારના સીતામઢીમાં પ્રેમી પંખીડાએ માટે લવ મેરેજ કરવું મુશ્કેલ હતું. પ્રેમના દુશ્મનોએ પ્રેમીને ઢોર માર માર્યો. આ ઘટના બાજપટ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારના રતનપુરા ગામની છે. નાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના છોટા ભાદિયા વોર્ડ નંબર ચારમાં રહેતા રાજુ રામને નજીકના ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ યુવતીના પરિવારજનો તેમના પ્રેમની વિરુદ્ધ હતા.

આ દરમિયાન બંનેએ પરિવારના સભ્યોની વિરુદ્ધ જઈને પોતાની મરજીથી લગ્ન કરી લીધા હતા. જેનાથી ગુસ્સે ભરાયેલા યુવતીના પરિવારજનોએ નવદંપતીને રતનપુરા બોલાવી માર માર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા રાજુ રામનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.

આ ઘટના 10મી ઓગસ્ટે બની હતી. યુવતીના પરિવારજનોએ પ્રેમીપંખીડાઓને ઢોર માર માર્યા બાદ ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં બબન ગાજી પાસે રોડ કિનારે ફેંકી દીધા હતા. માહિતી મળ્યા બાદ છોકરાના પરિવારજનોએ સ્થાનિક લોકોની મદદથી પ્રેમી યુગલને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા જ્યાં છોકરીનો જીવ બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ રાજુ રામનું પટનાના પીએમસીએચમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું.

રાજુ રામના મૃત્યુથી તેમના પરિવારમાં આક્રોશ ફેલાયો છે. તેની માતા તેના પુત્ર અને પત્ની તેના પતિને યાદ કરીને રડી-રડી હાલ બેહાલ છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. ઘટનાની પુષ્ટિ કરતા નાનપુર પોલીસ સ્ટેશનના પ્રમુખ રાકેશ રંજને કહ્યું કે આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં આરોપીઓ જેલના સળિયા પાછળ હશે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ શું કહ્યું તે ખાસ જાણો
Next articleઅમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં હજુ પણ ઝડપી વધારો કરવામાં આવશે તેવી શક્યતાને પગલે ભારતીય શેરબજારમાં ૮૬૧ પોઈન્ટનો નોંધપાત્ર કડાકો..!!!